________________
વચનામૃત-વિવેચન
૧૪૯ સમજાય એવું છે. આત્મા અસંખ્યાતપ્રદેશી છે, પણ જેવું શરીર મળે તેટલે વ્યાપે છે. કેવલી સમુદુઘાત વખતે આખા લેકમાં પણ વ્યાપે છે. નિગોદમાં નાનામાં નાનું શરીર છે ત્યાં પણ અસંખ્યાતપ્રદેશ અને હજાર જનો થાય છે ત્યાં પણ તેટલે જ અસંખ્યાતપ્રદેશી રહે છે. આત્મા સંચવિકાસનું ભાજન છે. મુખરસ પુદ્ગલ છે. તે આત્મા નથી, એક સાધન છે.
[વ. ૪૮૩]
૧૫૪ શ્રી. રાઆઅગાસ, આ સુદ ૭, ૨૦૦૯ વિચારદશા માટે ભૂમિકા છે, તેમાં એ ત્રણ પ્રશ્નો વિચારવા યોગ્ય છે. વેદાંતપ્રકરણ નામને ગ્રંથ વાંચી તે પરથી સભાગભાઈ એ ત્રણ પ્રશ્નો લખ્યા હતા. જેને વિચારદશા પ્રગટાવવી હોય તેને એવા પ્રશ્નો વિચારવાયેગ્ય છે. એવા પ્રશ્નોને વિચાર કરે તે સાચું શું અને નાશવંત શું? તેને ભેદ પડે. અત્યારે બધું દેખાય છે તે નાશવંત છે. બધું મૂકીને જવાનું છે. એવા પ્રશ્નોનો વિચાર કરે તે સૂમ વસ્તુ આત્મા પણ સમજાય એવું છે. બધા સંયેગોની વચ્ચે રહ્યો છે. એ ન હોય તે કશું નથી. એ જે આત્મા તે દેખાતે નથી. “કર વિચાર તો પામ.” સાચું શું ને ખોટું શું ? એમ ભેદ પડે પછી ખેટું ન ગમે. “આત્મા સત્, જગત મિથ્યા” એમ લાગે, એ જેવું તેવું વાકય નથી. મહાવાક્ય છે. જેવા-જાણવામાં દોષ નથી, પણ રાગ દ્વેષ થાય ત્યાં દેષ છે. લેકે જેવું માને તેવું જીવ માને છે. લોકોનું કહ્યું કરવું છે અને જ્ઞાનીનું કહ્યું સાંભળવું છે.
“ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કોય;
જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ” સુખદુઃખ તો બાંધ્યા પ્રમાણે આવે પણ જ્ઞાની પાસે ધીરજરૂપી દવા છે. તેથી ગમે તે કર્મ આવે પણ તે માથું કપાવવા આવે છે. પિતાને શાતાઅશાતાનું કંઈ નથી, પણ મુમુક્ષુ જીવને ચિંતા થાય કે તબિયત કેમ હશે? તે માટે લખ્યું છે કે તાવ આવ્યો હતો તે મટી ગયેલ છે.
કવિતાને કવિતાપણે આરાધવાથી આત્માને લાભ નથી. ભગવાનની ભક્તિ માટે જે કવિતા લખે તે ઉત્તમ છે. સંસારમાં કોઈને રાજી કરવા કે પિતાના શોખને માટે કવિતા કરે તે બને કામની નથી. એ ક્ષપશમ મળ્યો હોય તે ભગવાનની ભક્તિમાં વાપરે અથવા આત્મજ્ઞાન થવામાં વાપરે. એ માટે કવિતા કરે તો એનું ક૯યાણ થાય. ગમે તે વિદ્યાઓ આવડતી હેય પણ એનું ફળ વિવેકભાવ અને સમાધભાવ આવવું જોઈએ. જગતમાં ઘણી વિદ્યાઓ છે પણ બધી શીખવા જાય તો મનુષ્યભાવ જતું રહે.
કૃપાળુદેવને જેમ જેમ ઉપાધિ વધે છે, તેમ તેમ વીર્ય અધિક ફેરે છે. અને તેથી ઘણ નિર્જરા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org