SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૩ રૂપી લાકડી વાગી હોય તે પછી સંસાર-બળ ભાંગી જાય, સંસાર સારે ન મનાય. જ્ઞાનીના સંગે જીવને જાગૃતિ થાય છે. ખોટાને ખોટું જાણ્યું તે ન ઈચછે. એની ઈચ્છા ફરી જાય. જ્ઞાની કહે છે કે સંસારની વસ્તુ તને ગમે તેવી સારી લાગે પણ દુઃખરૂપ છે. આત્મા રત્નચિંતામણિ જેવો છે. જેવું ઈચ્છે તેવું મળે. સંસાર માગે તે સંસાર મળે. રાગદ્વેષરૂપ સંસાર છે. અનંતાનુબંધીને ઉદય છે ત્યાં સુધી સંસાર સારે લાગે છે. જેમ જેમ પુરુષનું એાળખાણ પડે તેમ તેમ અનંતાનુબંધી મંદ પડે છે. જ્ઞાનીની દષ્ટિ ભેદજ્ઞાનવાળી છે. તેથી જ્ઞાનીનું કઈક અંશે ઓળખાણ થયું હોય તે એને પણ એટલે ભેદ પડે છે અને સંસારનું બળ ક્ષીણ થાય છે. સમજાય પછી ઝેર છે તે ઝેર જેવું લાગે. સોનું અને સ્ત્રી એ બેથી તે ડરતે રહે છે. જડ છે. જડ જ લાગે. - “ નિરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સમાન. ” ધન, હીરા, માણેક એ બધાં માટી જેવાં લાગે. બધાને સ્વભાવ પુદ્ગલ છે. નાશવંત વસ્તુઓની ઈચ્છા ન રહે. આત્મા ત્રણે કાળ રહે એવે છે. તે જ્ઞાનીએ જાણે છે. જેણે સ્વરૂપે પ્રગટ કર્યું છે તેમાં વૃત્તિ જાય તે આપણને પણ તે સ્વરૂપે પ્રગટ થાય. કૃપાળુદેવને પૂર્વભવની વાત સાંભરી આવી છે. પહેલાંના શ્રેતા હતા તે માર્ગાનુસારી અને તીવ્રતાવાળા હતા. તેથી તે ગ્રહણ કરતા. માર્ગાનુસારી હોય તેને સામાન્ય વચનેમાં અને જ્ઞાનીનાં વચનમાં ભેદ લાગે છે. ગમે તેટલું દુઃખ આવે તે પણ જ્ઞાનીનું કહેલું ન ભૂલવું. સત્સંગમાં લક્ષ રાખવાગ્ય ચાર વસ્તુ કહી છે. (૧) સંસારમાં સાવ ઉદાસીનતા. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” એ વિના આત્મા શું છે? એને વિચાર કરવાને અવકાશ નથી મળતો. સંસારમાં જેને રાગ હોય તેને એ (ઉદાસીનતા) ગમે નહીં. સંસારી જીવો જગતમાં જાગે છે ત્યાં જ્ઞાની ઊંઘે છે એટલે કે સાવ ઉદાસીન છે. (૨) ગુણવંત પુરુષ પ્રત્યે પ્રીતિ. કઈ પણ જીવમાં અલ્પ ગુણ જોઈને તેમાં પ્રીતિ રાખે. (૩) પોતાના દેષ ટાળવા. જેટલા દે દેખાય તેટલા ટાળે તે દષ્ટિ સૂક્ષ્મ થાય છે. (૪) દેષ ટાળતાં અત્યંત વીર્ય ફેરવવું. મારે ઘણું કરવાનું છે એમ લક્ષ રહે તે વીર્ય મંદ ન પડે. આ ચાર વસ્તુ લક્ષમાં ન રાખે તો સત્સંગ નિષ્ફળ થાય. સંસાર પ્રવૃત્તિરૂપ છે. મોક્ષ થાય એવી દ્રવ્ય ક્ષેત્રકાળભાવરૂપ ચાર નિવૃત્તિની ભાવના કરવી. ઘણું તો જીવે પ્રમાદથી ખાયું છે. પશમ મળે છે, પણ સવળો કરતો નથી. પ્રમાદમાં પડે છે ત્યાં ખરું જે કરવાનું છે તે રહી જાય છે. પ્રમાદના ઘણા ભેદ છે. નિશ્ચયથી તો આત્મપયોગમાં ન રહેવું તે પ્રમાદ છે. “નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અમારીને કઈ રીતે ભય નથી.” (૫૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy