________________
બેધામૃત અજ્ઞાની પ્રત્યે ઈચ્છા કરે તો ઈચ્છા પૂરી કરે તેથી એને મોહ પોષાય. જીવનું કલ્યાણ શામાં છે તે જ્ઞાની જાણે છે. અસપુરુષને આશ્રય હોય તે મોહ વધે, સંસાર વધે. સપુરુષને આશ્રય હોય તો એની સંસારભાવના દિવસે દિવસે ઘટે. મનુષ્યભવમાં ધર્મનું કામ થાય એવું છે, માટે કરવું. ભલે ભૂખે મરવાનું થાય પણ ધર્મ છોડે નથી. આ તો બધું લુંટાઈ જવાનું છે. આત્મકલ્યાણ શાથી થાય? એ વિચાર કરવા, આત્મદષ્ટિ કરવા જ્ઞાની કહે છે. સમ્યગ્દર્શન જેવી તેવી વાત નથી. આ સત્પરુષ છે, આપણા આત્માનું કલ્યાણ કરનાર છે, એ જે એને ભાવ રહે તે પુરુષ પાસેથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. પણ જો એ ભાવ ખસી જાય તે ન થાય. કૃપાળુદેવ કહે છે કે અમને કઈ પણ સંસારી વાત લખે તે ત્રાસ થાય છે.
૯. દેહ છતાં જેની દેહાતીત દશા થઈ છે, મન, વચન અને કાયાના રોગને આગ્રહ જેને છૂટી ગયો છે–શુદ્ધ આત્મસ્વરૂપ હું છું, એમ જે થયું હોય તે બીજી પરવસ્તુ એમાં અહંભાવ પછી ન રહે, જડ વસ્તુના ગુણને પછી પોતાના માને નહીં–એવા જ્ઞાનીપુરુષમાં જે વીતરાગતા છે તે પરમ ઉપશમ છે. એ ઉપશમરૂપ ચરણારવિંદને નમસ્કાર કરી તેને ચિતવવા. તે જ વીતરાગતારૂપ અથવા પરમ ઉપશમરૂપ માગમાં પ્રવર્તવાની ઈચ્છા તમે કર્યા કરે એમ કહે છે. બીજી ઈચ્છાએ ન કરો.
લેકોને ધર્મની ગરજ નથી એ વિપરીત કાળ છે. તેમાં એકાકી હોવાથી ઉદાસ! આ આખે પત્ર સ્થિર ચિત્તથી વિચારવા જેવું છે. મુમુક્ષુએ પહેલેથી છેવટ સુધી જે કરવાનું છે તે બધું સ્પષ્ટ કરીને કહ્યું છે. નિસ્પૃહભાવે કરુણાથી કહ્યું છે.
[વ. ૪૭૧]
૧૫૦ શ્રી. રાઆ અગાસ, આસો સુદ ૧૧, ૨૦૦૯ “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ” કહે છે.” (૫૬૮). આત્મામાં જે ચંચળપણું છે, તે રોકાય અને પિતાના સ્વરૂપમાં રહેવાય તેને માટે સુધારસ એક સાધન છે. સુધારસનું નામ બીજજ્ઞાન કહે તે વાંધો નથી. બીજજ્ઞાન આપનાર આત્મજ્ઞાની હોવા જોઈએ, નહીં તો ભુલાવ થાય. એ સુધારસથી લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એને જ આત્મા માની બેસે તે જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. સુધારસમાં વૃત્તિ રહેવાથી ચિત્તસ્થિરતા થાય છે. સાધનમાં અટકી જાય તો સાધ્ય પ્રાપ્ત ન થાય. જ્ઞાની પુરુષ વિના કેઈ સાધનથી ઠેકાણું ન પડે.
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાય હજુ ન પ;”
સત સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય ?” સાધન તે જીવે અનંતવાર ઘણાં કર્યા છે. વેગમાં ખેચરી મુદ્રા આવે છે. જેને સુધારસ સંબંધી સાધન કરવું હોય તે જીભને મૂળ આગળ જરા કા૫ મુકાવે છે, તેથી જીભ લાંબી થાય અને ઠેઠ ગળા સુધી લઈ જવાય, એટલી લાંબી કરે. ત્યાં આગળ રસ ઝરે છે, તે સુધારસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org