________________
વચનામૃત-વિવેચન
૧૩૫ સંસારને ડર લાગે તે નવાં કર્મ ન બાંધે. કર્મભાવ સ્થિતિ પૂરી થયે જાય, પણ પાછાં નવાં કમ બાંધે તે રિલકમાં રહે. ન બાંધે તે સમ્યગ્દર્શન થાય, કેવળજ્ઞાન થાય, મોક્ષ થાય, બધું થાય. જે જીવ સમ્યગ્દર્શન કરવા, દર્શનમેહ ખપાવવા, યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ એરૂપ શ્રેણિમાં પુરુષાર્થ કરે છે, તે ને તે પુરુષાર્થ જીવ કર્યા કરે તો થોડા કાળમાં મોક્ષે જતો રહે. એ જે શિથિલ થઈ જાય તો એક ભવે અથવા ત્રીજે ભવે મોક્ષ થાય. એથી વધારે ઢીલ થઈ જાય તે પંદર ભવે તે જરૂર મોક્ષે જાય. અને જે સમ્યગ્દર્શનને છોડી દે છે તેથી વધતા વધતા કાળે કે છેવટે અર્ધપુદ્ગલપરાવર્તનમાં તે મેક્ષ થાય જ. આપણે નિવૃત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે ભાવ કરે, એ મળે ત્યારે આત્માનું કામ કરી લેવું.
વિ. ૪૫૫]
૧૪૩ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૧૩, ૨૦૦૯ જેને આત્મહિત સમજાયું છે, તેને અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગમાં સમભાવ રહે છે. જીવ કારણેમાં કલ્પના કરે છે. જ્ઞાનીને શાતાનાં કે અશાતાનાં, માનનાં કે અપમાનનાં કારમાં હર્ષશોક થતું નથી. એ જ્ઞાનનું કામ છે. જેને કરવું હોય તેણે બંધન શાથી થાય છે તે જાણવું જોઈએ. “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ આ જગતની મોહિની સમ્મત થતી નથી.” (૮૫). અશાતાનાં કારણે ગમે તેવાં હોય તેથી જ્ઞાની ગભરાતા નથી, પણ મેહનીય કર્મને ભય લાગે છે. દેહાધ્યાસ છે ત્યાં સુધી દેહ પ્રત્યે દષ્ટિ જીવને રહે છે. જ્ઞાની પુરુષની દૃષ્ટિ આત્મહિત પ્રત્યે હોય છે. આત્માને પ્રતિકૂળ હોય તેનાથી જ્ઞાની દૂર થાય છે અને આત્માને અનુકૂળ હોય તેમાં રહે છે. જગતના જીવે દેહને હિતકારી હોય તેમાં રાજી થાય છે અને દેહને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ કરે છે. જ્ઞાની પુરુષ અંતરથી સમપરિણતિ રહે તેમ કરે છે, તેથી નિરા થાય છે. જ્ઞાનીની આજ્ઞા એ છે કે રાગદ્વેષ ન કરવા. જેને સત્સંગ કરવો હોય તેને આ મુંબઈ વિષમ જેવું છે, પણ કૃપાળુદેવ કહે છે કે અમને તો વિષમ નથી. સત્સંગ માટે આવનારને આ મુંબઈ ક્ષેત્ર પ્રતિકૂળતાવાળું છે. પ્રવૃત્તિ ચેપી રોગ જેવી છે. બીજાને પ્રવૃત્તિ કરતાં દેખે તે આપણે પણ કરીએ એમ થઈ જાય. સત્સંગને માટે ગયા હોય અને પાછું બીજું કરે. નિવૃત્તિમાં સમાગમ થાય તો વિશેષ લાભ થાય. નિવૃત્તિમાં સત્સંગ સફળ થાય છે. એટલા માટે જ જ્ઞાનીઓ જંગલમાં રહે છે.
[વ. ૪૫૬]
આશા કે ઈચ્છા એ બધાં મનનાં કામ છે. જેને મનને વિશેષ વિકાસ થયેલ હોય તેને આશા વિશેષ હોય છે. અને મન વગરના છનેય આહાર, ભય, મિથુન અને પરિગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org