SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ બધામૃત ચોથું પદ આત્મા જોક્તા છે –બધા પદાર્થને અર્થ ક્રિયા હોય છે, તેનું ફળ પણ આવે છે પરંતુ તે ફળથી સુખદુઃખ અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે તેથી તે ભક્તા છે. વિષ, અમૃત, અગ્નિ, હિમ વગેરેમાં જે વિશિષ્ટ ગુણો છે તેને સંબંધ થતાં, આત્મા તે ગુણેને અનુભવવારૂપ ફળ પામે છે. લેહચુંબકથી જેમ સેય આકર્ષાઈ આવે છે તેમ તીવ્ર કે મંદ કષાય સહિત આત્મા પરિણમે છે તે કર્મ બંધ થાય છે અને કષાયરહિતપણે પરિણમે તે કર્મ બંધાતાં નથી. જીવ જે કર્મ બાંધે તે સંસારનાં સુખદુઃખરૂપ ફળ પામે છે અને કર્મ ન બાંધે તે બંધરહિત આત્માનું સહજ સુખ ભોગવવારૂપ મેક્ષ–ફળ પામે છે. પરમાર્થથો સ્વભાવપરિણતિએ આત્મા નિજ સ્વરૂપને ભક્તા છે; અને અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્યકર્મના ફળને ભક્તા છે. પાંચમું પદ : [મક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું', કર્તાપણું હેવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટાળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કપાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીરુ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂ૫ મોક્ષપદ છે. ] પાંચમું પદ મોક્ષપદ છે –છ પદમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણાની અપેક્ષાથી કહ્યું છે. પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. આત્માના વિભાવ પરિણમનથી–મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, વેગથી–અથવા રાગ, દ્વિષ રૂપ કષાયથી–જીવ કમ બધે છે અને બાંધેલાં કમ કાળ પાક રસ આપે ત્યારે સુખદુખ વેદાય તેથી જીવને કમને કર્તા ને ભક્તા કહ્યો છે. એ રીતે અનાદિ કાળથી તે કર્મનો વ્યવસાયી છે. સદ્દગુરુ કહે છે કે તે કમ ટાળી શકાય છે અને વિચાર કરીએ તે સપષ્ટ ખાત્રી થાય. કષાયને લઈને બંધ પડે છે. નિમિત્ત મળતાં ક્રોધ, કામ, લેભ આદિ કરવાને ખૂબ અભ્યાસ છે, તે અભ્યાસ છોડી દે એટલે કે તેવા નિમિત્તમાં આત્માનું બળ વાપરી ક્ષમાદિ ધારણ કરે, ક્રોધાદિ ભાવને ભૂલવા સ્વાધ્યાયાદિમાં મનને રોકે, પૂવે કષાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે અને વર્તમાન કષાય રહિત વતે. કેઈ દુષ્ટ માણસનો પરિચય થઈ ગયા પછી અપરિચય કર હોય તે સામે મળે છતાં એાળખતાં નથી એમ વર્તે, વિસ્મૃતિ કરે તેવી રીતે. એમ અભ્યાસ કરતાં બુદ્ધિપૂર્વક કપાયરહિતપણે આત્મસ્વરૂપમાં રહેવાય તે ઉપશમ થાય. એટલે અમુક વખત કષાયના ઉદયમાં તણાય નહિ. એમ અપ્રમત્ત દશાથી આત્માનું બળ વધતું જાય ત્યારે એક વખત પૂરતું બળ કરી શ્રેણી માં ને તે કષાયોને મૂળમાંથી ઉખેડી નાખે-સત્તામાંથી જ ક્ષય કરી નાખે ત્યારે તે હમેશને માટે છૂટી જાય. એમ પ્રથમ અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યા ખ્યાનાવરણ અને છેવટે સંજવલન કષાયાને ક્ષય કરે ત્યારે મોક્ષ થાય. આત્માનું કર્મ – કન્તભક્તાપણું છે અને તેની શક્તિઓ વધતી વધતી પૂર્ણતાને પામે. ક્રોધાદિ ઘટાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy