SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ બેધામૃત કામ કરે છે. સંસારમાં હોય ત્યાંસુધી શુદ્ધ રીતે જાણતો નથી. તેથી જાણે તેમાં રાગદ્વેષ થાય છે. તેથી આત્મા ખેંચાય છે. આ જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉપગ પ્રવર્તે છે. નિમિત્તવાસી જીવ કહ્યો છે. જ્યારે એની સામે પડે ત્યારે વૃત્તિ ભટકતી અટકે છે. અત્યારે રાગદ્વેષ ભણી વૃત્તિ પ્રવર્તે છે. સંસારનું સ્વરૂપ રાગદ્વેષ કરાવે એવું છે. પ્રદેશ પ્રદેશે આકર્ષે એવું સ્વરૂપ છે. માટે એમાં વૃત્તિ રાખવાની તીર્થકર ના કહી છે. સંસારને પૂંઠે દેવાનું જ્ઞાની કહે છે. સંસારને ઈચ્છા નહીં. જ્ઞાની કહે છે કે તું એથી તદ્દન જુદે છે. આત્મા સંસારી થઈ ગયેલ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે મોક્ષ થાય. પરથી છૂટે તો મોક્ષ થાય, આત્મા આત્મામાં લીન થાય. “તું છે મોક્ષસ્વરૂપ.” પર વસ્તુ આત્માની નથી. બીજે આકર્ષણ થાય છે, ભિન્ન ભિન્ન પદાર્થમાં વૃત્તિ જાય છે, તેથી ઉપગ પાછો વળે તો આત્મામાં ઉપયોગ રહે. એટલે અંતર્મુખવૃત્તિ થાય. અંદરથી દેહાધ્યાસ એને છૂટી જાય તે કર્તાક્તાપણું મટે. એ જ ધર્મને મર્મ છે. બીજી વસ્તુઓની જીવ સંભાળ રાખે છે, પણ આત્મા દેખાતું નથી તેથી તેની સંભાળ પણ રાખતા નથી. આત્મા સંબંધી જે ગેડ બેસવી તે સત્પરુષ સિવાય બેસતી નથી. આત્મા તે માક્ષસ્વરૂપ છે એમ સત્સંગમાં મનાય છે. પરવસ્તુમાં ઉપગ તન્મય થઈ ગયે છે, તે છૂટે તો મોક્ષ થાય. “તારે એક આત્મા, આત્મા જેવ” એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગમાં કષાય મંદ થાય છે. મંદ કષાયના વખતમાં જ્ઞાનીનાં વચને ઊંડાં ઊતરે છે. તેથી એને પિતાના હિતની ગરજ જાગે છે. જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દઢ શ્રદ્ધા એ મોક્ષને પામે છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એને જ શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. સત્સંગમાં કષાય મંદ થઈ દષ્ટિ મધ્યસ્થ થાય છે, તેથી વિચાર જાગે. સત્વરુષના સંગ વિના અરૂપી પદાર્થને નિર્ણય થવે બહુ દુર્લભ છે. કોને સંગ કરે? એને કઈને નિર્ણય થાય, તે પણ સત્સંગ રહે બહુ દુર્લભ છે. કૃપાળુદેવે પુરુષને બદલે ઘણે ઠેકાણે સત્સંગ શબ્દ વાપર્યો છે. પુરુષનું ઓળખાણ થયા પછી પણ પુરુષને સત્સંગ મળ બહુ મુશ્કેલ છે. એટલું પુણ્ય પણ જીવનું ન હોય કૃપાળુદેવ સભાગભાઈને લખે છે કે તમને પુરુષનું એાળખાણ થયું છે, પણ તમને સત્સંગ નથી રહેતું. ઉપાધિ પ્રત્યે દ્વેષ કરવાનું નથી. જે દ્વેષ કરે તો નવાં કર્મ બંધાય. જે જે પ્રસંગે આવે તેમાં રાગદ્વેષ ન કરવા. સુખદુઃખ આવે તે આત્માને નુકશાન કરનાર નથી. જીવ પરવસ્તુની ચિંતા કરીને કર્મ બાંધે છે. મન છે તે જ શત્રુ છે, અને તે જ મિત્ર છે. જીવ પિતાના દેષ જેતે નથી. નરકમાં જીવે ઘણી વેદના સહન કરી છે. તેના જેવાં તે અહીં દુઃખ નથી. સમજણ ઉપર બધે આધાર છે. વળી સમજણ હોય તે સવળું લેવાય. મુઝાય તે આર્તધ્યાન થાય. તેથી કમ બંધાય. મન નવરું રહે તે આર્તધ્યાન કરે, સંસારની ઘટમાળમાં જાય. તેમ કરતાં રોકવું. “ડીક વાર ભલે તું રાગ દ્વેષ કર” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy