SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ બધામૃત “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સગુરુકે ચરન, સો પાવે સાક્ષાત .” (૨૫૮) એમનું એમ સમજવા જાય તે કંઈ સમજાય નહીં. વાંચે તે એને ભાવના થાય કે સત્પ રુષને આપણે મળીશું. એમની આજ્ઞા આરાધાશે તે એ વાત સમજાશે, એમ થાય. મને સમજાઈ ગયું એમ જીવ અવળું પણ સમજી લે છે. પણ એને પાછે વિક્ષેપ થાય કે આ બરાબર સમજાતું નથી. કૃપાળુદેવને, પરમાર્થ લખતાં અપરમાર્થરૂપ લખાય નહીં એવી સહજ દશા થઈ છે. હવે સુધારસ સંબંધી વિશેષ લખે છે. સુધારસ દેનાર અને લેનાર કેવા હોય? તે કહે છે. (૧) આત્મા જેણે અનુભવ્યો છે અને તે રૂપ જે થયા છે તેમણે જે સુધારસનું જ્ઞાન આપ્યું હોય તે તે પરમાર્થ પરમાર્થરૂપ છે. (૨) જેણે આત્મા જા નથી, પણ સુધારસની ક્રિયા જાણે છે, તેની પાસેથી સુધારસનું જ્ઞાન થાય તો તે વ્યવહાર પરમાર્થરૂપ છે. આત્મપ્રદેશ સ્થિર થવાનું સુધારસ એક નિમિત્ત છે, સાધન છે, તેથી એને વ્યવહારે પરમાર્થરૂપ કહ્યું છે પણ સુધારસને જ આત્મા માનતે હોય તે તે વિપરીતતા છે. (૩) તે સુધારસનું જ્ઞાન જ્ઞાનીએ ન આપ્યું હોય પણ તેમણે આત્મ સંબંધી ઉપદેશ કર્યો હોય, તે ઉપદેશ જીવને રુચે હોય તે તે પરમાર્થ વ્યવહારરૂપ છે. એટલે પરમાર્થ પામવા માટે વ્યવહાર છે. એથી પરમાર્થ પામશે. “પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સાંત.(*) જે આત્માને જાણતા નથી પણ શાસ્ત્રો જાણે છે, તે શાસ્ત્રો બીજાને ઉપદેશે તે તે વ્યવહારવ્યવહારરૂપ છે. કહેનાર અને સાંભળનાર બેય આત્માને જાણતા નથી અને ઉપદેશ કરે તે હું સમજુ છું” એમ જીવને થવા સંભવ છે તે સંસાર વધવાનું કારણ છે. એ પરમાર્થને પ્રેરે એ વ્યવહાર નથી તેથી એની બહુ કિંમત નથીશાસ્ત્ર જાણનારે આ જાયે નથી, છતાં સામે આવ તેને એમ જાણે કે આણે આત્મા જાયે છે, તેથી પછી એ સદુગુરુને શોધે નહીં. ત્યાં જ એ ખળી રહે છે. એ ચેથા ભેદનું ફળ શું મળે છે? તે કહે છે કે વ્યવહારપરમાર્થરૂપ તો ઘણા કાળે કઈ પ્રકારે મોક્ષનું કારણ થવા સંભવ છે, પરંપરાએ મોક્ષનું કારણ થાય, શમસંવેગાદિ ગુણે એને પ્રાપ્ત થવા ગ્ય છે, પણ વ્યવહારવ્યવહારરૂપનું કંઈ ફળ ન નીકળે. પુણ્ય બાંધે, પણ મોક્ષમાં એ કંઈ કામ આવતું નથી. જેણે આત્મા જાણ્યો છે તેને સુધારસની ક્રિયાથી આત્મપ્રદેશ સ્થિર થાય છે તેથી એ સાધન ઉપયોગી છે અથવા આત્માને જેને લક્ષ હોય તેને પણ એ સાધનરૂપ છે. પ્રભુશ્રીજીને તે એ જ ઉપદેશ હરે, કે “જે કંઈ કરવું તે આત્માથે'', એટલું મેળવણ નાખવું. જ્ઞાની દ્વારા સુધારસ સંબંધી જ્ઞાન મળ્યું હોય તો એને આત્મા જાણવાનું કારણ થાય. આત્મસિથરતાનું એ અપૂર્વ સાધન છે. તમે સુધારાને આત્મા માની બેસે એવા નથી, તેથી તમને એનું એટલું માહાસ્ય જણાવ્યું છે. હવે બીજી વાત કહે છે. રેચક, પૂરક, કુંભક એ ત્રણ ભેદ પ્રાણાયામના છે. કુંભકમાં શ્વાસ તદ્દન સ્થિર કરવાને હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy