SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન બે પ્રકારે બોધ ભગવાને કર્યો છે. એક ઉપદેશબંધ અને બીજો સિદ્ધાંતબેધ. ઉપદેશબંધ કોને કહે છે? તે હવે કહે છે. આત્મા પિતે નિત્ય છે અને અનિત્ય પદાર્થોમાં મોહ કરે છે. અનિત્ય પદાર્થોની પાછળ પડયો છે, અને દુઃખી થાય છે. મારે શું કામનું છે ? તે એને ખબર નથી. જે છે મારું મારું કર્યા કરે છે તે બધું જાળ જેવું છે. મારું કુટુંબ, મારું ધન એમ કરે છે. પુરુષને બે થાય તે ખબર પડે કે હું ક્યાં ઊભું છું? સંસારમાં. સંસારમાં દુઃખ ભેગવે છે અને પાછી ઈચછા સંસારની ને સંસારની જ કરે છે. અત્યારે દુઃખી છે, તે પણ જીરને ભાન નથી તેથી સંસાર સુખરૂપ લાગે છે. જ્ઞાની પુરુષ આ સંસારને ત્રિવિધ તાપથી બળતો દેખે છે. સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ સિવાય કંઈ નથી એમ વિચાર કરે તે લાગે કે આધિ વ્યાધિ ઉપાધિમાં આત્માને શાંતિ નથી, બળે જ છે. પણ જીવને સંસાર જ્યાં હોય ત્યાં સારું લાગે છે, તેથી મધનાં ટીપાં લેવાવાળાની પેઠે સંસારને જુએ છે. જગત જે પ્રકારે છે તે પ્રકારે જીવને જોતાં આવડતું નથી. અનંતવાર આ જગતની એંઠ ચાખે છે; હવે એથી છૂટવું. પરિગ્રહ, આરંભ અને સંગ એ જીવને જે છે, ભારરૂપ છે, એ સત્સંગે સમજાય છે. ઉપદેશબંધ થયે હોય તે પછી સિદ્ધાંતબાધ ચે. છ પદને પત્ર, આત્મસિદ્ધિ, પંચાસ્તિકાય અને બીજા પણ દ્રવ્યાનુયેગના ગ્રંથ તે સિદ્ધાંતબાધ છે. આત્મસિદ્ધિ રોજ બેલીએ છીએ પણ સમજાતું નથી, તેનું કારણ વૈરાગ્ય ઉપશમ વધે તે સિદ્ધાંત સમજાય. અનંત દુખેવાળે આ સંસાર છે. છતાં તેમાંથી જીવ છૂટવા ઈચ્છતા નથી. અનંત સૌખ્ય, નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા; અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા” એ ઉપદેશજ્ઞાન પહેલું પરિણમે, ત્યાર પછી સિદ્ધાંતજ્ઞાન પરિણમે છે. એ ન થાય ત્યાં સુધી માત્ર સમજણનું અભિમાન છે. વૈરાગ્યઉપશમ વધે એટલા માટે શાસ્ત્રો વાંચવાનાં છે, વૈરાગ્યઉપશમ હોય તેને સદ્ગુરુના વચનના આરાધનથી સિદ્ધાંતજ્ઞાન પરિણમે છે. વૈરાગ્યઉપશમ વધારે હોય તે સિદ્ધાંતબોધ સમજાય. અનંત દુઃખવાળે આ સંસાર છે છતાં તેમાંથી જીવ છૂટતો નથી. વૈરાગ્ય ઉપશમ હેય તે બધી પંચાત શમી જાય, તેથી પછી એને શ્રદ્ધા થાય અને પછી સિદ્ધાંત પરિણમે. એક આત્માને જાણ. બીજું જાણે તે આત્મા હાથ ન આવે. વિવેકની જીવને જરૂર છે. અત્યંત ઉજજવળ ક્ષપશય હાય અને સદૂગુરુની આરાધના હોય તે સિદ્ધાંતબોધ સમજાય. વૈરાગ્યઉપશમ આવે એવાં શાસ્ત્રો વાંચવાની જરૂર છે. જેમ જેમ વૈરાગ્યઉપશમ આવે તેમ તેમ વિપર્યાસપણું ઘટતું જાય છે, આગ્રહ મટી જાય છે, પછી જ્ઞાની કહે તે એને સમજાય. સંસાર વિષમ છે. ક્યાંય સમતા નથી. જ્યાં જુઓ ત્યાં રાગદ્વેષ જ દેખાય છે. જે સાચે બેલ છે, તે તે જીવને કેઈ મહાપુણ્યના ભેગે પ્રાપ્ત થાય છે. “સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દેવ.” જીવ પિતાના જ્ઞાન ઉપર આવરણ કરે છે. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy