SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત જે કે અત્યારે આત્મામાં કેવળજ્ઞાન વ્યક્તિરૂપે પ્રગટ થયું નથી તે પણ શ્રતકેવલી જેમ શ્રાદ્વારા કેવળીને જણાય તે સર્વ જાણી શકે છે, તેવી રીતે પુરુષના વચનરૂપ શ્રતના વિચારથી “મારા આત્મામાં કેવળજ્ઞાન શક્તિપણે છે, એમ સ્પષ્ટ જણાય છે. સમકિત થતાં શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપની જ છે ત્યાં કેવળજ્ઞાન અંશે પ્રગટ થયું છે. “ સર્વ ગુણાંશ તે સમ્યકત્વ.” આત્માને સમકિત ગુણ પ્રગટ થયે તે ગુણ આત્માના અનંત ગુણેને એક સર પ્રકાશનારો છે તેથી તે દ્વારા અંશે બધા ગુરુ પ્રગટ થયા તેથી શ્રદ્ધાપણે કેવલજ્ઞાન પણ થયું છે. શુદ્ધ સ્વરૂપને અનુભવ થયા પછી તેનાં જ વિચાર આવ્યા કરે. કઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય તે મળે તે જીવને તેના જ વિચાર આવ્યા કરે. તેને લક્ષીને બધું પ્રવર્તન કરે, તેમ અહીં કેવલજ્ઞાનની પ્રાપ્તિ શ્રદ્ધાપણે થઈ તેથી હવે તે જ સ્વરૂપને વિચાર કરે. ઈચ્છા પણ તેની જ સતત રહ્યા કરે. સમ્યફલ્વીને સંસારની કંઈ ઈચ્છા ન હોય; એક શુદ્ધાત્માનો વિચાર અને તેની જ ઈછા હોય. શુદ્ધ નિશ્ચયનયથી તે સર્વ આત્મામાં કેવળજ્ઞાન છે. આમ જુદી જુદી રીતે કેવળજ્ઞાનની ભાવના થતાં પરિ. થામે બધા દુઃખનો અંત થઈ આત્માને અનંત અવિનાશી શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, તે જે પુરુષના વચનથી છવ ક્ષણવારમાં પામવા યોગ્ય થયે-જે પુરુષના વચન બળથી સમકિત થઈ કેવળજ્ઞાનને પામવા યોગ્ય જીવ થયે એવા પરમ પૂજ્ય પુરુષના અનુપમ ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ વારંવાર નમસકાર હે ! નમસ્કાર હે ! [વ. ૪૯૪] ૧૬૦ શ્રી. રાવ આ૦ અગાસ, આસો સુદ ૫, ૨૦૦૯ કૃપાળુદેવને ઉપાધિ ઓછી છે તેથી હવે લખે છે. . જીવ કર્મ એવાં બાધે છે કે કેટલાંક શિથિલ હોય તે છૂટી જાય અને કેટલાંક ગાઢ હોય તે ભગવ્યે જ છૂટે. મંદ ભાવથી બંધાયેલાં કર્મ જ્ઞાનધ્યાનથી છૂટી જાય છે. અને જે તીવ્ર રસે બંધાયાં હોય તે તપ વગેરેથી પણ સાવ નિર્મૂળ ન થાય. કેટલાંક કર્મ એવાં છે કે જેની સ્થિતિ જેટલી બાંધી હેય તે ઓછી ન થાય. મુખ્ય બે પ્રકારનાં કમ છે-એક ઘાતી અને બીજું અઘાતી. કેવળજ્ઞાન થયા પછી પણ આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચા૨ અઘાતી કર્મ ભેગવવાં પડે. શ્રેણી માંડે ત્યારે ઘણાં કર્મ છૂટી જાય છે. મુખ્ય તે મેહનીય છે, એ જાય પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ક્ષય થાય છે. પછી ચાર અઘાતી રહે છે. દેહભાવ છૂટી ગયો છે તેમ છતાં કેવળીને દેહ રહે છે તેનું કારણ પૂર્વકમ છે. આયુષ્ય હોય ત્યાં સુધી દેહમાં રહેવું પડે. ઋષભદેવે અંતરાયકર્મ બાંધ્યું હતું તેથી બાર મહિના આહાર ન મળે. જ્ઞાની પુરુષને પણ અંતરાય ક્રમ હોય તે ભેગવવાં પડે. કર્મ કેટલાંક લે ગયે છૂટે અને કેટલાંક જ્ઞાન ધ્યાનથી છૂટે. ભગવનારની વૃત્તિ જ્ઞાનધાનમાં હોય તે કર્મ આવીને ચાલ્યાં જાય. અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ. આ વખતે આઠેય કમને ઉદય છે, પણ એની વૃત્તિ જ્ઞાનીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy