SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ મેલામૃત એછા. “ કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રથના પથ ભવ-અંતના ઉપાય છે.” જ્યાંસુધી કાયાની મમતા ઓછી ન થાય ત્યાંસુધી બધા દેષા જાય નહી. વિક્ષેપ છે તે ચિત્તને અસ્થિર કરનાર છે. એ ચિત્ત જો ભક્તિમાં ચાયુ તે વિક્ષેપવાળું ન થાય. અત્યંત ભક્તિ એટલે ‘પ્રભુ પ્રભુ' લય લાગે, એ સિવાય બીજી એને ગમે નહીં. કષાયની ઉપશાંતતા થાય તા આત્માથી થાય અને જ્ઞાનીના મેધ ગમે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરત, તેમ શ્રુતમે રે મન દૃઢ ધરે.' પછી એવી ભક્તિ પ્રગટે. જે કામ કરવાથી હિંસા થાય તે આરંભ છે અને પછી વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે મમતા થાય તે પરિગ્રહ છે. લેાભ મર્દ થાય ત્યારે આર’ભપરિગ્રહ દૂર થાય. ૩. જ્ઞાનીના ચેાગ ન હેાય ત્યારે શું કરવું? તે કહે છે. સત્સંગમાં એમની ચેષ્ટા જોઈ હોય તેને આધારે એમની દશા વિચારવી. ખધી પ્રવૃત્તિ કરતાં અંતરથી શીતલીભૂત રહે છે તે વિચારવું. એમનાં વચન સાંભળ્યા હાય તેના વિચાર કરવા. સ્મૃતિમાં રહ્યું હાય તે યાદ કરવું. એમાંથી આપણા હૃદયમાં કઈક ચાટી જાય એવું કરવું. જ્ઞાનીની દશા નીરખવી એટલે જ્ઞાની કેવી દશામાં રહે છે તે લક્ષમાં રાખવું. સત્પુરુષની દશા, ચેષ્ટા અને વચનેાનું સ્મરણ કરવું. દશા નીરખવી એટલે લક્ષમાં રાખવી. સત્પુરુષના યાગ ન હાય અને પ્રવૃત્તિ કરવી પડે તે આસક્ત ન થવું. સત્સંગના યાગ ન હાય ત્યારે જીવ ખીજી' ઊભું‘ કરે છે, બહાર માથાં મારે છે. સમાગમના ચેાગ હોય ત્યારે વૃત્તિ મહાર ન જાય, પણ તેવા ચાગ ન હેાય ત્યારે લહેર કરવાનું મન થઈ જાય. સમાગમનું બળ નથી અને પ્રવૃત્તિ છે, તેથી એમાં તણાઈ જાય છે. સાવધાન ન રહે તેા પ્રવૃત્તિ એને અવકાશ આપે નહી. પ્રવૃત્તિ કરવી પડે તેા ન છૂટકે કરવી. નહી તે પ્રવૃત્તિ જ રહ્યા કરે. ૪. સત્સંગ એ કલ્યાણનું મુખ્ય કારણ છે. એમાં વિન્નરૂપ મળ, વિક્ષેપ અને અજ્ઞાન છે. એ સિવાય ખીજા` પણ વિશ્નો છે. તે કહે છે. આત્માને આત્મારૂપ જીવ વિચારી શકતા નથી. બધા કરતા હાય કે ઘણા કરતા હૈાય તે આપણે કરવું એ લેાકસંજ્ઞા છે. એલસજ્ઞામાં શું કરવા કરું છું તેને વિચાર નથી. અસત્સંગમાં જીવ હિત માને છે. આ સત્સંગ છે એમ માને અને હાય અસત્સંગ. આધસ'જ્ઞામાં કોઈ વિચાર નથી. સહેજે પ્રવૃત્તિ થયા કરે. અસત્સંગમાં જીવને અનેક આડાઅવળી કલ્પનાએ આવી ચાટે છે. અસત્સંગ હાય તેથી જીવ ભૂલા પડે. જેને આત્માના નિર્ણય કરવા છે, તેણે લેાકસંજ્ઞામાં, આવસત્તામાં અને અસત્સંગમાં ન વવું. એ આવી પડે તે એમાં ઉદાસ રહેવું. જેમકે કેાઈ મહેમાન આવે અને આડાઅવળી વાતા કરે તેા તેમાં ઉદાસ રહેવું, આસક્ત ન થવું. જીવે આત્માના વિચાર નથી કર્યાં, પશુ લાકસનાએ એઘસંજ્ઞાએ ધમ કર્યાં છે. પછી અસત્સંગમાં પ્રીતિ રાખે છે. એ કારણેાને કલ્યાણુ પામવામાં વિદ્ભકારી જાણી ત્યાગી દેવાં જોઈએ. જેમાંથી કઈ આત્માનું કલ્યાણુ ન થાય એવા નિઃસત્વ શાસ્ત્રા કે ગુરુ જીવને સાચી વસ્તુ પ્રાપ્ત કરવામાં આવરણ કરે છે. તેને આત્મઘાતી ન સમજે ત્યાંસુધી આત્મકલ્યાણુ ન થાય. જીવે આત્મકલ્યાણમાં આાં આવે તે કારણાનેા ત્યાગ કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy