________________
૧૩૦
શ્રાધામૃત ઓળંગીને ગંગાકિનારે આવ્યા. શ્રીકૃષ્ણે આવીને કહ્યું કે હેડી કેમ ન મોકલી? પાંડવોએ કહ્યું કે તમારું બળ જેવા માટે ન મોકલી.
એમ ગૃહસ્થપણામાં મહાપરિશ્રમે સંસારસાગર તરાય છે. મોક્ષે જવું હોય તે મુનિમાર્ગ એ મોક્ષમાર્ગની સગવડ છે. સંસારની સગવડ એ બધી અગવડ છે. મુનિપણાની ભાવના ન હોય તો શ્રાવક ન કહેવાય. આ કાળમાં જેટલી અનુકૂળતા વધી છે, તેટલી મોક્ષમાર્ગમાં અગવડતા છે. કાળ બધે ફરી ગયો છે. આ કાળ કે છે ? તે જ્ઞાની જાણે છે. બીજા બધાને તે લહેર કરવા જેવું લાગે છે. થાક્યો હોય, પરસેવો થયે હેય, તરસ લાગી હોય, અને જે પાણી હોય તે કેવું થાય? તેમ સત્સંગમાં જીવને શાંતિ થાય છે. સત્સંગમાં જીવ ઠરે છે.
કૃપાળુદેવ કહે છે કે બધું કરવા છતાં અમારો આત્મા અકર્તા છે. અમે કંઈ કરતા નથી, એ જ ખરી સમાધિ છે. ઉપાધિ કષ્ટરૂપ લાગતી નથી. પૂર્વે બાંધ્યા છે તે ભેગવીએ છીએ.
મનુષ્યભવ શા માટે મળ્યો છે? હું શું કરવા જ છું? શું કર્યું છે? એને વિચાર નથી આવતો તે જ મૂર્ખતા છે. આ કાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમાં ક્યાંય આસક્તિ કરવા જેવું નથી. જે સાંસારિક ભાવ છે તેમાં સારું માનવું નથી. જ્યાં સુધી સિદ્ધભગવાન જેવા મારા ભાવ ન થાય ત્યાંસુધી બીજા ભાવમાં શું રાચવું? કૃપાળુદેવ કહે છે કે નિરંતર સત્સંગની ઈચ્છા રહે છે. સહજસ્વભાવે આત્મામાં વર્તવું એ જ અમારું ધ્યેય છે. બીજા દ્રવ્ય ક્ષેત્રકાળભાવમાં શું સુખ છે ? “કલ્પિતનું એટલું બધું મહામ્ય શું ? (૫૭૬). ત્યાગમાં સુખ છે. તે કરી જુએ તે ખબર પડે. આ શરીર છે તે કેદખાનું છે. મને સ્વતંત્રતા ક્યારે પ્રાપ્ત થશે? એટલું થાય ત્યારે છૂટે. પણ આ જીવને તે શરીરને આગ્રહ મટતો નથી.
જ્ઞાની પુરુષે જે કંઈ કરતા હોય તે આપણા હિત માટે છે. એવી ભાવના રહે તે બીજા ભાવમાં પણ એને પુરુષને યોગ થાય. જ્યાં સુધી રાગ-દ્વેષ અને લેભ રહે ત્યાં સુધી અંતરાયકર્મ વધારે બંધાય.
[વ. ૪૫૪]
૧૪૧ ગઢ સિવાના, ફાગણ સુદ ૨, ૨૦૦૮ સંસારપરિમણ ટળે એ માટે જ્ઞાની એને કહે છે. સંસારની વસ્તુઓમાં પ્રીતિ હોય ત્યાંસુધી મારે મૂકવું છે એમ ન થાય, અને એમ ન થાય ત્યાંસુધી સંસાર છે. જ્ઞાની પુરુષ આત્મા છે. એ તે છૂટવા માટે જીવે છે, તે એને સમજાયું નથી તે એણે જ્ઞાનીને જોયા જ નથી. જ્ઞાની મળે સંસારભાવના પલટાય છે. દેહને કશું કહેવાનું નથી. દેહમાં જે આત્મા છે તે મોહમાં ઊંઘે છે, તેને જગાડવા જ્ઞાની કહે છે કે આ લેક બળે છે.
કોઈને કેડમાં ડાંગ વાગી હોય તે માંડ માંડ પરાણે ચાલે છે, તેમ જ્ઞાનીનાં વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org