SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૨૩ એમ ભગવાનને કહ્યું નથી. ભગવાને તે સમય માત્રના પ્રમાદની ના કહી છે. આત્મા ઉપયોગસ્વરૂપ છે. એ ઉપયોગમાં રાગદ્વેષ એ વિકાર છે. તે નીકળી જાય તો આત્મામાં ઉપયોગ રહે, પિતે પિતારૂપે રહે. આત્મા આત્મારૂપ રહે એવું થવા અર્થે સત્સંગ સપુરુષને વેગ છે. આત્માને જીવ ભૂલે છે એ જ મરણ છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે! રાચી રહે?” સમયે સમયે વિભાવમાં જાય છે, એ જ મરણ છે, એ જ શત્રુ છે. કેઈને દેષ નથી. પિતાને જ દોષ છે. “તારે દેશે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે.” (૧૦૮). વિ. ૪૪૭] ૧૩૫ જ્યાં ઉપાય ચાલી શકે નહીં એવા કામમાં વિચારવાનને ખેદ કર્તવ્ય નથી. જે થાય તે જોયા કરવું, કારણ કે આપણા હાથમાં નથી. જે થવાનું હશે તે થશે. આપણે થાય તેટલું કરી લેવું. જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તે કર્મ ન બંધાય. જે થાય તે જોયા કરવું. જવને સમતા આવવી મુશ્કેલ છે. પ્રવૃત્તિ એ આત્માને ધર્મ નથી. સાચી સમજણ કરી લેવાની છે. સમજણની ખામી છે ત્યાં સુધી બાહ્ય દષ્ટિ છે, તેથી અન્યથા થાય છે. “હું પામર શું કરી શકુ?” એ વિવેક જેના હૃદયમાં હોય તેને કશે ખેદ ન થાય. સંસારના અનુકૂલ પ્રસંગમાં ત્યાગ આવા મુશ્કેલ છે. ત્યાગની ભાવના પણ ન થાય. સંસાર ન ગમે એવું કરવાનું છે. સંસારને એક સમય પણ સમરે નહીં. સંસારમાં દુઃખ હોય તે સંસાર ખરાબ લાગે. દુઃખ તે સારું છે. દુઃખ જીવને ચેતાવે છે. પ્રતિકૂળ પ્રસંગો વિચારવાનને હિતકારી છે. કેઈ જીવ અહીંથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી નરકમાં જાય, તે પણ સમ્યકત્વને સાચવીને લઈ આવે છે અને દેવલોકમાં જાય તે ઈ પણ આવે. દુઃખમાં આત્માને કંઈનુકશાન નથી. ત્યં મહાહા જેટલે પુરુષાર્થ કરે તેટલું આત્મવીર્ય વધે છે. કેઈ એક ભક્ત હતો. તે ભગવાનની બહુ ભક્તિ કરતે. તેથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને માગે તે આપવા કહ્યું ત્યારે ભક્ત કહ્યું, હે ભગવાન મારે કશું જોઈતું નથી, દુઃખ આપે ! જેથી આત્મા ભણી દષ્ટિ જાય તે દુઃખ હેય તેય સારું છે. સંસાર બધે કલ્પિત છે. આત્માને દુઃખી કરનાર છે. સત્સંગ થયે હેય પણ સંસારપ્રસંગની અનુકૂળતા હોય તે વૈરાગ્ય આવવો મુશ્કેલ છે. સંસારમાં સુખ નથી. એમાં રહેવા જેવું નથી. સંસારનાં સુખદુઃખ બન્નય કર્મનાં ફળ છે, તેથી બેય સરખાં છે, ક્ષમાગને રોકનાર છે. મને શું હિતકારી છે તેનું જીવને ભાન નથી. જ્ઞાનીએ તે આત્માના સુખને સુખ કહ્યું છે. વિ. ૪૪૮]. ૧૩૬ શ્રી રા. આ અગાસ, આસો વદ ૨, ૨૦૦૯ સૂયગડાંગમાં આવે છે કે ગૌતમ પૂછે છે કે “માહણ', “શ્રમણ”, “ભિક્ષુ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy