SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધામૃત એ ચાર સંજ્ઞાઓ હોય છે, તેથી આશા સ્પષ્ટ નથી, પણ છે. મનુષ્યભવમાં મનને વિકાસ વગેરે વધારે હોય છે તેથી ભવિષ્યના અને ભૂતકાળના પણ વિચાર કરે છે. આગળ પાછળના એને ઘણા વિચારો આવે છે. ભવિષ્યકાળની પહેલાંથી ફિકર કરે છે. જેમ સંજ્ઞા વધારે હોય તેમ એની આશા પણ લાંબી હોય છે. મનને વિશેષ વિકાસ મનુષ્યને હોય છે. જેમ મનને વિષયે વધારે મળે તેમ તેમ વિશેષ તફાન કરે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય તેમ તેમ વધારે આશાઓ બંધાય છે, લાંબી થાય છે. આત્મજ્ઞાન થાય ત્યારે પુદ્ગલ તુચ્છ લાગે. “સકળ જગત તે એંઠવત” એવું લાગે. એને પૈસે ન હોય તેય એની ઈચ્છા ન થાય. આત્મામાં જ સુખ છે એમ લાગે છે. સમ્યગ્દર્શન થાય ત્યારે નિષ્ણાંક્ષિતગુણ પ્રગટે છે, તેથી એને આશાઓ રહેતી નથી. તે શાથી જીવે છે? તે કે આત્માથી જીવે છે. અમુક વસ્તુ મને મળે, અમુક મને થાય એવું જીવ ઈચ્છે છે. ઈચ્છાઓ બધી ભવિષ્ય સંબંધી હોય છે. આત્મજ્ઞાન ન થયું હોય ત્યાંસુધી પરપદાર્થની ઈચ્છા થાય છે. રાગદ્વેષની પરિણતિથી કર્મ બંધાય છે તેથી આત્માને ડાઘ પડે છે. એ ધંઈ નાખ્યા વિના છૂટકે નથી. હું એક જ છું, આત્મા એકલો જ છે એમ એકત્વભાવના કરી હોય તેનું મન રોકાય છે. બીજાની પાસેથી એને સારું કહેવરાવવું છે, તેવું માન અંદર પડયું છે, તેથી જીવ બીજાની ફીકર કરવા જાય છે. કંઈક આશાથી જીવ પુરુષાર્થ કરે છે. કંઈક ઈચ્છાઓ છે તેને પૂરી કરવા જીવે છે. અને સમ્યગ્દષ્ટિ છે આત્માથી જીવે છે. જ્યારે જીવ નિરાશ થઈ જાય છે કે આથી સુખ મળે એવું નથી, બીજેથી પણ મળે એવું નથી, એમ નિરાશ થઈ જાય તો પછી જીવવું ગમતું નથી. આજે નહીં તે આવતી કાલે સુખ મળશે એમ જીવને રહ્યા કરે છે. એવી આશાથી જીવ જીવે છે. આશામાં દુઃખ જ છે. પરપદાર્થની ઈછા હોય તેમાં સમાધિ હાય નહીં. સુખી થવું હોય તે પરપદાર્થથી વૃત્તિ ઉઠાવી આત્મકલ્યાણની ભાવના કરી લેવી. [વ. ૪૫૯] ૧૪૫ શ્રી. રાત્રે આ અગાસ, આસો સુદ ૧૪, ૨૦૦૯ જેને સમ્યગ્દર્શન થાય તેને સંસાર પ્રત્યે રુચિ નથી રહેતી. પ્રારબ્ધ પ્રમાણે સંસારમાં રહેવું પડે, પણ મોક્ષ પ્રત્યે એની રુચિ થઈ છે. તેથી સંસારમાં રુચિ રહી નથી. જેને આ સંસારની રુચિ પલટાઈ છે, સંસારમાં જન્મમરણનાં દુઃખ છે તેથી મારે છૂટવું છે એમ જેને થઈ ગયું હોય, તેને પ્રારબ્ધને લઈને રાજ્ય વગેરે કરવું પડે, પણ તેમાં રાગ ન હોય, વૈરાગ્ય રહે છે. રાગદ્વેષ એમને થતા નથી. સમ્યગ્દર્શન થાય તે સાધુ થઈ જાય એ નિયમ નથી. સમ્યગ્દર્શનવાળે મુનિ હોય, શ્રાવક હોય અથવા વ્રત ન પાળતે હોય એ અવિરતિ પણ હોય છે. પૂર્વ પ્રારબ્ધને લઈને જે કરવું પડે તે કરે પણ ભાવના એની ફરી ગઈ છે. મેહનીયકર્મના બે ભેદ છેઃ (૧) દર્શનમોહનીય, (૨) ચારિત્રહનીય. “દર્શનમોહ વ્યતીત થઈ ઉપ બેધ છે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy