________________
વચનામૃત-વિવેચન
૧૨૫ જ્ઞાનીને આસવમાં સંવર થાય છે અને અજ્ઞાનીને સંવરનાં કારણેમાં પણ આસવ થાય છે. જ્ઞાની પુરુષે પૂર્વ કર્મને લઈને કર્મની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે, પણ પિતાના સ્વભાવને ભૂલતા નથી. પ્રવૃત્તિમાં રહ્યા છતાં પણ સમાધિમાં છે. એની ભાવના સ્વભાવમાં રહેવાની છે. પ્રવૃત્તિ કરતાં પણ જ્ઞાનીને લક્ષ બીજે છે. કૃપાળુદેવ કહે છે કે પૂર્વકાળમાં સેવન કરેલાં વન ઉપવન, સત્સંગ, જેગ, સમાધિ વગેરે અમને પ્રવૃત્તિમાં બેઠાં સાંભરી આવે છે. દુકાન ઉપર બેસે છે પણ આગલા ભવની વાતો સાંભરે છે. પુરુષના સમાગમમાં કેવી શાંતિ હતી તે એમને સાંભરી આવે છે. એનું કારણ સમ્યક્ત્વ છે. એમને ભાવના તે એ જ રહે છે કે ક્યારે વનમાં જઈએ? ક્યારે વનમાં જઈએ? ભાવના નિવૃત્તિની છે. કર્મ એટલે માર્ગ આપે તેટલી નિવૃત્તિ થાય. જેમ બને તેમ સ્વભાવમાં રહેવું એ જ એમનો લક્ષ રહે છે.
૨. જેને કલ્યાણ કરવું છે, તેને માટે મોટામાં મોટું સાધન સત્સંગ છે. એ સત્સંગમાં વિઘરૂપ છે? અસત્સંગ વિન્નરૂપ છે. એના પણ ઘણા પ્રકાર છે. પણ સત્સંગમાં પણ વિશ્વ નડે છે તે કહે છે. સત્સંગમાં આવે અને મને શું વિજ્ઞરૂપ છે? તે તે વિચારે નહીં તે શું થાય ? ફેરા ખાય. સત્સંગે ચેતે નહી તે કામ થાય નહીં. મને શું નડે છે? તેની ખબર ન પડતી હોય તે જ્ઞાની કહે છે કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણ દેષ આડા આવે છે. એ મટશે ત્યારે કલ્યાણ થશે. જ્ઞાન પામવું હોય તે અજ્ઞાન ગયા વિના ન પમાય. જ્ઞાનીનાં વચન સાંભળે, વિચારે પછી શ્રદ્ધા થાય ત્યારે અજ્ઞાન જાય. પિતાની કલ્પનાએ નહીં, પણ જ્ઞાની કહે તે પ્રમાણે વિચાર કરે. જ્ઞાનીનાં વચને બીજરૂપ છે. એ
જ્યારે પરિણામ પામે અને અંકુર ફૂટે ત્યારે અજ્ઞાન જાય એવું છે. ઘણીવાર જીવ વિચાર કરે છે, પણ યથાયોગ્ય વિચાર કરતા નથી. વિચાર એવો કરે કે એનું ફળ આવે. જ્ઞાની પુરુષનું કહેવું એના લક્ષમાં આવે તો યથાર્થ વિચાર છે. અજ્ઞાન જ્ઞાનીનાં વચનથી દૂર થાય છે, પણ જ્યાં સુધી મળ અને વિક્ષેપ છે ત્યાંસુધી ગમે તેટલું વિચારે તેય એ અજ્ઞાન ખસે નહીં. એક અજ્ઞાન ખસેડવા જાય તો બીજું ઊભું થાય. રાવણના માથાની જેમ એક કાપે તે બીજું થાય એવું અજ્ઞાન છે. જ્ઞાનીના વચનેમાં ઘણું બળ છે, પણ જીવની ભૂમિકા બરાબર ન હોય તે અસર ન થાય. મળ અને વિક્ષેપ જાય તે ચિત્તશુદ્ધિ થાય. મળ એ કષાય છે. તે આત્માને મલિન કરનાર છે. એને મટાડવા શું કરવું ? ક્રોધ મટાડવા ક્ષમા, માન મટાડવા નમ્રતા, માયા મટાડવા સરલતા વગેરે પ્રતિપક્ષી ગુણ છે તેને પ્રાપ્ત કરવા. ધર્મ પામવો હોય તે પહેલું સરપણું જોઈએ. ન જાણે તે કહે કે હું નથી જાણતે. એ સરલ જીવ હોય તે જ્ઞાનીનું કહેલું પકડી લે. પિતાના દોષ જોવા એ ક્યારે થાય? નમ્રતા આવે ત્યારે લાગે કે હું તે અનંત દેષનું ભાજન છું. મારાથી તે બીજા બધા સારા છે. હું તો અધમાધમ છું. લોભ જાય અને સંતોષ આવે ત્યારે આરંભ પરિગ્રહ દૂર થાય. ક્રોધ જવા કેઈ કડવું વચન બોલે તોય ખાટું ન લગાડે. જીવમાં અનંત દે છે. એ બધા દોષોનું મૂળ મમતા છે. એ મમતા જેટલી ઓછી તેટલા દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org