SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત–વિવેચન ૧૩૯ ઊંચુંનીચું થાય છે. નથી ગમતું તેથી ફરી કમ' બંધાય છે. એ દુઃખ ન ગમતું હોય તે નવાં ન બાંધવાં. શારીરિકવેદના દેહના ધમ છે. દેહના ધમ'ને દેહના ધમ રૂપે જાણવા. ભૂલ ટાળવા માટે આવાં વચને વાંચવાં વિચારવાં, વેદના વખતે સંભારવાં. દેહથી જુદા થવાનું છે. ગભરાવું નહી. એથી ખમણું હાય તે પણ ન ગભરાવું. પૂર્વ મધ્યું છે તે આવ્યુ છે. એથી પાતે છૂટા થવું. ફરી ન આવે એવું કરવાનું છે. જે દુઃખ આવે તે સમભાવે સહન કરવું, દેહના ધમ જુદા અને આત્માના ધર્મ જુદા એમ સ્પષ્ટ માનવું. જેને છૂટવાની ભાવના હાય તેણે વેદની આવે ત્યારે જ્ઞાનીએ કહ્યું છે તે પ્રમાણે વત'વું. એવા નિશ્ચય પણ અતિશય વેદના વખતે છૂટી જાય છે તેને માટે શું કરવું ? વેદના વધતી હોય ત્યારે જ્ઞાનીમાં લક્ષ રાખવું. ક્ષણે ક્ષણે કમ' બંધાય છે એમ ચિંતવવું, આત્મા નિત્ય છે, મરતા નથી, અછેદ્ય છે, અભેદ્ય છે એમ આત્મભાવના કરે તે ‘ આતમભાવના ભાવતાં જીવ લડે કેવલજ્ઞાન રે.' જ્ઞાની કહે છે તેમ વવું. આત્મા નિત્ય છે એમ દૃઢ કર્યુ હોય તેા નિશ્ચય રહી શકે. એને અંદરથી સમજણ આવી હોય તે નિશ્ચય થાય. ભક્તિ, વાંચન એ બધું સમાધિમરણુ કરવાને માટે છે. જ્ઞાનીએ કહ્યું છે કે સમાધિમરણુ કરવું, તે મારે તા એ જ કરવું છે. “ થાવું હોય તે થાજે રૂડા રાજને ભજીએ.'' જેવી ભાવના કરે તેવું ફળ મળે છે. આત્મભાવના રહે તેા સમભાવ આવે. પુરુષાથ કરવાની જરૂર છે. વેદના વખતે સમભાવે સહન કરવું. વેદના જશે પણ આત્માનું કંઇ થવાનું નથી. તેમ છતાં ડામાડોળ ચિત્ત રહેતું હાય તા આપણાથી વધારે વેદના સહન કરી હોય તેવા મહાપુરુષાનાં ચરિત્ર વિચારવાં. આત્મા કદી મરતા નથી એવાં જ્ઞાનીનાં વચના માત્માને સ્થિર કરનાર છે, અવલંબનરૂપ છે. જરીક મનને કઠણુ કરવાનું છે. જ્યારે કઈ વેદના આવે તે વખતે જરીક મન કઠણુ કર્યુ`. હાય તેા વેદના તે જવાની છે. જવા માટે આવે છે. પહેલાંથી અભ્યાસ કર્યાં હાય તા વેદના વખતે થાય કે ‘હું વારંવાર વિચાર કરતા હતા કે દેતુથી આત્મા ભિન્ન છે, તે આ વખતે મારી પરીક્ષા છે. ” પહેલાં પુરુષા કર્યાં હાય તે થાય. ગજસુકુમાર પહેલાં નેમીનાથ પાસેથી શીખ્યા કે આત્મામાં રહેવું એ સુખ છે. વિકલ્પામાં પડે તા પાર ન આવે. જાણે મરી જ ગયા હતા એવા દૃઢ નિશ્ચય કરી આઘા રહીને જોયા કરવું. પહેલાં એવા અભ્યાસ ન કર્યાં હાય તા વિચારવું કે દેહના સ્વભાવ તે મારા સ્વભાવ નથી, તે કમ આછા બંધાય. જીવને ખબર પડે છે કે દેહ તા રહેવાના નથી, તે હવે બીજામાં ખાટી ન થતાં જ્ઞાનીએ કહ્યું તે કરવા દે. ચેતવું છે. જ્ઞાનીના માગ ૮ દેહથી હું ભિન્ન છું, ' એ છે. જ્ઞાની કહે છે કે ભિન્ન અનુભવવું અઘરું છે તેમ છતાં જેવું છે તેવું માનવું છે એવા ઢઢ નિશ્ચય હાય તેને ધારેલું કામ થાય. જીવ કરવા માંડે તેા થાય એવું છે. જ્ઞાનીના બેષ ચેાટી ગયા તા એ અંદર કામ કરે છે. આ સાંભળીને વેદના વખતે દવા ન કરવી એવું ન કરવું. દેહને લાભ થશે એમ જાણી અને શરીર સારુ· થશે તેા મેાજશેાખ કરીશું એમ ગણી દવા કરવાની નથી, પણુ મનુષ્યભવ દુલ ભ છે, તેને ધર્માર્થ જાળવવા છે, એમ વિચારી દવા કરવી પડે તેા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy