SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૫૭ જીવની મૂઢતા છે” (૧૧૦). “જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચિતન્ય નિજઅનુભવપ્રમાણુસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.” (૮૩૩). આત્મા નિત્ય છે તેને દઢ લક્ષ થાય તે “અબ હમ અમર ભયે ન મરેંગે ” એમ આનંદઘનજી મહારાજે ગાયું છે એ અનુભવ થાય. ત્રીજું પદ: [ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવે છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે, અનુપચરિત (અનુભવમાં આવવાગ્ય-વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મ કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. ] ત્રીજું પદ આત્મા કર્તા છે –સર્વ પદાર્થને પિતાનું કાર્ય એટલે અર્થ ક્રિયા છે. કિયા બે પ્રકારે–૧. માત્ર પિતારૂપ પરિણમનરૂપ ૨. પરિન્દ એટલે હલનચલનરૂપ. છએ દ્રવ્ય સમયે સમયે પરિણમવારૂપ ક્રિયા કરી રહ્યાં છે. પુદ્ગલ ને જીવને બંને ક્રિયા છે. ચેતનનું ક્રિયારૂપે પ્રવર્તન થાય છે તે શ્રી જિને ત્રણ પ્રકારે બતાવ્યું છે– (૧) શુદ્ધ નિશ્ચયનય વિભાવ પરિણમનને લક્ષમાં લેતા નથી. શુદ્ધ દ્રવ્યની પરિણતિને જ લક્ષમાં લે છે, તેથી સવભાવ પરિણમનથી પિતાના ચેતન ગુપણે જ આત્મા પરિણમે છે અને ચેતન સ્વભાવને જ કર્તા થાય છે. (૨) ચેતનનું જ વિભાવ૫ણે પરિણમન થાય છે ત્યારે અનુ પચરિત એટલે અનુભવમાં આવવા લાગ્યું અત્યંત નિકટ સંબંધવાળાં કર્મના સંબંધરૂપ વ્યવહારનયથી આઠ કમને આત્મા કર્તા કહેવાય છે. ખરી રીતે વિભાવ પરિણામને નિમિત્ત કર્મ પુદ્ગલ ગ્રહણ થઈ પુણ્ય પાપ બંધાય છે, તે દ્રવ્યકમને કર્તા આત્મા (અસદભૂત અનુપચરિત વ્યવહારનયથી) સંબંધને લઈને કહેવાય છે. તે દ્રવ્યકર્મ જે કે સૂક્ષ્મ છે તેથી જોવામાં આવતાં નથી પરંતુ આત્માને જનમ-મરણ, સુખ-દુઃખનાં કારણ હોવાથી મહત્વનાં છે. (૩) પુદ્ગલ પદાર્થોમાં ફેરફાર કરવારૂપ, ઘર, નગર ઈત્યાદિ અનેક કાર્ય જીવ કરે છે, તે આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટ ભિન્ન છે તેથી પુદ્ગલ કિયા. એને આત્મામાં આરેપ કરવારૂપ ઉપચારથી પુદ્ગલ પદાર્થોને તે કર્તા છે. ચોથું પદ : [ આત્મા ભક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy