SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત વિવેચન જેમકે કૂતરાના માથામાં કીડા પડ્યા હતા, તે તેણે કુમાર્ગે વાળેલા શિષ્ય હતા, તે ગંગાના પાણી માં ધોવાથી પાપ રહિત થયા, પણ કુતરો પાપરહિત ન થયે. પુરુષે સદગુરુની ભક્તિ બતાવી તે ભક્તિ આત્માના પરમ હિતનું કારણ છે માટે તેને જરા વાર ન છેડે. આ દિવસ ને રાત ભક્તિ કરે. તે ભક્તિમાં વર્તવાથી કંઈ પણ કરતાં સપુરુષ કેમ વર્તે છે તેને લક્ષ રહે. કંઈ પણ કરતાં પુરુષને લક્ષ આત્મા પ્રત્યે જ હેય છે. “નિરાબાધપણે જેની મને વૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલપની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુરો જેને ફૂટવ્યા છે, કલેશનાં કારણે જેમણે નિમ્ન કર્યા છે (ગમે તેવા પ્રસંગમાં બેટું ન લાગે એવી સમજ દઢ કરી છે), અનેકાંત દષ્ટિયુક્ત એકાંત દષ્ટિને જે સેવ્યા કરે છે (સર્વ વખતે એ એ એ એજ), જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તે. આપણે તેવા થવાનો પ્રયત્ન કર જોઈએ.” સપુરુષ પિતાને ઉપગ આમા પ્રત્યે જ રાખે છે “દેહથી ભિન્ન આત્મા છું* એ ભૂલતા નથી. આપણે દેહાદિમાં એકાકાર થઈએ છીએ તેમ તેઓ નથી થતાં. નિરંતર ભેદજ્ઞાન છે. આવી તેમના આત્માની ચેષ્ટા પર પ્રેમ ભક્તિ જાગતાં તેને જ મરે, તેને જ છે, તેનું જ ધ્યાન કરે તે પિતામાં પણ અપૂર્વ ગુણ એટલે સમકિત-આત્માને અનુભવ દષ્ટિગોચર થાય, અને તેને અદ્દભુત આનંદ સમજાતાં પણ બીજું બીજું સ્વચ્છેદે કરતો હતો તે સર્વથી પાછા વળે. આત્મસુખ મેળવવા પ્રયત્ન કરે. પરમાં વૃત્તિ જતી શેકીને આત્મામાં લીન થાય. આત્મામાં આત્માનાં અનુભવની લય લાગી જાય તે પછી વચ્છ અવિચારીપણે જે વર્તન થતું હતું તે આપોઆપ છૂટી જાય. પુરુષની ભક્તિથી સપુરુષની આજ્ઞાએ વર્તાય. દરેક કાર્યમાં સત્પરુષ કેમ વર્તે ? તેમને હું કેમ વતું તે ચે? એમ વિચારી આત્માની પરિણતિ તે મુજબ કરે તેથી સ્વચ્છેદ શેકાય. અને સપુરુષને તે આત્મામાં રહેવું પ્રિય છે, એ સમજાતાં સહેજે આત્મબંધ થાય. ભક્તિથી આત્માનુભવમાં સહેજે સ્થિતિ થાય છે. માટે પુરુષની ભક્તિ એ શિષ્યને પરમ ઉપકારી છે. એમાં પુરુષને સ્વાર્થ નથી પણ સાચા પુરુષની ભક્તિ છે તે ભક્તને કલ્યાણ, મોક્ષ આપનારી છે. સપુરુષને નમસ્કાર પ્રથમ તેમને ઉપકાર વિચારીને કર્યા પછી તે અપૂર્વ ઉપકાર કંઈ પણ બદલાની ઈચ્છા વિના કર્યો તે વિચારી નમસ્કાર કહ્યા, પછી પુરુષોએ મોક્ષને આપનારી સદ્દગુરુની ભક્તિ આપી તેથી ઉપકાર માન્ય અને છેવટે આત્માનું અદ્ભુત કેવલજ્ઞાનસ્વરૂપ જેના વેગે પ્રાપ્ત થવાનું છે તેના અતિ ઉલલાસભાવે સહુને નમસ્કાર કર્યા છે તે ઉત્તમ કળશરૂપ છે. [ જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયે, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હે ! નમસ્કાર હો !]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy