________________
વચનામૃત-વિવેચન
૧૨૭ અસદ્દગુરુ કે કુશાસ્ત્રમાં માથું માર્યું તે આત્મકલ્યાણ અટકશે, આત્મઘાત થશે. જ્ઞાની દીવા જેવું કહેતા હોય, તે પણ એને ચાટે નહીં, આત્મા ભણી વળાય નહીં. જીવની વૃત્તિ બીજે પ્રતિબંધ પામે છે અને સત્સંગમાં જે રંગ ચઢ હોય તે ઊતરી જાય છે,
૫. જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હેય નહીં. આ કાળમાં એ ગ થયું છે, પણ દુર્લભ છે. અનેક નવલકથાઓ, છાપાંએ વગેરે નીકળે છે. સલ્લાએ તે મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અસદ્દગુરુ એને અવળે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણે છે એવા કૃપાળુદેવ સિવાય કયાંય ચિત્ત રાખવું નથી, રાખે તે આવરણ થાય. આ જ્ઞાની, આ જ્ઞાની એમ ન કરવું. જે વચનેથી જીવ જાગતે થાય, તે વચનેથી પણ જીવને જાગૃતિ થતી નથી ! મોહમાં ને મોહમાં ફરે છે. જ્ઞાનીએ આત્મા જાણે છે, એની આજ્ઞા આરાધવી. જેને સ્થિરતા છે એવા પુરુષોમાં વૃત્તિ રાખવી તે પિતાને આત્મા સ્થિર થાય. હું કંઈ જાણતું નથી એવી ભાવના રાખવી. પરિણામે છૂટી શકાય એવાં કામ રાખવાં. સત્સંગને વિગ તે કલ્યાણને પણ વિયોગ છે.
૬. સત્યરુષને સમાગમ ન હોય તે સશાસ્ત્રનો પરિચય રાખ. મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરે. પ્રમાદ ન કરવો.
૭. અંતરમાં જ્ઞાની શીતળીભૂત રહે છે, એ સમકિતની બલિહારી છે.
૮. કૃપાળુદેવને એક પત્ત લખવાની ઈચ્છા હતી તેના બદલામાં આઠ પત્તાને આ પત્ર લખ્યો છે. જ્ઞાની પણ સત્સંગની ઈચ્છા રાખે છે, તે પછી બીજાએ તે રાખવી ઘટે એમાં કહેવું શું? ટૂંકામાં આ પત્રને સાર આમ છે :
અનાદિ કાળથી જીવનું કલ્યાણ થવામાં પ્રતિબંધરૂપ ત્રણ મોટા દે છે. મળ વિક્ષેપ અને અજ્ઞાન, ક્રોધ માન, માયા, લેભ એ મળ છે, કારણ કે તે આત્માને મલિન કરે છે. તે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષથી મટે છે. ચંચળ સ્વભાવ એ વિક્ષેપ છે તે જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિથી મટે છે. મહ જીવને ઊંધું સમજાવે છે તે અજ્ઞાન છે. અજ્ઞાન છે તે અંધકાર સમાન છે. જ્ઞાની પુરુષનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન મટે છે. આ દો મટે તો સત્સંગ સફળ થાય.
[વ. ૪૫૦]
૧૩૮ શ્રીરાવ આ૦ અગાસ, આસો વદ ૧, ૨૦૦૯ જીવ કલ્પના કરે છે કે કેમ થશે? શું થશે ? પણ એ તો બાંધ્યું તેમ થવાનું છે. “કૃષ્ણને કરવું હોય તે કરે.” કૃષ્ણ એટલે કર્મ જ છે. ફિકર ચિંતા કરવા જેવું નથી. ચિંતામાં ચિત્ત જાય આર્તધ્યાન થાય. અને એ આર્તધ્યાન મુમુક્ષુને કરવા જેવું નથી. ચિંતા થવાનું કારણું, અંદર મોહ, મમત્વભાવ છે. તેથી ચિંતા થાય છે. એનું મૂળ તે મિથ્યાત છે. તેને લઈને મારું મારું મનાય છે.
જ્યાં આત્મા છે ત્યાં સર્વ રિદ્ધિસિદ્ધિઓ છે. કેટલાકને હઠાગ વગેરેની ક્રિયાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org