________________
૧૪૨
બધામૃત ક્ષેત્ર અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણું અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.” (૪૬૫). સત્સંગ પ્રત્યે કેટલી ભક્તિ છે! તેથી વારંવાર એ સાંભરે છે. જીવને સત્સંગનું માહાતમ્ય લાગ્યું નથી. માહાય હાય તે બધું તાજું થાય. આત્મધૂન ચાલ્યા જ કરે એવું કૃપાળુદેવને કરવું છે.
વિ. ૪૬૬]
૧૪૯ શ્રી રા. આ. અગાસ, પોષ સુદ ૨, ૨૦૦૯ જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું”
૧. આખી જિંદગી સુધી કામ આવે એવું વાક્ય છે, એથી જીવ ભૂલે ન પડે. ધર્મની પ્રાપ્તિ કરવી હોય અથવા સાચે ધર્મ પ્રાપ્ત કરવું હોય તેને બહુ વિચારવા જેવું છે. સદ્દગુરુથી મોક્ષ છે. દુર્લભ મનુષ્યભવ મળે તે અજ્ઞાનીના આશ્રયે તે વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ધર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલે ન પડે. જેની પાસે ધર્મ માગવે તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી.
૨. આ આત્મજ્ઞાની છે એવું ઓળખાણ થાય તે પછી એની આજ્ઞા આરાધવી, એને સત્સંગ કરે, બધ સાંભળ. સદ્ગુરુ હોય તે સદેવને બતાવે અને બધું પાંશરું કરે. કુગુરુ મળે તે મુદેવને બતાવે અને તેથી બધું ઊંધું થાય. જ્ઞાનીને જ્ઞાનીની દષ્ટિએ એળ ખવા. આ કૃપાળુદેવની ભક્તિ કરવા જેવી છે, આ પુરુષને ભજશે તે લાભ થશે એમ પ્રભુશ્રી જીએ આપણને બતાવ્યું છે. જગતમાં મતમતાંતર, વિશ્વાસઘાત એવું જ બધું પડયું છે. આત્માનો ખપ રાખ. જ્યાં-ત્યાંથી આત્મા મારે પ્રાપ્ત કરે છે. એ વગર ભલે હીરામાણેકની લહાણી થતી હોય તેય મારે કામની નથી. જ્ઞાનીને બેધ થયા હોય તો સદાચાર આવે. જ્ઞાની પુરુષને વેગ થયા પછી ફરવું જોઈએ. નહીં તે જ્ઞાની પુરુષ વગેવાય, તે વગોવાય એવું કરવાનું નથી. જે વર્તન કરવું તે લોકોને દેખાડવા માટે નહીં, આત્માના કલ્યાણ માટે કરવું. સત્સંગમાં જેટલું ગ્રહણ કરીએ તેટલા લાભ છે. જે કંઈ કરીએ તેનાથી લાભ ન થાય તે ન કરવું. જ્ઞાની પુરુષને બે સાંભળી પાપમાં જતાં અટકે તે સત્સંગ થયે કહેવાય. બધું કરીને આત્માને જગાડે છે. તે જાણ્યું તે સાચું છે એમ માને છે. એ આગ્રહ થઈ ગયો છે. આત્માને સ્વભાવ જાણવું, દેખવું અને સ્થિર થવું. સમ્યકત્વ સહિત જાણે અને સ્થિર થાય તે આત્માને સ્વભાવ છે.
૩. જ્ઞાનીને વેગ થયા છતાં મતમતાંતર, વિશ્વાસઘાત, અસત્ય વચન એ વગેરે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org