SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન તેમનાં વચનો વિચારતાં સુગમપણે આત્મભાવના કરી શકાય છે. માનાદિ શત્રુઓનો નાશ કરી શકાય છે. “ભક્તિ આદિ ” સાધન કયાં, તેમાં વિનય, દાન, તપ વગેરે અનેક સાધન આત્માને કર્મક્ષય કરવા જ્ઞાન પમાડવા ખપનાં છે. શરૂઆતમાં સમતિ થવામાં જીવને ભિન્ન ભિન્ન સાધન વિશેષ હિતકારી થાય છે, પરંતુ આગળ વધતાં કર્મક્ષયને માર્ગ બધા જીવો માટે વધારે સરખો થતો જાય છે. તે સમ્યકજ્ઞાન દર્શન અને ચારિત્ર અથવા સંયમ એ ઉપાયે વડે કમને સંવર ને નિજર થઈ સંપૂર્ણ કર્મક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. [ શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે પ્રમાણુ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણવા યોગ્ય છે. તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ્ધ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમપુરુષ નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. ] સમ્યક્દર્શનના હેતુ આ છ પદ સંક્ષેપમાં કહાં, તે જે પૂર્વના આરાધક, સમીપમુક્તિગામી-કર્મથી અ૫ કાળમાં છૂટનારા છે, એવા હળુકમી ને સ્વાભાવિકપણે જ સાચાં મનાય છે. સાંભળે ને વિચારે તેમ તે બધી રીતે ન્યાયયુક્ત લાગે અથવા સમીપમુક્તિગામીને તેના વિચારમાં ઊંડા ઉતરતાં આત્માને સાક્ષાત્કાર થઈ તે અનુભવસિદ્ધ સપ્રમાણ થાય. ટૂંકામાં છ પદ સાંભળતાં તે પર વિસ્તારથી વિચાર કરે તેને આત્મા ને અનાત્માનો ભેદ સમજાય એ વિવેક થાય છે. આ છ પદની સત્યતા વિષે જરા પણ શંકાને સ્થાન નથી એમ ભગવાને કહ્યું છે. આ છ પદનું વિવેચન સંસારમાં ભૂલા પડેલા અજ્ઞાની જીવને પિતાના સ્વરૂપનું ભાન થાય, આત્મસ્વરૂપ સમજાય તે અથે છે. [ અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય; સમ્યફદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણું જ છે. એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કતાર્થ થાય છે. ] શાથી સમજાયું નથી? અનાદિકાળથી મિથ્યાત્વરૂપ સ્વMદશાથી જીવને પરને પિતે માનવારૂપ અહંભાવ થયો છે. હું દેહ, કાક, મામે, વાણી, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી વગેરે અનેક રૂપે માને છે; પણ પિતે તે એ દેહના ધમથી ભિન્ન જ્ઞાનદર્શનસુખરવરૂપ અજર ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy