SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ બધામૃત અજીવ. અજીવ પાંચ છે–પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાંથી અહીં પુદ્ગલના દાતા તરીકે ઘટ ને પટ કહ્યાં છે. ઘડો કે વસ્ત્ર અજીવ છે પણ તેને જાણનાર જેનાર બીજો પદાર્થ પણ છે તે જીવ છે. વળી જેમ ઘડા પર ગરણું વિટયું હોય તેને જેનાર આત્મા જ છે, તેમ ઘટ એટલે દેહ તે ૫ટ એટલે વસ્ત્ર સહિત છે તેમાં આત્મા રહ્યો છે. એમ દેહ અથવા પુદ્ગલ અને આત્મા બે ભિન્ન પદાર્થ છે તે બતાવ્યું. દેહ વસ્ત્ર વગેરે બધા જડ પદાર્થો તેના ગુણે રૂ૫ રસ ગંધ સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. ગુણે ન હોય તે ગુણ ન જણાય તેવી રીતે આત્મા પણ તેના ગુણેથી જણાય છે. જે ઘટપટાદિને જાણે છે અને પિતાના આત્મસ્વરૂપને પણ અનુભવથી જાણે છે તે આત્મા છે અથવા ચૈતન્ય સત્તા (હોવાપણું), જીવ છે એમ કહેવાય છે, “હું છું” એમ જણાય છે, તે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ–આત્મા પણ છે એમ દરેક રીતે પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન–જાણવું, દશન–જોવું, સુખદુખનું વેદવું વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આમાં છે. સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય છે, પરપ્રકાશકતાથી અનુમાની શકાય છે, સાબીત થાય છે. સ્વપરપ્રકાશકગુણ પ્રત્યક્ષ છે તે આત્માનું લક્ષણ છે. બીજું પદ :– [ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવર્તિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હેય નહીં. ] બીજું પદ આત્મા નિત્ય છે –ઘટપટ આદિ જડ પુદ્ગલ પરમાણુઓના સંગએકત્ર-થવાથી બને છે. તે છૂટાં પડે ત્યારે તે પદાર્થો નાશ થયેલા મનાય છે, આત્મા કેઈ એવાં પુદ્ગલ મળવાથી કે આકાશાદિ અન્ય દ્રવ્યના મળવાથી ઉત્પન્ન થયો નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. જેમ રસાયણશાસ્ત્રમાં હાઈડ્રોજન, નાઈટ્રોજન વગેરે મેળવીને કોઈ ન પદાર્થ બનાવે છે તેમ આત્મા કંઈ બનાવી શકાયું નથી, એમ જે આત્મા બનતો હોત તે તે બજારમાં વેચાતે મળી શકત, ભવિષ્યમાં પણ કઈ એવી રીતે આત્મા ઉપજાવે એ શક્ય નથી. ત્રણે કાળે તે ઉત્પન્ન ન કરી શકાય એવો છે તેથી અનુત્પન્ન છે. અને જે અનુત્પન્ન હોય તે અવિનાશી ૫૬ હોય છે. કેમકે કોઈ પદાર્થોની મેળવણીથી બન્યો હોય તે તે પદાર્થો છૂટા પડતાં તેને નાશ થાય. જેમકે સેનું ઘસતાં ઘસાતાં અમુક કાળે માટીરૂપ બની નાશ પામે છે. પરંતુ આત્મા અનંત કાળથી જન્મમરણના દુઃખો વેદતો સંસારમાં ફરે છે છતાં તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટે પડતું નથી. તે કેલ્કી સંપૂર્ણપણે પિતાના સ્વરૂપે અખંડિત રહ્યા છે, રહે છે અને રહેશે. ત્રણે કાળ તેનું તેમજ હેવાપણું છે તેથી નિત્ય છે. અનુત્પન્ન એ આ જીવ તેને પુત્રપણે ગણવે કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy