________________
૧૨૪
બધામૃત
અને “નિરોથ' કોને કહેવાય? પછી ભગવાન એના અર્થ કહેતા હતા. એ બધા શબ્દ મુનિઓને માટે જ વપરાય છે. પછી ભગવાને કહેલા અર્થ શિષ્ય અવધારતા હતા અને તે દશા લાવવાનું લક્ષમાં રાખતા.
શીલાંગાચાર્યે એની ટીકા લખી છે. તેમાં નિર્ગથ એટલે આત્મવાદ પ્રાપ્ત એમ ભગવાને કહ્યું હતું. તે આત્મવાદમાસ એટલે શું ? તે કે આત્માને જાણનાર. પણ આત્મા કે તેનાં વિશેષ આ છે–(૧) ઉપગ એ એનું લક્ષણ છે. લક્ષણથી વસ્તુ ઓળખાય. ઉપયોગથી આત્મા જણાય. ઉપયોગ એટલે જેવું, જાણવું. જગતના બીજા પદાર્થ જાણે નહીં, આત્મા જ જાણે. તેથી એ આત્માનું લક્ષણ છે. (૨) આત્મા અસંખ્યાતપ્રદેશી છે. લોકાકાશપ્રમાણપ્રદેશી છે. કર્મને લઈને જે દેહ પ્રાપ્ત થયો હોય તેના પ્રમાણે આત્મા રહે છે. આખા લેકને વ્યાપીને રહી શકે એવો આત્મા છે. કેવળી સમુદ્રઘાત વખતે આખા લેકમાં તેના પ્રદેશ વ્યાપે છે. અને નિગોદમાં જાય છે ત્યારે આંખથી પણ ન દેખાય તેવા દેહમાં રહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે, પણ અખંડ છે અને સંકેચવિકાસનું ભાજન છે. પિતાનાં કરેલા કર્મનો ભક્તા છે. દ્રવ્યપર્યાયરૂપ આત્મા છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે એમ વ્યવસ્થા છે. નિત્ય-અનિત્ય આદિ ગુણોને ધારણ કરનાર તે આત્મા છે. આત્મા આત્મા બધા ધર્મોમાં કહેવાય છે, પણ ભગવાને આત્મા કે કહ્યો છે? તેને બધે વિસ્તાર એ ટીકાકારે કર્યો છે. એવા આત્માને જાણનાર તે આત્મવાદપ્રાપ્ત પુરુષ છે.
[વ. ૪૪૯]
૧૩૭ શ્રીરાઆ. અગાસ, કાસુ, ૩, ૨૦૦૯ ધર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે કઈ જ દાન કરે, શાસ્ત્રો વાંચે વગેરે જેવાં નિમિત્ત મળે તે પ્રમાણે અનેક પ્રકારનાં સાધન કરે છે, પણ પરમ સાધન સત્સંગ છે. સર્વસાધનને ગૌણ કરી સત્સંગ કરે. ક્યારે મને સત્સંગ થશે ? એવી જ ભાવના કરવી. ચેથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ હતી. આ કાળમાં દુઃખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષ ઓછા છે. મહાપુણ્યને વેગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે. ચોથા કાળમાં મુનિએ ઘણા, પણ એ તો વનમાં જ વિચરતા. કોઈક વખતે સમાગમ થતું. આ કાળમાં તો દુર્લભ છે. કાળને પોષાય એમ નથી. માટે જેમ બને એમ તેમ સત્સંગમાં શુદ્ધતા આરાધવી. નિવૃત્તિ મુખ્ય વસ્તુ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. પહેલા સત્સંગે સમજણ કર, મિથ્યા વાસના દૂર કર. હું જાણતો નથી, જ્ઞાની જાણે છે. સમજીને શમાવું.
૧. શીતલપણું એ પાણીને મૂળ સ્વભાવ છે, તે ઊનું હોય તે પણ અગ્નિને બૂઝવે છે. તેમ સત્પરુષની પ્રવૃત્તિ જગતની પ્રવૃત્તિ જેવી હતી નથી, નિવૃત્તિરૂપ હોય છે. જ્ઞાનીની સર્વ ક્રિયા છૂટવા માટે હોય છે. જ્ઞાની અને અજ્ઞાની બન્નેની ક્રિયા સરખી દેખાય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org