SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બાધામૃત આવે કે જાએ એવી ઉદાસીનતાનું કારણ આત્મા જ છે. આત્માની મદદ વિના કંઈ થાય નહીં. પહેલે આત્મા હોય તે જણાય, કરાય બધું થાય. એ આત્માનો ઉદ્ઘતગુણ છે. ૪. જ્ઞાયકતા. જડ અને ચેતનને જુદાં જાણવાં હોય તે જ્ઞાનગુણથી જણાય છે. જાણે તે જીવ અને ન જાણે તે જડ. જાણનારને જાણે તે જ આત્માને અનુભવ થાય. જેનામાં જ્ઞાયકતા છે તે જીવ છે. કઈ જાણવાનું બંધ કરે, મારે કશું જાણવું નથી એમ કરી બેસે, પણ જાણ્યા વગર રહેવાય જ નહીં. આત્માને અનુભવ હોય તે જ્ઞાનેપગ રાખ. જાણનારે છે તે જ મારું સ્વરૂપ છે. જીવને અનુભવ કરવા માટે આ જ્ઞાયતા ગુણ વિચારવાની જરૂર છે. “જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂ૫.” બધાને બાદ કરતાં કરતાં આ જ્ઞાયકતા ગુણ બાદ થાય એવું નથી. એ જ્ઞાનગુણ બીજા કેઈમાં હાય નહીં એટલે એ જીવનું મુખ્ય લક્ષણ કહ્યું છે. અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા છે. બીજાં લક્ષણે કરતાં જ્ઞાયકતા એ અત્યંત અનુભવનું કારણ છે. એમાં જે રહે તે અનુભવ થાય. આત્મા ચેતન્યસ્વરૂપ છે. તે જાણ્યા વગર રહે નહીં. ૫. સુખભાસ. સુખનું ભાસવાપણું એ જીવનું એક લક્ષણ છે. જડને તે હું સુખી” એવું હોય નહીં. ઇન્દ્રિયોનું સુખ કે સમાધિસુખ એ બધાનું મૂળ કારણ શોધતાં આત્મા છે. આત્મામાં સુખ છે. જડમાં એ ગુણ નથી. મને આજે સુખે નિદ્રા આવી હતી, એમ કહે છે. ત્યાં સુખનાં બીજા કારણે ન હતાં. આત્મા હતે. આત્મા એ જ સુખનું કારણ છે. સુખ એ આત્માને ગુણ છે. પુદ્ગલમાં એ રહેતું નથી. એ જીવનું જ લક્ષણ છે. નિદ્રાના દૃષ્ટાંતે જે વિચાર કરે તે સુખભાસ નામનું લક્ષણ એને જણાય. ૬. વેદકતા. વેદકતા એટલે અનુભવવું. જ્ઞાયકતામાં જાણવાનું છે અને વેદકતામાં અનુભવવાનું છે. જાણવા કરતાં વેદકતા એક જુદે સ્વભાવ છે. એને લીધે વતુ અનુભવાય છે. સુખદુઃખ જાણે દેખે તે વેદકતા નથી, પણ પિતાને સુખદુઃખને અનુભવ થાય ત્યારે વેદકતા કહેવાય. ૭. ચિતન્યતા. જીવ, ચેતન, આત્મા એ એક જ છે. વેદાંતમાં એમ કહે છે કે માયાવાળે તે જીવ અને માયારહિત તે આત્મા. જેનમાં એમ ભેદ નથી. પણ જીવ બે પ્રકારના છે–એક સંસારી અને બીજા સિદ્ધ. બન્ને જીવ છે, ચિતન્યગુણવાળા છે. બધા પદાર્થો આત્મામાં પ્રકાશે છે તે ચૈતન્યતા ગુણને લઈને છે. ગમે તેવો જળહળતે સૂર્ય હેય પણ આત્મા ન હોય તે એને પ્રકાશમાન કહે કેશુ? સૂર્ય છે તેને એમ નથી કે હું જાણું કે તમને જણાવું. જાણવા માટે એ સમર્થ નથી અને જણાવવા પણ સમર્થ નથી. ચિતન્યપણામાં પદાર્થને પ્રકાશ પડે છે. ચિતન્યપણું, વપરપ્રકાશપણું એ આત્માને ગુણ છે. શાને લઈને જણાય છે? એ શોધતાં શોધતાં આત્મા હાથમાં આવે એ છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy