SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૨૭ [વ. ૪૫૨] ૧૩૦ ભાગભાઈને લખેલા પત્રો ઉપર ઘણે વિચાર કરવાનું છે. કૃપાળુદેવે પિતાનું અંતર ખેલીને બતાવ્યું છે. સુખ છે ખરું, પણ એ આત્મામાં છે. આત્માને સુખ ગુણ છે. જગતના મનુષ્ય બહાર સુખ શોધે છે. ત્યાં સુખ નથી. પરવસ્તુમાં સુખદુઃખ નથી. એ તે જીવ કલ્પના કરે છે. જીવ જે જે સુખદુઃખની કલ્પના કરે છે તે વિષે ઊંડો ઊતરી વિચારે તે મનની કલ્પના છે એમ લાગે. મોહને લઈને સુખની ક૯૫ના વસ્તુમાં કરે છે. આટલે કે પત્ર છે પણ જીવને સમજાય તે બહુ છે. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેમને સુખ છે; બાકી તે કલ્પના છે. જ્યાં સુધી આત્માને સમાધિભાવ ન આવે ત્યાં સુધી આત્મા કલેશિત રહે છે. દુઃખનો અભાવ તે સુખ છે. એ પોતાનો ગુણ છે. અનંતસુખ નામને આત્માને ગુણ છે. ઘાતિક ક્ષય થાય ત્યારે તે અનંતસુખ પ્રગટે છે. તે સુખ કલ્પનામાં આવે એવું નથી. સમાધિભાવ, શાંતિ આત્માને હોય ત્યારે જે સુખ હોય તેની હાનિ કરનાર કમ છે. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનનું સુખ એને મળતું નથી. આનંદને આવરણ કરનાર ચાર ઘાતિકમ છે. એ દૂર થાય ત્યારે અનંત આનંદ પ્રગટે છે. સુખ આત્માને કારણે છે. ઊંઘ આવે ત્યારે એમ લાગે કે સુખ છે. પણ ત્યાં સુખનું કારણ બીજું તો કશું છે નહીં. આત્મા જ સુખરૂપ છે. [વ. ૪૫૩] ૧૪૦ શ્રી રાવ આ૦ અગાસ, પોષ વદ ૯, ૨૦૦૯ આ લેક ઠાંસી ઠાંસીને જીવોથી ભરેલો છે. પગ મૂકતાં પાપ છે. પરિગ્રહ એ પાપ છે. આ કાળમાં હલકી વૃત્તિવાળા જ જન્મે છે, પશુ જેવા જીવો છે. આર્યદેશમાં મોક્ષની રુચિવાળા જીવો હોય છે. ગૃહસ્થો પણ મુનિ થવાની ભાવના રાખે છે; પણ અનાર્ય દેશોમાં તો એવા ધર્મનું નામ જ ન મળે. આ કાળમાં પરમાર્થ ન ભુલાય એવું બનવું બહુ મુશ્કેલ છે. “ધાર તરવારની સેહલી દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા.” (આ. ૧૪). સત્પરુષને નિરંતર સત્સંગ કરવાનું છે. રાગદ્વેષથી બળતા બચવા માટે સત્સંગ છે. કૃપાળુદેવના કાળ કરતાં હમણુના કાળમાં બહુ ફેર પડી ગયો છે. પુરુષને પણ નિરંતર સત્સંગ હોય તે જ સંતોષ થાય છે. જગતમાંથી જેને કશું જોઈતું નથી તેવા પુરુષને પણ આ સંસાર સમુદ્ર ગળકાં ખાતાં ખાતાં માંડ તરવા દે છે. શ્રીકૃષ્ણ અને પાંડે દ્રૌપદીને લેવા ધાતકીખંડમાં ગયા, ત્યાંથી પાછા ફરતી વખતે શ્રીકૃષ્ણ કહ્યું કે તમે ગંગાનદીની પાર આ હોડીમાં બેસીને જાઓ અને હેડી પાછી મેકલજે. પાંડે ગંગાનદીની પાર ગયા. ભીમે વિચાર્યું કે કૃષ્ણના બળની પરીક્ષા કરીએ એમ વિચારી હેડી ન મોકલી. શ્રીકૃષ્ણ બહુ વાર ત્યાં હેડીની રાહ જોતા ઊભા રહ્યા, પણ હેડી ન આવી. પછી એક હાથમાં રથ અને બીજા હાથમાં ચક્ર ઉપડી નદી ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy