SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૫૧ સહ આતમજ્ઞાન.” જ્ઞાનીની આજ્ઞામાં માર્ગ છે. વૈરાગ્યની સાથે જ્ઞાનીની દશા તરફ લક્ષ રહે તે કામ થાય. એવું સમજાય ક્યારે? તે કે વિશેષ પ્રજ્ઞા હેય તે. અસાર સંસારમાં રહેવું પડે છે, પ્રવૃત્તિ ગમતી નથી. આત્મા નિગ્રંથદશાને ગ્ય થયે છે, પણ પ્રવૃત્તિને ઉદય છે. જ્ઞાનીને પત્ર લખવાનું હોય ત્યારે કેટલે વિચાર કરવાને હોય છે! શાસ્ત્ર વગેરેનો વિચાર કરીને લખે, [વ. ૪૯૧] ૧૫૭ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૯ પૂજ્યશ્રી–ભગવાનના શબ્દ ઊંઘતા માણસને જાગૃત કરે તેવા છે. હે જી ! તમે બૂઝે એટલે સમજો. જીવને સ્વરૂપની સમજણ નથી. શું કરવું એની ખબર નથી. સંસા૨માં દુઃખ વેદે છે, પણ એ કેમ મટે? એવું થતું નથી. હું જાણું છું, જાણું છું, એમ દરેકને થાય છે, પણ જેમ જ્ઞાનીએ જાણ્યું તેમ જાણવું. જીવ મારું તારું કરે છે, પણ જ્ઞાની કહે છે કે તારી સાથે કંઈ ન આવે. સમ્યક પ્રકારે બૂઝે. આ મનુષ્યપણાની કિંમત નથી. શું કરવા જ તેની ખબર નથી. બીજી વસ્તુઓની કિંમત લાગે છે, પણ આ મનુષ્યભવ જાય છે તેની કિંમત નથી, મનુષ્યભવ કઈક વખતે મળે એવે છે. એ મળે દુર્લભ છે. લક્ષરાશીમાં ભટકતાં કેઈકવાર મનુષ્યભવ મળે છે. મનુષ્યભવમાં મોક્ષનું કામ થાય એવું છે. જ્ઞાનીએ ઘણે વિચાર કરી આ નિર્ણય કર્યો છે કે મનુષ્યભવ દુર્લભ છે. ખરી રીતે તે જ્ઞાની પુરુષ જ સમજ્યા છે. બીજાને મનુષ્યભવની કિંમત નથી. ક્ષણવારમાં કેટલાય કર્મ બંધાઈ જાય અને ક્ષણ વાર પણ જે પુરુષને સમાગમ થાય તે ભવસાગર તરી જાય, “ કાળમજ સનતંજત્તિ મતિ મવાળવતા નૌ ) ક્ષણે ક્ષણે મનુષ્ય મવા ચાલ્યા જાય છે. જોતજોતામાં મનુષ્યભવનાં કેટલાં બધાં વર્ષો જતાં રહ્યાં. લક્ષ રાશીમાં ભટક ભટક કરે છે. મનુષ્યભવમાં બુદ્ધિ છે તે કરી લેને! ચારે ગતિ દુઃખની જ ખાણ છે. ચારે ગતિ કહો કે સંસાર કહો એમાં તલ જેટલી જગ્યા સુખરૂપ નથી. મનુષ્યભવ લુંટાઈ જવાનું કારણ અજ્ઞાન અને અજ્ઞાનીને સંગ છે. અજ્ઞાનીના સંગથી અજ્ઞાન જ વધે છે. આખા લેકમાં જન્મજરામરણ, જન્મજરામરણ થઈ રહ્યાં છે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ જ્ઞાનીને લાગે છે. આ લેક બળ્યા કરે છે. જ્યાં રાગદ્વેષ છે, ત્યાં બળતરા છે. એ રાગદ્વેષની અગ્નિથી જીવો બન્યા કરે છે. ચારે ગતિમાં જીવનું જે મૂળસ્વરૂપ છે તે રહ્યું નથી. જેવાં કર્મ કર્યા તે થઈને ઊભો રહ્યો છે. દેહને આકાર તે જીવ નથી. વિપર્યાસપણું એટલે જેવું છે તેવું ન રહ્યું. વિપર્યાસપણું વળગ્યું છે. સર્વ જીવ પોતપોતાના કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી વિપર્યાસપણું જ છે. હું કોણ છું ? એને જીવને વિચાર નથી. જેવાં કર્મ ઉદય આવે તે થઈને ઊભો રહે છે. ક્રોધ આવે તે ક્રોધરૂપ, સ્ત્રીને ઉદય તે સ્ત્રી રૂપ એમ માને છે. આવું સંસારમાં દુઃખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy