SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વથનામૃત-વિવેચન ૧૧૭ થાય છે. સુખ શાને લઇને લાગે છે એને વિચાર કરે તે આત્મા સિવાય બીજે સુખ હેય નહીં તે સમજાય. આ જીવ કપડાં પહેરવામાં, ખાવા, પીવા વગેરેમાં સુખ ક૯પે છે. મનના આધારે સુખ ક૯પે છે, પણ સુખ આત્માને આધારે છે. આત્મા હોય તે જ સુખ થાય. જડને કંઈ સુખ લાગે? નિદ્રામાં સુખ લાગે છે, ત્યાં કોઈ સાધન નથી છતાં સુખ લાગે છે તેનું કારણ ત્યાં આત્મા છે. આત્મા સિવાય સુખ ક્યાંય હોય નહીં. છઠું વેદકતાએ જ્ઞાયકતાથી જરા જુદું છે. નરકના જીવે વેદે છે તે જ્ઞાની જાણે, પણ વેદે નહીં. વેદવામાં જીવને સ્પષ્ટ અનુભવ થાય છે. આત્મા સિવાય બીજા પદાર્થમાં સુખ દુઃખનું વેદન હેતું નથી. સાતમું ચિતન્યતા–જે ચૈતન્યપણું છે તેમાં બધું ભાસે છે. ચૈતન્યમાં બધા ગુણે સમાવેશ પામી જાય છે. જાણવું દેખવું એ સર્વને સામાન્ય ગુણ ચૈતન્યપણું છે. આત્મામાં ઉપગ છે તે પરપદાર્થમાંથી ફરી આત્મામાં આવે તો તેના ચૈતન્યગુણમાં આખું જગત જણાય છે. જડમાં નથી તે ચેતનગુણ આત્માને છે. આત્માનાં આ લક્ષણે કહ્યાં તે બધાં દરેકના આત્મામાં છે. સિદ્ધભગવાનમાં પણ એ ગુણે છે. ભા દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” આત્મા અરૂપી પદાર્થ છે પણ તેનાં લક્ષણથી ઓળખાય છે. [વ. ૪૩૬]. ૧૩૧ જેસલમેર, મહા વદ ૧૨, ૨૦૦૮ આત્માનું જ્ઞાન થવા માટે દોહરે કહે છે – સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” આત્મા થઈને આત્મા કહ્યો છે, તે ભેદજ્ઞાનનું કારણ છે. તીર્થકર જેવો ઉપકાર કરનાર જગતમાં કેઈ નથી. જ્ઞાનીનું ભાતું મેક્ષ સુધી કામ આવે તેવું છે. ભગવાનના ઘણા ઉપકાર છે, પણ આત્મા સંબંધી માટે ઉપકાર છે. તેમણે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ કહ્યું છે. સંસારના જીવોને જન્મમરણ કરતા દીઠા તેથી દયા લાવી કહે છે કે “બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા.” (૭૬). પુરુષના યોગે જીવ પલટાય છે. અંજનચર જેવા પાપીનું પણ પુરુષના ગે કલ્યાણ થયું. તેથી તીર્થકરનું કહેવું એ છે કે કેઈ એક પુરુષને શોધે, તેના વિના ભૂલા પડશે. કૃપાળુદેવ લખે છે કે ઘણે કાળ શાસ્ત્રાભ્યાસ કર્યો તેનું ફળ આ મળ્યું. સૂયગડાંગમાં ગુરુને આધારે–આજ્ઞાએ વર્તતાં મોક્ષ થાય છે એમ કહ્યું છે. પુરુષ દ્વારા શાસ્ત્ર સમજાય. નહીં તે જેવી કલ્પના કરે તેવો આત્મા ભાસે. સપુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે. તેની શ્રદ્ધા પરમ દુર્લભ છે. તીર્થકર ભગવાનના બધાય શિષ્યને સમકિત ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy