SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૫૬ એમ થયા કરે છે. ગમે તેટલી અનુકૂળતા હોય પણ સત્સંગ વિના અમને ગમતું નથી. પૂર્વ ભવે સત્સંગ વિશેષ સે ને લાભ મેળવ્યો છે, તેથી સત્સંગ સાંભર સાંભર થાય છે. ઈચ્છા સત્સંગની નિરંતર રહે છે, પણ એને જોગ નથી. પૈસા જાય વગેરેને અમને ખેદ થતું નથી, પણ સત્સંગ નથી એને ખેદ રહે છે. આ જગતનાં સગાંવહાલાં બધાં અજાણ્યાં જેવાં લાગે છે. સત્સંગ વિના ચિત્ત બીજે ગઠતું નથી. કર્મબંધનથી આ બધા સંગમાં રહેવું પડે છે. એમાં આનંદ આવતું નથી. આત્મા ત્યાં આનંદમાં આવે કે જ્યાં જ્ઞાનીને સમાગમ, મુમુક્ષુને સમાગમ, માર્ગાનુસારીને સમાગમ હોય. તે જાણે ઘણા દિવસને પરિચિત હોય તેવું લાગે છે. સત્સંગ પ્રત્યે પ્રીતિ છે, તેથી તેનાં કારણ મળતાં ચિત્ત પ્રકુલિત થાય છે. જગતની કંઈ ઈચ્છા ઊગતી નથી. પાણીમાં જેમ કમળ રહે એમ નિલેપ રહે છે. તેમ છતાં કઈ માર્ગાનુસારી પુરુષ હોય તેમનું કલ્યાણ કરવાની ભાવના રહે છે. સત્સંગનું નિમિત્ત હોય ત્યાં આગળ ચિત્ત પ્રકુલિત હોય છે. જ્ઞાનીને સંગ તે પરમ સત્સંગ છે, સમાન વૃત્તિવાળાને સંગ તે પણ એક સત્સંગ છે અને પિતાથી નીચી દશાવાળા ને સંગ કે જે જીવે જ્ઞાનીનાં વચને વાંચતા વિચારતા હોય, તે પણ હિતકારી છે. પણ જ્યાં સંસારની વાત નીકળે તે કુસંગ છે. મોટામાં મોટે કુસંગ મિથ્યાગ્રહી સાધુસાધવીઓનો છે અથવા તે કુટુંબનાં કામ છે તે એવાં છે કે કરવાનું છે તે થાય નહીં. તે પણ એક પ્રકારનો કુસંગ છે. “ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ”(૭૮૧). એવી દશા મહાપુરુષને હોય છે. વર્તમાનમાં સીનેમા નાટક એ બધા કુસંગ છે. એવી ટેવ પડી જાય તો આત્માનું બધું ભૂલી જાય. ક્રોધાદિ એય કુસંગ છે. એ બધા કુસંગથી બચવાનું છે અને નિરંતર સત્સંગની ભાવના કરવી. મારું કલ્યાણ સત્સંગથી થશે એવી ભાવના કરવી. આ જીવને પોતાની માન્યતા મૂકી સત્સંગ વારંવાર થાય તે નિર્મળ ચિત્ત થાય અને એને આત્મા ધોવાઈ નિર્મળ થાય પછી દેહ છૂટી જાય તોય સત્સંગના સંસ્કાર સાથે લઈને જાય એવું થાય. પાકે રંગ ચઢે તે ઊતરે નહીં. વિ. ૪૯૨]. ૧૫૮ શ્રીરા. આ. અગાસ, આસો સુદ ૬, ૨૦૦૯ - મુમુક્ષુ જીવે વિચારણા જેવી કરવી જોઈએ, જ્ઞાનીની એજ જેવી કરવી જોઈએ, તેવી સંભાગભાઈને હતી અને બીજા મુમુક્ષુનું ક૯યાણ કેમ થાય? એની ભાવના એમને હતી. બધી અનુકૂળતા મળતી હોય, જે જોઈએ તે મળતું હોય તેવા વખતમાં વૈરાગ્ય થો મુશ્કેલ છે. કેઈક આરાધક પૂર્વને સંસ્કારી જીવ હોય તેને જ એવા વખતમાં વૈરાગ્ય રહે છે. માટે પ્રતિકૂળ પ્રસ ગે આવે તે સારા છે. તેવા પ્રસંગે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભતા છે, મક્ષ છે, મોક્ષને ઉપાય છે–એ છ પદની શ્રદ્ધા રહે અને એ તરફ એની વૃત્તિ રહે તે કેવળજ્ઞાન થાય, મોટા મુનિએ ઉપસર્ગરૂપ પ્રતિકૂળ પ્રસંગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy