________________
બધામૃત અમર અવિનાશી છે. વળી પિતાને દેહરૂપ માનીને બધી પરવસ્તુમાં મારું તારું માની રહ્યો છે. આવું જે અજ્ઞાન તે દૂર કરવા જ્ઞાની પુરુષોએ આ છ પદને ઉપદેશ પ્રકા છે. આખું જગત જુઓ તે પરને પિતે માનવારૂપ અહંભાવ અને પર વસ્તુમાં મારાપણું કરવારૂપ મમત્વભાવમાં પડયું છે. આ જે અનાદિકાળને મોહ, મિથ્યાત્વ, તે દૂર કરવા જ્ઞાની પુરુષે છ પદ સમજાવ્યાં છે. હવે પરમાં પોતે માનવારૂપ સ્વપ્નદશા છે તેમાંથી જીવ પાછું વળીને પોતાનું સ્વરૂપ વિચારે; પરમાં પરિણમી રહ્યો છે તેને બદલે પરથી જુદું એવું પિતાનું આત્મસ્વરૂપ છે એમાં પરિણમે છે તે તરત જ આત્મભાનમાં આવી સમ્યફદર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્ત્વ થવાથી કમરને ક્ષય કરતાં કરતાં પિતાનું શુદ્ધ આત્મસ્વરૂપ એ જે મક્ષ તેને મેળવે. પિતાનું સ્વરૂપ પરથી જુદું જાણ્યું પછી પરપદાર્થને નિમિત્ત તેને હર્ષ, શેક, સંગ, એકતા, પર તે હું એમ ન થાય. દેહાદિ પર પદાર્થો વિનાશી, અશુદ્ધ અને આત્માથી જુદા અન્ય છે, તે રૂપ પિતાને ન માને. પોતાનું સ્વરૂપ તે તેથી ઉલટું શુ, પિતાથી જ સંપૂર્ણ છે. તેને કેઈની જરૂર નથી. વળી તે અવિનાશી છે. અને તે પરમ આનંદરૂપ છે, તે તેને મિથ્યાત્વદશાની ૭ પ્રકૃતિરૂપ અંતરપટ છેદાવાથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. પછી તેને પિતાની ભૂલ સમજાય છે કે આત્મા સિવાય બીજે બધે જે એકતા કરી હતી તે અધ્યાસ (બ્રાંતિ)થી ભૂલ થઈ હતી. અશિ+ જે સ્થળે બેસે તે પિતાની જગ્યા અથવા તે રૂપ હું છું એમ થઈ જાય છે, તેવી રીતે અનાદિકાળથી દેહમાં વસવાથી દેહને જ આત્મા માન્ય અથવા રાગાદિ વિભાવેને આત્મા માન્ય છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે દઢતા બતાવે છે. અભ્યાસ તે કવચિત ભૂલી પણ જવાય પણ અધ્યાસ તે ઊંઘમાં પણ ન ભૂલે. તે જ્યારે આત્માને સાક્ષાત્કાર થાય ને આનંદ અનુભવે ત્યારે આત્માને સર્વ વિભાવ પર્યાયેથી સર્વથા ભિન્ન જાણે, બેમાં એકતા કરવાની ભૂલ ન કરે. જાણે બે વચ્ચે વજની ભીત હોય તેમ ચેતનને જડથી ભિન્ન જ માને. સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરાક્ષ એ એક એકથી વિશેષ શુદ્ધતા સૂચવે છે. અપરાક્ષમાં તો નિર્વિકલ્પ સમાધિ છે. ત્યાં કંઈ જ વિકલ્પ નથી રહેત, સમકિત ઉપયોગની સંપૂર્ણ સ્થિરતારૂપે હોય છે. જ્યારે ઉપગ આત્મામાં ન રહે અને લબ્ધિરૂપ સમ્યક્ત્વ હોય ત્યારે પણ વિનાશી અને આત્માથી પર એવા પદાર્થોમાં તેને ઈષ્ટ અનિષ્ટપણાથી એકાકારપણું થાય નહિ, કારણ કે જન્મ જરા મરણ રેગ વગેરે દુઃખથી રહિત એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ કે જેના સુખ આગળ સર્વ વસ્તુઓ તુચ્છ લાગે છે તે પ્રાપ્ત થયું છે. જેના વિના અનાદિકાળથી ભયે અને જે મળવાથી હવે અનંતકાળ સુખી રહેવાશે એવી આત્માની અનંત સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેથી કૃતાર્થતા લાગે છે, કે મારે કરવાનું હતું તે કરી શક્યો. મનુષ્ય-જન્મમાં મેળવવા યોગ્ય એક સમ્યક્ત્વ છે તે કરી લીધું.
[ જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. ]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org