SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત આ માને અનુભવ થાય, એ અનુભવમાં સ્થિર ન રહેવાય ત્યારે આત્માને લક્ષ રહે, અન્ય કાર્યમાં તન્મયતા થતાં એ લક્ષ ન હોય ત્યારે આત્માની પ્રતીતિ ન જાય, છેવટે પ્રતીતિ તે રહે જ, તે પરમાર્થ સમકિત અથવા નિશ્ચય સમકિત છે. ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયક એ ત્રણે પરમાર્થ સમકિત છે. પરમાર્થ એટલે અનુભવસ્વરૂપ. “એક હેય ત્રણ કાળમાં પરમારથ પંથ'' આત્મા અરૂપી પદાર્થ છે, તેથી એની જગ્યા કોઈ બીજે લઈ લે છે. મને પ્રકાશ દેખાય છે, મને કૃષ્ણ દેખાયા, એ જ આત્મા છે, એમ બીજું માની લે છે. પિતાના આત્માને જાણવા માટે ઇન્દ્રિયે રેકી પોતાનામાં જાય તે જણાય. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવ ખેદ, પ્રાણાયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” | એવા આત્માથીને પુરુષને બંધ થાય તેવી સુવિચારણા જાગે, ત્યારે સમ્યગ્દર્શન થાય. એ પરમાર્થ સમકિત ન હોય અને સત્યરુષને ચોગ થયે હોય, તેમની શ્રદ્ધા થઈ હોય, તે તેને પણ સમતિનું કારણ ગણીને સમકિત કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી વિપરીત ભાસે. જેમ જેમ અંતરંગ કમ માર્ગ આપે તેમ તેમ દષ્ટિ ફરે. મુખ્ય કારણ તે વાગ્યે ઉપશમ છે. એ હોય તો સમકિત પ્રગટે. “સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ” એ વ્યવહાર સમકિતનું લક્ષણ છે. જેને પરમાર્થ સમકિત છે તેની જેને શ્રદ્ધા છે તેને બીજરુચિ સમકિત કહ્યું છે. જે જીવને પુરુષને વેગ ન થયો હોય, પણ રોગ થાય તે તનમનધન અર્પણ કરે એવી શક્તિ હોય તો તે માર્ગાનુસારી છે. નરસિંહ મહેતા, મીરાં વગેરેને કૃપાળુદેવે માનુસારી કહ્યાં છે. જેણે માને માટે તૈયારી કરી રાખી છે, તે માર્ગાનુસારી છે. કૃપાળુદેવ કહે છે કે દેહ સંબંધી કઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તેમાં આત્માને જ લક્ષ છે. પિતાને માટે પરને માટે પ્રવૃત્તિ કરવી પડે છે એ સર્વમાં લક્ષ આત્માર્થને જ છે. બીજા કઈ પદાર્થની અમે ઈછા કરતા હોઈએ તોય તે આત્માથે જ છે. સત્સંગની ભાવના થતી હોય તે તે દેહને અર્થે નહીં, પણ આત્માર્થ સાધવા માટે છે. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે પણ તેમાં આત્માર્થ ભુલાતો નથી. નિરંતર આત્મામાં જ વૃત્તિ રાખે છે. બીજું બધું તે એમને લેશરૂપ લાગે છે. નિરંતર આત્માર્થમાં જ લક્ષ રહે છે. ૧૨૮ [વ. ૪૩૩] આ કાળ દુષમ કેમ છે? એમ સેભાગભાઈએ પૂછયું હશે. તેને ઉત્તર કૃપાળુદેવ ટૂંકામાં લખે છે. દુષમ એટલે દુઃખે કરી પ્રાપ્ત થાય છે તે ધર્મ છે. દુઃખે કરી માર્ગની પ્રાપ્તિ થાય એવો આ કાળ છે. સાચી વસ્તુ હાથમાં આવવી મુશ્કેલ છે, નકલી જ વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy