SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત–વિવેચન ૧૧૫ ઘણી વખત હાથમાં આવે છે. પરમાથ પ્રાપ્તિરૂપ ધર્મનાં સાધના સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્ગુરુ એ પ્રાપ્ત થવાં દુ`ભ છે, દુઃખે કરી પ્રાપ્ત થાય, એવેા આ કાળ છે. સુગમમાં સુગમ કલ્યાણના ઉપાય એટલે જ્ઞાનીના સમાગમ; તે આ કાળમાં દુર્લોભ છે. એ પરમ સત્સંગ કલ્યાણના સુગમ ઉપાય છે. કૃપાળુદેવ કહે છે કે અમારાથી વિશેષ દશાના પુરુષ મળ્યા હેત તે। અમે બધું મૂકીને તેમની પાછળ જતા રહ્યા હોત. એવા પુરુષોની આ કાળમાં ખામી છે. “એવું સ્થાન કયાં છે કે જ્યાં જઇને રહીએ ? અર્થાત્ એવા સંતે કયાં છે કે જયાં જઈને એ દશામાં બેસી તેનું પાષણુ પામીએ? ” (૧૨૮). જેની દશા ઉત્કૃષ્ટ છે એવાનેા સંગ તે પરમ સત્સંગ છે. અને સામાન્ય વૃત્તિવાળા જીવેાના સમાગમ તે સત્સંગ છે. એક તા જીવને પેાતાને છૂટવાની ભાવના થવી મુશ્કેલ છે. જ્ઞાનીનું કહેલું એની રુચિને મળતું આવતું નથી. પહેલાંના લેકેાને ત્યાગની ભાવના નાનપણથી રહેતી, પણ આ કાળમાં એવું થતું નથી. જીવ મુમુક્ષુ હાય, સાંસાર ગમતા ન હૈાય તેમ છતાં ‘મને શાસ્ત્ર સમજાય છે, મને ખબર છે' એમ થઈ જાય છે. અથવા સત્સંગમાં કેઈ વાત થતી હાય અને પેાતાને ન સમજાય તેા પૂછે નહી, બધાની સાથે ડાકુ હલાવે કે હા મને સમજાય છે. એ માયા છે. માયા ખસે ત્યારે સરળપણું આવે. ભગવાનના માગ સીધેા છે. પેાતાના દોષ જીવ છુપાવે છે. કેઈ પૂછે કે તને ઊંઘ આવે છે ? તા કહે ના. જાણે મારા દોષ દેખાઈ જશે એમ મનમાં થાય છે એ માયા છે. આ કાળમાં નિવૃત્તિના ચેગ મળવા બહુ મુશ્કેલ છે. મુમુક્ષુપણું અને સરળતા એ તા પેાતાને કરવાનુ છે અને નિવૃત્તિ મળવી એ પ્રારબ્ધને આધીન છે. નિવૃત્તિ ન મળે એવા કાળ આવી ગયા છે. જીવાનું એવુ' પુણ્ય નથી. પહેલાં તે લેાકેા દિવસે ચાડું કામ કરતા છતાં આજીવિકા જેટલું મળી રહેતું, પણ અત્યારે તે આખા દિવસ અને રાત્રે પણ કામ કરે તેાય નવરાશ મળતી નથી. નિવૃત્તિ મળવી. આ કાળમાં મુશ્કેલ છે, નિવૃત્તિ હાય તા સત્સંગ થાય સત્પુરુષ ગામમાં ચામાસે (ચામાસુ કરવાના નિમિત્તે) આવ્યા હેાય તેાય કહે કે મને કથાં નવરાશ છે? જેમ જેમ અનુકૂળતા વધે છે તેમ તેમ જીવ માળેા પડતા જાય છે. દુષમકાળ તેા ઘણા આવે છે પણ તેમાંય આવા હુંડાવસર્પિણી કાળ તે કેાઈક વખતે આવે છે. એવા કાળમાં ધમ પામવો દુર્લભ છે. હુંડ એટલે વક્ર, બિહામણેા. મુમુક્ષુતા અને સરળપણું એ તે જીવને પહેલાં ઘણીવાર આવ્યાં છે, પણ સત્સંગના યાગ તે ચેાથા કાળમાં પણ દુર્લભ હતેા. મહા પુણ્ય હોય તે સત્પુરુષનું એાળખાણ થાય અને પછી સત્સંગ રહેવો મુશ્કેલ છે. મનુષ્યપણું દુર્લભ છે. કલ્યાણુની જિજ્ઞાસા થવી દુલભ છે. એ જિજ્ઞાસા થાય તાય સત્સંગ મળવા બહુ મુશ્કેલ છે. લૌકિક પુણ્ય તા ઘણીવાર મળ્યું છે. પણ આમાં અલૌકિક પુણ્ય જોઈ એ છે. સત્પુરુષને ચેાગે બધું સવળું થઈ જાય છે, બધાને સફળ કરનાર સત્પુરુષના ચેાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy