________________
વચનામૃત-વિવેચન વેદનીના વખતમાં કેમ રહેવું, તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છેડવાનો છે. “છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તે કર્મ.” દેહ મારે નથી એમ થાય તે દેહાધ્યાસ છૂટે. “દેહ તે હું' એમ થઈ ગયું છે, તે કેમ ખસે? એને આપણે મોટામાં મોટે વિચાર કરવાનો છે. એ કર્તવ્યરૂપ છે, એમ જીવને યાદ રહેતું નથી. દેહમાં મમતા કરવા જેવું શું છે? એ તે હાડકાં, માંસ, ચામડી, વાળમાં મેહ કરવા જેવું છે. “દેહ મારો છે એવો ભાવ તે મિથ્યાત્વ છે. માટીના પૂતળા જે આ દેહ છે. માટી તે પવિત્ર છે, પણ દેહ અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર મિથ્યાત્વ છે. તે ટાળવાનું છે. આ આત્મા છે તે દેહને માટે શોચવાયેગ્ય નથી. દેહને માટે આર્તધ્યાન કરી આત્માને દુઃખી કરવા જેવું નથી. “કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦). સમભાવ કેળવવાનું છે. એને માટે પુરુષાર્થ કરે. સમભાવ વગર સમાધિ થાય એવું નથી.
બેય પદાર્થ જુદા છે, તદ્દન જુદા છે. એક તે જાણે અને એક ન જાણે, તેમાંથી ન જાણે તેને પિતાનું માની દુઃખી થાય છે. કલ્પનાથી દુઃખી થાય છે. આત્માની અજ્ઞાનદશા છે, તે જ ભૂંડી છે. પરમાર્થ સંબંધી અજ્ઞાનનું જે દુઃખ છે તે જીવને લાગતું નથી. દેહનું દુઃખ લાગે છે. જે થવાનું છે, બાંધેલું છે, તેમાં બેટી થાય છે. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હોય, તેમાં ચિત્ત રાખે તે છુટાય. એને ભૂલી બીજા વિકલ્પ કરે છે. જીવ બીજા વિચારમાં તણાઈ જાય છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (પ૬૯). એટલે બધે લાભ છે. માત્ર દષ્ટિની ભૂલ છે. હું દેહ નથી એમ થાય તે નિરાંત થઈ જાય. “શુદ્ધભાવ મુજમાં નથી.” એ આવ્યા વિના મોક્ષ ન થાય. સર્વ ભાવ પ્રભુરૂપ થાય તે શુદ્ધભાવ આવે. દેહ પ્રત્યે મૂછ કરવા જેવું નથી. દેહની મૂછ જેણે છોડી, તેને નમસકાર છે. જેને આત્મદષ્ટિ થઈ હોય તેને પિતાને દેહ જડ લાગે, બીજાને દેહ પણ જડ લાગે. સિંહ આવે, તે પણ એને આત્મા દેખાય તેથી ભય ન લાગે. દેહ ઉપરથી મોહ છૂટે તે બસ. જ્યારથી જ્ઞાનની પ્રતીતિ થઈ ત્યારથી દેહ છૂટી ગયો એમ જાણવું. સુખદુઃખના પ્રસંગમાં હર્ષશોક ન થાય ત્યારે દેહથી આત્મા ભિન્ન જાયે કહેવાય. દેહનું માહાસ્ય લાગ્યું છે તે જવા, તેને ઘડા જે, જાજરા જે વિચારવાનું છે. તેને હવે આમે માનો નથી. દેહને મેહ જેમ એ છે થશે તેમ આત્મા ભણી વળાશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ જે મેક્ષરૂપ છે, તેને મૂકી દેહ જે ગંધાતે છે તેને પિતાને માને છે. દેહની ફિકરમાં બધા ભવ ગાન્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી. એ એક નિર્ધાર કરી મૂકે. વ્યવહારમાં વર્તતાં એ વાત ન ભૂલવી. હૃદયમાં કતરી રાખવી. જુદું તે જુદું જ માનવું. જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે. એ જ વારંવાર લક્ષમાં રાખવું. ઘડાને જેનાર જેમ ઘડાથી જુદો છે તેમ આત્મા દેહથી જુદે છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે “આત્મા જુઓ” તે પ્રભુશ્રીજીને એવું એંટી ગયું કે ત્યારને દિવસ અને આજની ઘડી સુધી એમને એ છૂટયું નથી. એમ ચૂંટી જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org