________________
બોધામૃત
શરીર ઉપર મારે તે જોઈ વિવેકાનંદના મનમાં થયું કે આ નજરબંધી છે કે શું? પછી આંગળી અડાડી જોઈ તે ફેલે થયે. એ વિશે વિકલ્પ કરતાં એમના મનમાં થયું કે મેં આ શું કરવા માંડયું? શું કરવા હું અહીં આવ્યો હતો? આત્મકલ્યાણ માટે આવ્યા અને આ બીજામાં ક્યાં પડ્યો ? એને ઉકેલ આવે એવું નથી. પડી મૂકું. ઉકેલ આવે નહીં અને દુઃખી થવું પડે એમ કરી ત્યાંથી ચાલ્યા ગયા.
કમ તો ઉદય આવે પણ જીવે ત્યાં ધીરજ રાખી સહન કરવા જ્ઞાનીની શિખામણ છે. તે જે લક્ષમાં હોય તે નવાં કમ ન બંધાય. આકુળતા કરશે તેટલાં કર્મ નવાં બંધાશે. તેથી ફરી જન્મવું પડશે. માટે ધીરજથી વેદી લેવાં, આ આખા પત્રને સાર છે.
[વ ૫૦૦].
૧૬૧ શ્રી. રાત્રે આ અગાસ, અષાઢ વદ ૮, ૨૦૦૮ વૈરાગ્ય ઉપશમની પહેલી જરૂર છે. “મારું તારું” એમ ન કરવું. સાચું હોય તે મારું એમ રાખવું. મધ્યસ્થ ભાવનાની બહુ જરૂર છે. જ્ઞાની પુરુષેએ શે નિર્ણય કર્યો છે તે સમજવા માટે જીવમાં વૈરાગ્યઉપશમ હાવાં જોઈએ. વૈરાગ્ય, ઉપશમ અને સમકિત એ ત્રણ વસ્તુઓની જરૂર છે, તેથી આત્મા પુષ્ટ થાય છે. સંસારમાં ચિત્ત ભમે છે, ત્યાં સુધી આત્મા ભણી વળે નહીં. વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય એટલે ખરી રીતે તે આત્મા છે. વિષયો એને ગમે નહીં, એ વૈરાગ્ય છે.
શ્રી વર્ધમાનસ્વામીને વિચારની ઉત્પત્તિ થઈ કે જન્મમરણ થયા કરે છે, એ કેમ ટળે? ભગવાન મહાવીરે પહેલે એ લક્ષ લીધે. બધુંય છેડીને એક આ કામ લીધું. ફરી જન્મવું ન પડે એને માટે શું કરશું? એ શોધવા માટે બેઠા. કઈ ભૂલથી જન્મમરણ થાય છે? “યમ નિયમ સંયમ આપ કિયો”...પણ જન્મમરણ છુટયાં નહીં. તે ભૂલ ટાળવા માટે જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે. વૈરાગ્ય વધારે એવી વાત કરવી. પહેલી વાત એ જ કરવાની છે. મોટામાં મોટી ભૂલ મુમુક્ષતા નથી તે છે. મેહના કામમાં મુઝાય, મીઠાશ ન લાગે તેને મુમુક્ષતા છે. ઘણુ ભગવાનને ઉપદેશ સાંભળી ઝટ સાધુ થઈ જતા, પણ પછી પાળી ન શકે, એ માટે ભગવાન વારંવાર ત્યાગવૈરાગ્યને ઉપદેશ કરતા હતા. સુખ આત્મામાં છે, બીજામાં નથી. બીજું બધું કલ્પિત છે. કૃપાળુદેવ લખે છે કે “કલ્પિતનું આટલું બધું માહાઓ શું?” (૫૭૬) આત્માના કામમાં જે વસ્તુ ન આવે તે બધી કલિપત છે. મુમુક્ષુતા, ત્યાગ, વૈરાગ્ય, ઉપામ આવે તે પોતાના દોષો દેખાય, નહીં તે પિતાના દે હોય તે પણ ગુણે જ દેખ છે. મૂળ ભૂલ એ જ છે કે વૈરાગ્ય ઉપશમ નથી. મુમુક્ષતા નથી. મુમુક્ષતા આવે તે શું કરવા જેવું છે, તે એને સમજાય. એ મોટી ભૂલ પહેલી કાઢવાની છે. વૈરાગ્ય ઉપશમ જેમ જેમ વધારશે તેમ તેમ બધું સમજાશે. એ કેવળજ્ઞાનનું કારણ છે. વૈરાગ્યઉપશમની બહુ જરૂર છે. એને વધારતાં વધારતાં કેવળજ્ઞાન થાય છે. વૈરાગ્યઉપશમ વધે એવું શાસ્ત્રમાં ઘણું કહ્યું છે અને સિદ્ધાંતબોધ તે થોડે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org