________________
૧૧૮
બધામૃત હતું પણ મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી, તેથી સમકિત કહ્યું છે. દેહધારી સપુરુષથી કલ્યાણ થાય છે. એથી મિથ્યાત્વ અને કષાય મંદ થઈ શકે છે. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” આત્મજ્ઞાનને માટે “યમનિયમ'માં ટૂંકે રસ્તો બતાવ્યું છે. આત્મજ્ઞાનીના સંગે જે લાભ થવાને છે તે બીજે, ગમે તે સાધન કરે પણ, ન થાય. કેવળજ્ઞાની કરતાં તીર્થ કરનાં વચને વધારે અસર કરે છે. મૂળ ઉપકાર મહાપુરુષોને છે. નવકારમાં પહેલા નમસ્કાર રિડું તને કર્યા છે તે એમના ઉપકારને લઈને છે. મહાપુરુષનું કહેલું કૃતે તે ઉપકારી છે. આત્માને જાગ્રત કરે એવાં પુરાણ આદિ શ્રુતજ્ઞાની વિના ન રચાય. કરવા જેવું શું? તે કે એક પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પ્રત્યક્ષ સદ્દગુરુ વિના શાસ્ત્ર (તીર્થકરનાં વચન) ન સમજાય. એની જરૂર છે. ઘણાં પુસ્તકો વાંચીને પણ પુરુષની ભક્તિ એ કરવું છે. જીવનું કલ્યાણ કેમ થાય તે બીજા ભવમાં ઊગી નીકળે છે. જેમકે ભીલના ભાવમાં સંસ્કાર પડ્યા તે શ્રેણિકને ઊગી નીકળ્યા. સત્પરુષનું એક વચન પણ જીવનું કલ્યાણ કરે છે. “સેવે સદ્દગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ.” એ વિના કશું થાય એમ નથી. યવિજયજીને આનંદઘનજી મળ્યા ત્યારે કામ થયું. જ્યાં દીવે છે ત્યાં જાય તે દીવો થાય.
આહારદાન કે નમસ્કાર પુરુષને કર્યા હોય તે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આ જીવ પિતાને ભાવ રાખડીમાં ઢાળે છે. આત્માને આત્મા જાણવો અને દેહને દેહ જાણો. એ જ કરવાનું છે. પાત્રતા જોઈએ. “પાત્ર થવા સેવા સદા બ્રહ્મચર્ય અતિમાન.” બધાનું મૂળ ભાવ છે.
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” પાંચ ઈન્દ્રિયોના વિષયમાં જીવ ઠગાયો છે. ક્ષણ ક્ષણ આત્મામાં શું થાય છે, તેનો વિચાર કરવાનું છે. બધેથી છૂટવું છે. કંઈ કરવું પડે તે વેઠ જાણીને કરવું. જ્યાંથી હિત થાય ત્યાં લક્ષ રાખો. દેહથી અનંતગણી કાળજી આત્માની રાખવાની છે, તે કલ્યાણ થશે. આત્માને લક્ષ જેથી આવે તેવાં સાધન–વાંચવું, વિચારવું, ધ્યાન કરવું વગેરે કરવાં.
જીવ ક્યાંય ગયો નથી. માત્ર એની દષ્ટિ બહાર છે. “સમજ પીછે સબ સરલ હૈ, બિન સમજ મુશ્કિલ.” સત્ તે સત્ જ છે, સરલ છે. જ્યાં શુદ્ધતા છે ત્યાં મોક્ષ છે. મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” સમજે તે સરલ છે, સહજ છે. સમજ મેટી વસ્તુ છે.
“સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ;
સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.” સમજની ખામી છે. જ્યાં દષ્ટિ કરવી છે ત્યાં થતી નથી. જીવને સમજવાનું છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” “સહજ વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી.” (૬૦૯). સમજ નથી. વિપરીતતા ટાળવા કહે છે. વિપરીતતાને લઈને અનંત સાધન કર્યા પણ જે કરવાનું હતું તે નથી કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org