________________
૧૫૪
થામૃત
કેવળજ્ઞાન પામી સુખી થાય છે. ગજસુકુમારને માથે અંગારા મૂક્યા તે વખતે કવળજ્ઞાન થયું. શરીર એ વેદનાની મૂર્તિ છે, અસાર છે, તેને અનુભવ દુઃખ આવે ત્યારે પિતાને થાય છે. જેને કર્મ અપાવવાં છે, તે તે ઉદીરણા કરીને ખપાવે છે. આયંબિલ, ઉપવાસ વગેર તપ કરીને કને દવા ઉદયમાં લાવી નાખે છે. તે એ સહેજે ઉદયમાં આવી દુઃખ આપે ત્યારે તે તેમાં સહજ સમભાવ રાખો. પ્રતિકૂળ પ્રસંગમાં જ્ઞાની કહે છે તેવા જ સંસાર લાગે. સહેજે વૈરાગ્ય થાય. આ સંસારને પરિચય અનાદિને છે અને એમાં સુખ મનાય છે. જ્ઞાની કહે છે કે આ સંસાર દુઃખને દરિયો છે, પણ એને સુખ લાગે છે. વેદના આવે ત્યારે દુઃખને દરિએ ખરેખરે છે, જ્ઞાની કહે છે એમ જ છે, એમ લાગે.
આત્માનું હિત કરનારા એવા અપૂર્વ પ્રશ્નો લખતા રહેશે. આત્માની વિચારણા હેય તે પ્રશ્ન ઊઠે.
જીવે નરકનાં કેટલાં દુઃખ ભોગવ્યાં છે! સનતકુમાર ૭૦૦ વર્ષ સુધી વેદના ભેગાવી. આ કાળનાં આયુષ્ય કેટલાં? થોડા વખત સુધી જ ભેગવવાનું છે, માટે મુઝાવું નહીં. એક વખત જે મુશ્કેલીમાં ટકી રહ્યો તે પછી બીજા દુઃખના પ્રસંગોમાં પણ ટકી રહે. મરણ વખતે સમતા રહે અને તેથી સમાધિમરણ થાય તે મોક્ષ દૂર નથી. સમતા એ જ મોક્ષે જવાનો માટે રસ્તે છે. ગજસુકુમારે સમતા જ રાખી હતી. સુખદુઃખ બેય સરખાં લાગે તે પછી એને રાગદ્વેષ થવાનું કારણ ન થાય. રાગદ્વેષ ન થાય તો કર્મ ન બંધાય, તેથી મોક્ષ થાય. સંસારમાં સુખ કે દુખ એક ધારાએ રહેતું નથી. ચિત્રવિચિત્ર છે. સંસારમાં સુખ તે છે નહીં પણ કલ્પના કરીને સુખ માને છે. કલ્પના કરે અને તે પ્રમાણે ન થાય ત્યારે જીવ દુઃખી થાય છે. વિચારવાન જીવને કેઈ લાખ રૂપીઆ કે રાજ્ય આપે તેય રાજી ન થાય અને લાખ પડાવી લે તેય દુઃખી ન થાય, કારણ કે એનું સુખ પરને આધીન નથી. “કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું?” (૫૭૬). જગતની કલ્પિત વસ્તુનું માહાન્ય આટલું બધું જીવને કેમ લાગે છે? જ્ઞાની એમ કહે છે કે જે થાય તે જોયા કરો. કલ્પના કરવી તે સારી કરવી. જેમ કે ગજસુકુમારે “એણે મને મોક્ષની પાઘડી બંધાવી” એમ માન્યું તે તેથી સારું થયું. જ્ઞાની પુરુષ કલપના કરે નહીં. જોયા જ કરે છે. વિચાર હોય તે જ્ઞાન થાય. એ જ્ઞાન સાચું હોય તે મોહને હણે. કોઈપણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી. કલ્પી કલ્પીને મારું તારું, સગાંવહાલાં ઊભાં કર્યા છે, જે વસ્તુ નથી તેને ઊભી કરે છે.
[વ. ૪૯૩]
૧૫૯ શ્રી. રા. આ. અગાસ, આ સુદ ૨, ૨૦૦૮ દેખાય છે તે બધું નાશવંત છે. આત્મા જાણવાથી કટિકમ નાશ થાય છે. છ પદમાં સમ્યગ્દર્શન રહેલું છે. છ પદની શ્રદ્ધા થઈ તે મેક્ષ થાય. સમ્યગ્દર્શન એ મોક્ષને પામે છે. તે તૂટી જાય તે મકાન પડી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org