SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૩૩ ઓળખાય. જ્ઞાનીની ભક્તિથી જ્ઞાની ઓળખાય છે. અપૂર્વગુણ દષ્ટિગોચર થઈ આત્મબંધ થાય તે ભક્તિનું ફળ છે. “દેહાદિથી ભિન્ન આતમા રે.” એ સમજવા માટે વચન છે. દેખાય છે તે બધું નાશવંત છે. જ્ઞાનાનાં વચન સાંભળી હું દેહથી ભિન્ન છું એમ કરવાનું છે. દષ્ટિ ફરે તે દેહને દેહ અને આત્માને આત્મા જુએ. એને અંતરવૈરાગ્ય કહ્યો છે. દેહ અચેતન ભીંત જે છે ધન તે શરીરથી પણ જુદુ છે. માટીના ઢેફા જેવું છે. દેહ ઉપર મોહ છે, તેથી ધનાદિમાં મેહ થાય છે. હું દેહ નથી એમ થાય તો બધું સવળું થાય. સાચે વૈરાગ્ય થાય. ધન આત્માને મલિન કરનાર છે. પરિગ્રહ તે સંસાર સાથે સાંકળ જોડનાર છે, પાપ છે. ધન એ ઊ ચી જાતના કાકરા છે. દેવકરણસ્વામીને એક વખતે કૃપાળુદેવે પૂછ્યું તમે વ્યાખ્યાન કરે છે ત્યારે કેટલા માણસે આવે છે ? દેવકરણજી કહે, હજારેક. કૃપાળુદેવ કહે, સ્ત્રીઓ આવે છે? તો કે હા. કૃપાળુદેવ કહે, તે દેખા તમને વિકાર થાય છે? મુનિ કહે, હા, પણ તમે હીરામાણેકના વેપાર કરે છે તે દેખી તમને આસક્તિ નથી થવા? કૃપાળુદેવ કહે અમને તો તે કાળ કૂટ ઝેર જેવા લાગે છે. પૃથ્વીના વિકાર જેવા કે કાકરા જવા લાગે છે. જ્ઞાની પુરુષને જોયા હાય, ઓળખ્યા હોય તો બીજી વસ્તુઓ પ્રત્યે પ્રેમ છે તે જ્ઞાની પ્રત્યે થાય. બીજે એને ગમે નહીં. બીજી વસ્તુઓને એ સારા ગણે નહી. જ્ઞાનાનું એાળખાણ થયું તે તેમણે જે પ્રાપ્ત કર્યું છે એ જ પ્રાપ્ત કરવું છે એમ થાય. પુરુષ એ જ મેક્ષની મૂર્તિ છે એમ લાગે છે. એનું મન ત્યાંનું ત્યાં રહે. આખા જગતને વિશ્વાસ ઊઠી જાય. આત્મા સુખસ્વરૂપ છે, તે અલૌકિક છે. એ સમજાય તો જ્ઞાના સિવાય બીજે વૃત્ત ન જાય. મહાપુરુષે પૂર્વે એવો ઉપદેશ કરતા હતા, ત્યારે તે સરલ જીવા એ વચનને અવધારતા હતા. પ્રાણ જાય પણ એ વચન ભૂલતા ન હતા. ગુણ ગ્રહણ કરવાવાળા તે જ હતા, સરલ છ હતા, તેથી વસ્તુ ઝટ ચાટી જતી. “વિશાળબુદ્ધ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણે જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે” (૪૦). જ્ઞાનીના વચનો કામના છે કેમકે આત્મા પ્રગટાવે એવાં વચને છે. દેહ કામને નથી. જ્ઞાનનાં વચને એાળખ્યા હોય તો દેહ, ધન આદિ પર દષ્ટિ ન જાય. મનુષ્યભવ કેઈક વખતે મળે છે તેમાં વળી પુરુષને ચાગ તા કેઈક જ વખત મળે છે. આખી જિદગી સુધી કામ આવે એવાં વચન છે. એ ભૂલવા જેવા નથી. પ્રાણત્યાગને પ્રસંગ આવે તો પણ જ્ઞાનનાં વચને અપ્રધાન ન કરવા, જ્ઞાનીના વચને ભૂલવા નહીં. જ્ઞા નાપુરુષનાં કહેલાં વચને ધ્યાનમાં રાખવાં. દેહ છૂટે તો ભલે. સંસારમાં કોઈ ઠેકાણે ગમે નહીં એવું કરવાનું છે. જ્ઞાનીના બધે લાભ થયો તે લુંટાઈ ન જાય તે માટે આત્માનું હિત થાય તે કર્યા કરવું, દષ્ટિ ફેરવવી હોય તે કરી શકે. પૂર્વે બાંધેલું હોય તે તે ન ફરે, પણ દષ્ટિ તે ફેરવી શકાય છે. જ્ઞાનીએ કહ્યું તેમાં લક્ષ રાખવા જેવું છે. એવાં વચનો સાંભળીને આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy