________________
વચનામૃત-વિવેચન પુરુષાર્થ તો કર્યા જ કરે છે, પણ સત્ય પુરુષાર્થ નથી કરતે. “જે ઈ છે પરમાર્થ તે કરો સત્ય પુરુષાર્થ.”
વિ. ૪૩૮]
શ્રીર૦ આ૦ અગાસ, આસો વદ ૩, ૨૦૦૯ જીવનાં આ બધાં લક્ષણ છે–
“ સમતા, રમતા, ઉરંધતા, જ્ઞાયક્તા, સુખભાસ;'
વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ” એ પ્રકારે જીવ કહ્યો છે. એના દરેક ગુણ પરિણમ્યા કરે છે. શ્રી તીર્થકર એમ કહે છે કે જગતમાં અનેક ધર્મસ્થાપકે એવા થયા છે જેમણે આત્મા સંબંધી વાત કરી છે. તે પ્રત્યે અમને ઉદાસીનતા છે. બીજાએ કહ્યું છે તે એકાંતે કહ્યું છે, બાધા પામે તેવું છે. અમે યથાર્થ આત્મા જાયે છે, તે જેમ કહેવાય તેમ કહીએ છીએ. જીવનાં લક્ષણો અમે કહીએ છીએ તેનું કઈ ખંડન કરી શકે નહીં. જ્ઞાનદશનચારિત્રરૂપ આત્મા છે. જ્ઞાનથી જા, દર્શનથી છે અને ચારિત્રથી આત્મામાં સ્થિર થયા. એમ તીર્થકર આત્મારૂપ જ થયા છે. તે આત્મા કે છે તે કહે છે –
૧. સમતા. આત્માનું એક લક્ષણ સમતા છે. લોકો જેને સમતા કહે છે અને અહીં જે સમતા કહેવી છે તેમાં ફેર છે. સામાન્ય રીતે તે રાગદ્વેષ ન કરવા એ સમતા છે, પણ અહીં જેમ છે તેમ રહેવું તે સમતા છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે ત્રણે કાળ રહેવાના છે. આત્મા અરૂપી છે અને નિત્ય પણ છે. તે પ્રદેશ પ્રદેશ ચિતન્યસ્વરૂપ છે. ત્રણે કાળ ચિતન્યપણે રહે છે. કીડી થાય, હાથી થાય પણ તેના અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશ પણ વધે-ઘટે નહીં, તે સમતા નામનો ગુણ છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલીયવાર જીવ નરકમાં પણ જઈ આવ્યો, પણ એને વાળ વાંકે નથી થયા, એક પ્રદેશ પણ ઘસાય નથી.
૨. રમતા. આત્માનો સ્વભાવ રમણીય છે. એ આત્મા ન હોય તે શરીર ગંધાય. મડદું હોય તેને કસ્તુરીથી ભરી રાખે તો પણ ગંધાય. વૃક્ષને તેડી નાખ્યા પછી તેમાંથી જીવ નીકળી જાય છે, ત્યારે સુંદરતા જતી રહે છે. પુદ્ગલ સુંદર દેખાય છે, તે બધી સુંદરતા મૂળ આત્માને લઈને છે. આત્મા વિના સુંદર પણ કહે કણ? અંદર આત્મા છે તે બધું ગોઠવે છે. સુંદર વસ્તુ, રમણીય વસ્તુ આત્મા છે. જે સમતાગુણ આત્માને છે તે આ રમતગુણ પણ જીવને છે. જેને લઈને બધું રમણીય દેખાય છે તેનું કારણ આત્મતત્વ છે. એ ન હોય તે પછી કેણ કહે કે આ સુંદર છે ?
૩. ઉધતા. પિતે ન હોય તે કશું જણાય નહીં. પહેલો પિતે હેય તે જ બીજું જણાય. સર્વમાં ઉપર રહેવાનું જેનું લક્ષણ છે તે ઉર્ધ્વતા ગુણ છે. કોઈ પણ વસ્તુને જાણવા પહેલાં પિતાને જીવ છે. એના વિના કશું થાય કે જણાય નહીં. બીજું જે જડ છે તે જાણે એવું નથી. એ ઉરધતા ધર્મ આત્માને છે. ગ્રહણ કરવું, ત્યાગવું અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org