SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ બધામૃત સંબંધી અભ્યાસ વધારશે. આત્મા અપરિચિત વસ્તુ છે માટે અભ્યાસ કરે તે ટકી રહે એમ છે. જ્ઞાનીના બેધે લાભ થયો તે લુંટાઈ ન જાય, માટે જ્યાં જઈએ ત્યાં ઉદાસીનતા રાખવી. અલપ પણ વસ્તુની ઈચ્છા ન થવા દેવી. કેઈ મનુષ્યમાં એક નાનું સરખો ગુણ હોય તે જોઈને પણ આનંદ થાય એવું કરવાનું છે. પિતામાં કોઈ પણ દેષ મૂઝવણ કરાવતા હોય તે બહુ ખેદ થાય. સાત વ્યસનથી ન છૂટ્યો તે ભક્તિ ન થાય. ભક્તિ એના હૃદયમાં ટકે નહીં. સાત વ્યસનનો ત્યાગ હોય તો અધોગતિ ન જાય. મારે તે દે કાઢી જ્ઞાનીને શરણે જ વર્તવાનું છે, એવી ભાવના દઢ કરવી. કેઈ દેાષ દૂર થાય ત્યારે આનંદ પામી ત્યાં જ મળી રહેવાનું નથી, પણ બીજા દોષે કાઢવાના છે. સમ્યગ્દર્શન પહેલાં ઘણે પુરુષાર્થ કરવાને છે. આત્માને મલિન કરનાર દે છે. મારામાં દોષ નથી એમ કરી વાદ ન કરવો. જ્ઞાનીનું કહેલું લક્ષમાં રાખે તે સત્સંગ છે. વારંવાર પિતાના દેને જોઈ ઠપકે દેનાર થવાનું છે. વિષયકષાય સામે લડવાનું છે. એક સમય પણ નકામો ન જાય. કેટલી કમાણુ કરી ત્યારે આ મનુષ્યભવ મળ્યો! હું દેહ નથી. આત્મામાં આત્મા છે. તે કદી નાશ ન પામે. સાંભળતાં સાંભળતાં એને લાગે કે દેહમાં આત્મા નામને કઈ પદાર્થ છે. જેમ જેમ સાંભળે તેમ તેમ તેની માન્યતા ફરતી જાય છે. અંતરની વાત છે. વચનની વાત નથી. અંતર ફરે ત્યારે સમ્યગ્દર્શન થાય. જેહ સ્વરૂપ સમજ્યા વિના પાપો દુઃખ અનંત ” અનંત દુઃખ જીવ પામ્યો છે, પણ ભાન નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંતકાળથી સાથે છે. જેને જ્ઞાનીને આશ્રય છે, તેની આજ્ઞાને આરાધે તેનું પાંશ છે. મિથ્યાત્વ જવાને રસ્તો એ છે. માન જાય ત્યારે કોમળતા આવે, હું નથી જાણતો એમ થાય. સપુરુષનાં વચને સાંભળીને ઉલલાસ આવો જોઈએ કે ધન્યભાગ્ય મારાં. તેને બદલે આ તે મેં સાંભળ્યું છે, મને આવડે છે, આ તે હું જાણું છું એમ જાણે છે. સામાન્યપણું થઈ જાય છે તેથી જીવને વિશ્વાસ આવતો નથી. જ્ઞાનીના ગે જે લાભ થાય છે તેનું માહાતમ્ય લાગતું નથી. સત્સંગમાં ગમે તેવાં કડવાં વચન, વ્યાધિ, પીડા આવે એ બધાં બરછી ભાલા છે, તો પણ સત્સંગ છોડ નથી. અસત્સંગમાં જ્યાં આત્માની શ્રદ્ધા છૂટી જાય ત્યાં ભલેને લાડવા મળતા હોય, તે પણ ત્યાં ન જવું. એથી સત્સંગને રંગ ચઢ હોય તે જતો રહે. જ્ઞાનીનાં વચન સાંભળવામાં આવે તે બહુ લાભ છે. કૃપાળુદેવનાં વચને તે હિતકારી જ છે, પણ મેક્ષમાર્ગમાં ચઢવા જ્ઞાનીની આજ્ઞા જોઈએ. પકડ થવી મુશ્કેલ છે. પુરુષના યેગે જેવી પકડ થાય તેવી પુસ્તકોથી નહીં થાય. આ તે હું જાણું છું એમ થઈ જાય છે. આત્મા ફરવો જોઈએ અને એ જ્ઞાની પુરુષના યથાર્થ યોગ વિના ફરતે નથી. સાંભળે તો કંઈક સમજણ પડે, સમજણ પડે તો કંઈક વિચારે. “શ્રવણે નાણે વિનાશે.” વિજ્ઞાન થાય. ગુરુગમ વગર હાથે આવે એવું નથી. જડ તે જડ ને ચેતન તે ચેતન રહે, એકમેક ન થાય. આત્મા અજરઅમર છે. કર્મ ન બાંધવા પુરુષાર્થ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy