SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ વચનામૃત-વિવેચન છે એમ કહેનારા ઘણુ મળી આવે છે. નજીવી વસ્તુઓને ઉત્તમ ધર્મ માને છે, પણ સમજણ ક્યાં અને ક્રિયા ક્યાં? અધ્યાત્મશાસ્ત્રો વૈરાગ્યસહિત, પક્ષપાત છેડી મધ્યસ્થતાથી, કષાય પાતળા પડયે, પ્રજ્ઞાવિશેષથી, સદ્દગુરુગમે, સપુરુષ-જ્ઞાનીના સમાગમે સમજવાયેગ્ય છે. નહીં તે શાસ્ત્ર તે શઅરૂપ પરિણમે. મને જ્ઞાન થઈ ગયું, હું સમજે એમ જીવ કરે છે. હવે આત્મકલ્યાણ માટે કંઈ કરવાનું નથી, એમ માને તે શુષ્ક અધ્યાત્મી છે. સંસારનું કારણ એ જે વ્યવહાર, તેને આગ્રહ છોડવા જ્ઞાનીએ કહ્યું છે. એમાં જ મોક્ષમાગ માની બેસે તેને જ્ઞાનીએ નિષેધ કર્યો છે. જેથી પરમાર્થ સધાય એવા વ્યવહારને કોઈ સ્થળે નિષેધ કર્યો નથી. જેમ કે આ દાનાદિ ક્રિયાથી મને દેવક મળે, એવી નિદાનબુદ્ધિવાળા દાનાદિન નિષેધ કર્યો છે અથવા તે સાધુને દાનક્રિયાને નિષેધ છે, પણ સમૂળગું દાન ઉત્થાપવાયોગ્ય નથી. જે વ્યવહાર કરવાથી તેનું ફળ પરમાર્થ આવે તે વ્યવહાર કરવા સદ્ગુરુએ કહ્યું છે. એ વ્યવહાર ઉત્થાપવાથી પિતે ધર્મ ન પામે અને બીજાને પણ ન પામવા દે, તેથી દુર્લભબધી થાય. આવા દુષમ કાળમાં સાચી વસ્તુ હાથમાં આવી હોય તે પણ ન સમજાય. માન પૂજા આદિની ઈચ્છાએ ફરનારા એવા ગુરુઓ જીવેને અવળે રસ્તે ચઢાવી દે છે. આ કાળમાં જીવે કરવાગ્ય શું છે ? (૧) પિતે સદ્દગુરૂનું શરણ લેવું, (૨) ધાદિ કષાયને શમાવવા, (૩) મોક્ષ સિવાય બીજી ઈચ્છા ન રાખવી, (૪) વૈરાગ્ય રાખ, (૫) કષાય ઉદય આવે ત્યારે અભાવ લાવ પણ વધારવા નહીં, (૬) શાસ્ત્ર સમજવા સત્સંગને આધાર લેવો. મુખ્ય માર્ગ તે આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કષાય ઘટે. એ માર્ગ આરાધવાનો છે. સમ્યગ્દર્શન વગર બધું ઊંધું થાય છે. સમ્યગ્દર્શનને માટે જે જે ગુણે જોઈએ તે જીવમાં ન હોય તે સમ્યક્ત્વ ન થાય. શેાધક જીવ હોય તેને ચેતાવવા કૃપાળુ દેવે લખ્યું છે કે ક્યાંય માથું ન મારવું. આ કાળમાં એક ભવ કરીને મોક્ષે જાય એવી દશા પણ થઈ શકે છે. શમસંવેગાદિ ગુણે આવે તે મુમુક્ષુતા આવે. મુમુક્ષુતારૂપી આંખ હોય તો સદગુરુ ઓળખાય. સત્સંગ, સન્શાસ્ત્રાદિ સેવવાનાં છે. ગમે તે કાળ હોય પણ જીવ ધારે તે ધર્મઆરાધના કરી શકે છે. સાચની ભાવના હોય તેને સત્ય વસ્તુ મળી આવે છે. છ પદની શ્રદ્ધા દઢ કરી લેવી. આત્મા છે, નિત્ય છે એ બે પદની શ્રદ્ધા થાય તે બીજા બધાં પદની શ્રદ્ધા એની મેળે થાય છે. પ્રથમ પદમાં જ શ્રદ્ધા થઈ નથી, ત્યાંસુધી સમકિત નથી, મિથ્યાત્વ છે. મિથ્યાત્વી ગમે તેવી ક્રિયા, ધ્યાન, જપ વગેરે કરતો હોય છતાં ક્યારે પાછો પડે તે નક્કી નથી. જેમ એક ગાંડી બાઈ કૂવે પાણી ભરવા જાય, પણ જ્યારે પાણીને ઘડો ભરીને ઘરમાં પાછી આવી સંભાળીને મૂકે ત્યારે ખરી. કારણ કે ક્યારે એ ઘડે ફેડી નાખે તે કહી શકાય નહીં. એવું મિથ્યાત્વનું છે. [વ. ૪૨૩] ૧૨૪ જેને પિતાનું જીવન સુધારવું હોય તેણે કેમ વર્તવું તે કહે છે. પહેલું તે મારે પ્રમાઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy