SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ બધામૃત એ છ કરે છે એવો નિશ્ચય કરે. હવે પ્રમાદમાં મારી ક્ષણ પણ ન જાય. પછી તપાસે કે મારો વખત કેટલે પ્રમાદમાં જાય છે? મારે પ્રમાદને ટાળવે છે. મોક્ષમાર્ગમાં વર્તાતું નથી એનું કારણ પ્રમાદ છે. પ્રમાદ ટાળે તે માગ મળી કામ થાય એવું છે. પ્રમાદમાં ઘણે વખત ગાળે છે. આ ભવમાં ધર્મ થાય એવું લાગ આવ્યું છે. સમય માત્ર પણ પ્રમાદ ન કરવો એમ ભગવાને કહ્યું છે. મારે પ્રમાદ ઓછો કરવો છે, એટલું પણ મનમાં રહ્યા કરે તો મોક્ષમાગને વિચાર આવે. એમ વિચારતાં સમજાય ત્યારે મોક્ષમાર્ગમાં સ્થિરતા થાય છે. “કર વિચાર તે પામ”, વિચાર કરે તે પમાય એવું છે. મોક્ષમાર્ગ વિચારવાનો છે. ધર્મના કામમાં ઢીલ કરવા જેવું નથી. કાલે કરીશ એમ ન કરતાં ઉતાવળે કરી લેવું. પુરુષના વિયોગે પણ વિચારવું. સાંભળ્યું હોય તે ભૂલી ન જવું. [વ. ૪૨૫]. ૧૨૫ શ્રીરાવ આ૦ અગાસ, આસો વદ ૭, ૨૦૦૯ કૃપાળુદેવે મોહને દૂર કરવા માટે કેડ બાંધી છે પણ ઉપાધિમાં રહી મોહમાં ચિત્ત ન જાય એવું બળ નથી. એ ચારિત્રહ છે. જેમ ઋષભદેવ ભગવાનને ઉપસર્ગો આવ્યા તો પણ ધ્યાનમાં અડગ રહ્યા, છ મહિના સુધી ખાવાનું ન મળવા છતાં મને ન મળ્યું એમ ન થયું, એવું અમારામાં કઠિનપણું એટલે આત્મસ્થિરતા નથી. ઉપાધિ છે તે ઉપસર્ગ છે, તે સમતાથી સહન કરીએ છીએ, એમ કૃપાળુદેવ કહે છે. સમભાવ રાખવાની ભાવના કરે છે. ઉપાધિ જઈને એમને એમ થાય છે કે આવું જ્ઞાન છે અને વચ્ચે આ પ્રારબ્ધ ક્યાંથી? એમાં બીજા જીવોને લાભ ન થાય, તેથી ખેદ થાય છે. અંતરમાં નિર્ચથદશા છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બાહ્ય નિગ્રંથદશા આવી નથી. સંસારના જીવો દુઃખી છે તે જોઈને એમને ખેદ થાય છે. દયાને કારણે એમ લાગી આવે છે કે ઘણા જીવોનું કલ્યાણ થાય એવું જ્ઞાન છે, એવો વૈરાગ્ય છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બીજા જીવનું કલ્યાણ કરાતું નથી. દયા આવવાથી આંખે આંસુ પણ આવી જાય છે, “અમારું હૃદય રડે છે.” (૬૮૦). એમને પરમાર્થ સંબંધી દુઃખ નથી, પણ બીજા જીવોનું કલ્યાણ થતું નથી તેથી ખેદ રહે છે. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે આટલા લેખ ઉપરથી અમારા હૃદયમાં કેટલો ઉદ્વેગ થાય છે, તે તમને બરાબર સ્પષ્ટ નહીં સમજાય, પણ તમે પરિચયમાં આવેલા છે. તેથી કેટલેક અંશે સમજાશે. જગતના જીવોનું હિત કેમ થાય ? એ એમને મોટું દુઃખ છે. જ્ઞાનીનું ઓળખાણ થાય, આજ્ઞા ઉઠાવે તો ઘણું જેનું કલ્યાણ થાય. “આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે તે સાવ સોનાનું થાય તે પણ અમને તૃણવત્ છે.” (૨૧૪). એવી દશા છતાં, ઉદાસીનતા છતાં, મનમાં જીવોના કલ્યાણની ઈચ્છા રહે છે. ઉપાધિયેગ વહેલે પતી જાય તે સારું એમ રહે છે તેનું કારણ એ જ છે. જગતમાંથી અમારે કશું જોઈતું નથી. જે આવે તે સહન કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy