SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ વચનામૃત-વિવેચન વચનમાં રહે તે કર્મ આવીને ચાલ્યાં જાય તેની એને ખબર ન પડે. “ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” (૧૫) જ્ઞાનીને પણ ઉદય આવે, પણ એમને ધીરજ રહે છે, તેથી અલગ રહે છે. ગજસુકુમારને માથે અંગારા મુકાયાનું કામ આવ્યું અને ધીરજ રાખી તે મેક્ષ પામ્યા. નામ કર્મને લઈને જેવું મેટું થયું હોય, ગમે તેવું વાંકુંચૂકું થયું હોય પણ જ્ઞાનધ્યાનથી એ મોઢું ફરી ન જાય. બીજા જ્ઞાનાવરણીય વગેરે કર્મોમાં ફેરફાર થાય છે. જ્ઞાન, ધ્યાન, તપ વગેરેથી કર્મોને વહેલાં ઉદયમાં લાવી ભોગવી લેવાય. તેના રસ, સ્થિતિ બધું ઓછું થઈ જાય. શ્રેણિમાં એવું જ થાય છે. બધાં કર્મોને ગેટ વાળી બાળી નાખે છે. જ્ઞાન, ધ્યાન અગ્નિ જેવા છે. એથી બધાં કર્મોને ક્ષય થાય છે. જ્ઞાનીને ગરીબાઈ હોય તેથી “ રિદ્ધિસિદ્ધિ પ્રગટી છે તો ગરીબાઈ મટાડી ધનવાન થઈ જઈએ” એમ કરતા નથી. સનત કુમારને સળ મોટા રોગ હતા, તે સાતસો વર્ષ સુધી રહ્યા. એમને રિદ્ધિસિદ્ધિ પ્રગટી હતી પણ “મટાડી દઉં' એમ ન કર્યું. જ્યારે સાત વર્ષ પૂરાં થયાં ત્યારે પ્રસંગવશાત્ મટાડયું. શ્રી પાળ રાજાને કઢનો રોગ હતો તે ભેગવ પડ્યો. જોગવીને કમ દૂર થાય છે. “થાય ભેગથી દૂર.” ભગવાય તેટલું દૂર થાય છે. અજ્ઞાની જીવ પિતાને જ્ઞાની માનતે હેય ને ભેગવવા ન ઈચ્છે, તે પણ ભોગવ્યા વિના છૂટકો નથી. વગર ભગવે જે જતું રહેતું હોય તે પછી કર્મને કાયદે પણ ન રહે. કેવળજ્ઞાન પ્રગટવાનું પણ ન થાય. એમને વેદના હોય તે મટી જાય તે સારું, એમ થતું નથી. શાતા-અશાતા બેય સરખાં લાગે છે. જ્ઞાનીને દેહાધ્યાસ મટયો છે, તેથી શાતા-અશાતા અઘાતી કર્મ મટાડવાની ઈચ્છા થતી નથી. કદાચ એવી ઈચ્છા થાય તે ખેદ થાય કે હજુ દેહાધ્યાસ છે. કર્મ જે બાંધ્યા છે તે વેદ્યા વિના છૂટકે નથી. તેથી જ્ઞાનીને રિદ્ધિસિદ્ધિ ફેરવવાની ઈચ્છા જ થતી નથી, કમ ભગવ્યા વિના છૂટકો નથી, પણ આકાર ફેરથી કમ વેદી શકાય છે. અમુક સ્થિરતા થવાથી કમ જે શિથિલ હોય તે મંદ થાય છે. કર્મની વિચિત્રતા છે. ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” - રિદ્ધિસિદ્ધિમાં કંઈ ચિત્ત દેવા જેવું નથી. કમને તે કાયદે ફરતે નથી. રિદ્ધિસિદ્ધિની વાતમાં ચિત્ત દે તે આત્માનું વિસ્મરણ થાય. એવા વિચારોમાં ચિત્ત ન દેવું. જીવને વિકપ તે ઘણું આવે છે, તે ઉકલે તે ઉકેલી લેવા, નહીં તે પડી મૂકવા. આગળ જેમ જેમ દશા વધશે તેમ તેમ ઉકેલ આવશે. એ વાતે ગૌણ કરી આત્માને વિકાસ કરવાનું કરે તો એના ઉત્તર સહેજે આવશે. - વિવેકાનંદના જીવનમાં આવે છે કે વિવેકાનંદ હિમાલય પર્વત ઉપર રહેતા ત્યારે ત્યાં ફરવા જતા. ત્યાં ભીલ લેકો લેખંડના કુહાડા અગ્નિમાં લાલચોળ તપાવીને પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy