SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ બધામૃત એકાગ્રતા થતાં આત્મામાં જોડાય. મુખપાઠ ફેરવવામાં એ જ લક્ષ જોઈએ. પ્રભુશ્રીજી કહેતા કે “પાનું ફરે ને સોનું ઝરે.” કૃપાળુદેવ એક જ ગાથા કલાક બે કલાક સુધી બોલતા. (૪) અનુપ્રેક્ષા એટલે અર્થ વિચાર, ભાવના કરવી, (૫) ધર્મકથા એટલે કંઈ વિચાર આવ્યો હોય તે વ્યવસ્થિત રીતે કહી બતાવે તે–વ્યાખ્યાન, ચર્ચા. એમ ધર્મકથા કરવાથી વિશેષ વિચાર કરવો પડે છે અને કદી ભુલાય નહિ એવી સજજડ છાપ બેસે છે વ્યાખ્યાન કરનારને ધર્મકથા આત્માના લક્ષે કરે તે સ્વહિતાર્થે છે. સાંભળનારને તે વાચનારૂપે થાય છે આ સ્વાધ્યાયના ભેદે કહ્યા. જ્ઞાનના ભેદે મતિ શ્રત અવધિ મન:પર્યાય ને કેવળ એમ મુખ્ય પાંચ છે તે આત્મજ્ઞાન સહિત છે. તેમાં ઉપયોગ જેડ. અભણજ્ઞાને પગ એટલે નિરંતર સ્વધ્યાય અને જ્ઞાન ધ્યાનમાં વર્તવું તે સંવરનું મુખ્ય સાધન છે. | દર્શન એટલે શ્રદ્ધા; દેવગુરુધર્મની શ્રદ્ધા. ગુરુ પર શ્રદ્ધા હોવાથી તેમની આજ્ઞા માન્ય થાય. આત્માની શ્રદ્ધા દઢ કરી લેવી. છ પદ વિચારી દઢ શ્રદ્ધા કરવી. નવતત્વ સમજવાં, જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દેઢ તેટલા પ્રમાણમાં વીર્ય સ્કુરે છે. “રુચિ અનુયાયી વીય ચરણ ધારા સ” રુચિ હોય તેટલું વીર્ય સ્કુરે અને તેટલા પ્રમાણમાં ચારિત્ર અથવા આત્મામાં સ્થિરતા કરી શકે. - સમાધિ “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” “સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરૂપ પરમાત્કૃષ્ટ શાંતિ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સત્પરુષને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચેતન્ય સ્વરૂપ પરમ શાંત ચિતન્ય હું માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.” (૮૩૩). ઉપશમ વૈરાગ્ય–જ્યાં કષાય ક્લેશ નથી તે ઉપશમ અને ગૃહકુટુંબ આદિમાં આસક્તિ ન કરે તે વૈરાગ્ય. અન્યત્વ ભાવના ભાવવાથી વૈરાગ્ય દઢ થાય છે. ભક્તિ–મેક્ષ માટે જ્ઞાનમાર્ગ ને ભક્તિમાર્ગ એમ બે માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં જે જ્ઞાન પ્રગટ છે તેમાં એકાગ્ર થતાં સમકિત પ્રગટાવે પછી સમ્યકજ્ઞાનથી આરાધના કરતાં કરતાં, તેમાં જ સ્થિર થતાં કર્મક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટ કરે છે. આ માર્ગ બહુ વિકટ છે. કેઈક તીર્થકર જેવા બળવાન પુરુષ એ દ્વારા કર્મક્ષય કરી શકે. મોહ બહુ બળવાન છે. તે ઉદય આવીને આત્માને રાગદ્વેષ કરાતી વિષયભોગમાં આસક્ત કરી સમકિતથી પાડી દે છે. વળી સમકિત થવામાં તે પ્રથમ સપુરુષના અવલંબને જ બળ આવે છે. જે બળવાન પુરુષો વર્તમાન જન્મમાં નિરાલંબપણે સમકિત પ્રગટ કરે છે તેઓએ પણ પૂર્વ જમમાં પુરુષની આરાધના કરી હોય છે. તેથી સમકિત થવામાં પુરુષ જ્ઞાની ગુરુનું અવલંબન બળ આપનારું છે અને ઠેઠ કેવલજ્ઞાન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીનું અવલંબન સામાન્ય બળવાળા જેને જરૂરનું છે. જ્ઞાનીની આરાધના કરતાં, તેમની આજ્ઞાએ ચાલતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy