________________
૧૩૨
બધામૃત [વ. ૪૫૪].
૧૪૨ શ્રીરા. આ. અમાસ, આસો સુદ ૯, ૨૦૦૮ - જ્ઞાની મન્યા, વચને સાંભળ્યાં, નમસ્કાર કર્યા છે, દર્શન કર્યા છે, તે તેનું ફળ તે થવું જોઈએને ? નહીં તો એણે જ્ઞાનીને જોયા નથી. સંસારમાં પ્રીતિ છે તે જ્ઞાનીને જોયા નથી. સંસાર ઝેર જેવું લાગે, સત્પરુષનું કહેવું જ કરવાગ્ય છે એમ લાગે તે જ જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. જ્ઞાનીનાં વચને સાંભળે તો ફરે. સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય તે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી. દર્શન કર્યા નથી એટલે જ્ઞાનીને જ્ઞાનીરૂપે ઓળખ્યા નથી. જ્ઞાની આત્મા છે એમ જાણે, માને, તે કલ્યાણ થાય. જ્ઞાનીનાં વચન સાંભળ્યાં છતાં હજુ સંસારમાં ને સંસારમાં વૃત્તિ છે. જ્ઞાનીનાં વયને સાંભળીને જીવની વૃત્તિ ન ફરે તે કાં તે કહેનાર જ્ઞાની નહીં, અથવા સાંભળનાર ગ્ય નહીં. જ્ઞાની પુરુષને દષ્ટિ ફેરવાવવી છે, આત્મદષ્ટિ કરાવવી છે. આત્માથીને ભવે ખેદ થાય છે. ભવથી કંટાળે, સંસારની રુચિ મળી પડે અને જ્ઞાનીનાં વચને પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવું છે. જેને કંઈ કરવું છે તેને જ જ્ઞાનીને કંઈ કહેવું છે. જ્ઞાનીને યોગ મળ્યું હોય અને જીવને ગુણ ન પ્રગટે, એના એ ભાવ સાચવી રાખે, સંસારની પ્રીતિ હોય તો એને યોગ થયે તે ન થવા સરખું છે. જેનામાંથી સંસારબીજ બળી ગયું છે એવા જે સત્પરુષ, તેમનાં વચન સાંભળીને ભાવ ન ફરે તો એગ પણ નથી થયો. ભમરે વિષ્ટાની ગળી સાથે રાખી ફરે તેને બાગની સુગંધ ન આવે, તેમ સંસારી વાસના રાખીને જીવ પુરુષ પાસે જાય છે અને જે સાંભળ્યું હોય તેને પોતાની મતિ પ્રમાણે પ્રવર્તાવે છે. એવું જે થતું હોય તો એણે પુરુષને જોયા નથી. ચારે ગતિમાં ક્યાંય સુખ નથી. જે માગે એ સુખી થયા એ માર્ગ લે છે. જ્ઞાનીનાં વચનને જે ઈચ્છે છે, તે બીજી ઈચ્છાએથી પાછો વળે છે.
રાગદ્વેષને લઈને આખો સંસાર છે. એની કેડ ભાંગી નાખે એવાં જ્ઞાનીનાં વચને છે. એ લાકડી લાગી તે પછી સંસાર વધારવાની ઈચ્છા થાય નહીં. જ્ઞાનીનાં વચને બરાબર લાગ્યાં હોય તો પછી સંસારમાં દોડ ન કરે. સંસારમાં મેટા થવું એથી સંસાર વધે છે. કેડને ભંબ થયો તે પછી સંસારમાં દોડ કરવાની ઈચ્છા ન રહે. પછી જે પૂર્વ કર્મને લઈને કરવું પડે તો વેઠ જેવું. જ્ઞાનીનાં વચને વધારે પરિણામ પામ્યાં હોય તે સંસાર ન રહે. વચનની અસર પ્રમાણે સંસાર સંબંધી બળ ઓછું થાય છે.
ચારે ગતિમાં દુઃખ છે. જ્ઞાની પુરુષને જુએ તો આત્માને જુએ. આત્મા કે બળ વાન શક્તિમાન છે! તેને જાણવા માટે જ્ઞાનીનું અવલંબન એ સાધન છે. જ્ઞાનીને આત્મદષ્ટિએ જુએ તે જગતને પણ આત્મદષ્ટિએ જુએ. જ્ઞાનીને દેહદષ્ટિએ જુએ તે જગતને પણ દેહદષ્ટિએ જુએ, જ્ઞાનીનાં વચનો સાંભળ્યાં હોય તે પુદ્ગલ તે પુદ્ગલ લાગે, આત્મા એ સુંદર વસ્તુ છે. દેહ સુંદર લાગે છે પણ તે આત્માને લઈને છે, નહીં તે મડદું ભયંકર લાગે. દેહમાં અપૂર્વ વસ્તુ આત્મા છે. તે જોવાને બદલે મળમૂત્ર હાડમાંસને જુએ છે. બધું અમાને લઈને પવિત્ર છે. આત્મા જોવાની દષ્ટિ આવે તો જ્ઞાની પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org