________________
૧૦૮
બેધામૃત એ લક્ષ રાખીને સાંભળવું, વિચારવું. આ કાળ એ છે કે સપુરૂષની છાયામાં રહે તે જ ધર્મ પમાય છે. અત્યારે શરીરના મોજશોખનાં સાધનો વધ્યાં છે તે કળિકાળને જ પ્રભાવ છે. મોક્ષની પ્રતિકૂળતા વધી ગઈ છે. કેટલાય કાળ વ્યતીત થઈ ગયા પણ કલ્યાણ થયું નહીં. વધારે પુરુષાર્થની જરૂર છે.
પરમાર્થમાર્ગ જેણે આરાધ્યો હોય તેવા જી આ કાળમાં થોડાક જન્મે છે. બાકી તે દેવલેક કે બીજા ક્ષેત્રે જાય. આ કાળમાં સારા સંયોગો હેત તે સહેલાઈથી પરમાર્થ પ્રાપ્ત થાત. કાળ એ છે કે પુરુષને શોધવા જાય તો પણ મળવા કઠણ છે. પ્રભુશ્રીજી આશ્રમમાંથી સ્ટેશને આવી બેસતા અને મારી પાસે વંચાવતા, પણ કઈ ન આવે. ઘણા સપુરુષ હેત તો આ કાળને દુષમ કહેવાનું રહેતું નહીં. આ કાળમાં ધર્મ ન થઈ શકે એમ નથી. પણ દુઃખે કરી પ્રાપ્ત થાય એવો આ કાળ છે. જીવની ઈચ્છા હોય તો ધર્મ આરાધી શકે છે. જીવ પુરુષાર્થ કરે તે થાય એવું છે. જેને સત્સંગને વેગ મળે છે, તેને તે આ કાળ ચોથે આવે છે, કુંડામાં રત્ન છે. જીવ ધારે તે બધું કરી શકે છે.
ધર્મ શું? તે જીવે જાયું નથી. તેથી જે કુળમાં જન્મ્યો હોય, તે કુળધર્મમાં જ મંડી પડે છે. આરાધકને તે ખબર પડે છે, પણ અનારાધકને ખબર પડતી નથી. ધર્મની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ નથી; પુરુષ મળે તે ધર્મની પરીક્ષા થાય, પણ સત્પરુષ મળવા દુર્લભ છે, મળે તે ઓળખવા મુશ્કેલ છે. જીવને પુણ્યની ખામી છે. આ કાળમાં પરમાર્થની બધી સામગ્રી મળી આવે એવા છે તે કેઈક જ હોય છે. અસત્સંગના આગ્રહવાળે જીવ હોય તો પુરુષ મળે તે પણ એ આગ્રહ છૂટવા બહુ મુશ્કેલ છે.
જ્યાં જીવ જાય ત્યાં ચોંટી જાય છે. મારે શું કરવું જોઈએ ? એ વિચાર જ નથી આવતું. માગ સારો લાગે તે પણ બીજા મને શું કહેશે? એવા ભાવથી ગ્રહણ ન કરે. પુરુષને યોગ થાય, સાંભળવા મળે, પણ ગ્રહણ કરવાનું બળ ન હોય. જ્ઞાનીએ કહ્યું છે, તે મારે કરવું જ છે, એવું બળ આ કાળના જીવમાં નથી. જીવ એમ માને છે કે “મારું” સાચું છે, એથી જીવ અટકે છે. હાય મિથ્યાત્વ અને માને સમ્યકત્વ, એ જ માટી ભૂલવણું છે. એમ આ કાળમાં મુશ્કેલી બહુ છે, પણ પુરુષાર્થ કરે તે થઈ શકે છે.
સદૂગુરુના વેગ વિના જીવ એકાંતમાં ખેંચાઈ જાય છે. કોઈ જીવ જ્ઞાનને નિષેધે છે અને જે ક્રિયા કરતા હોય તેને જ ધમ માને છે. કેઈ ક્રિયાને નિષેધ કરી જ્ઞાનમાં જ વળગી રહ્યા છે. અધ્યાત્મશાસ્ત્રો સ્વચ્છ દે વાંચે. મેં શાસ્ત્રો વાંચ્યાં છે, હું અધ્યાત્મ સમજી ગયો એમ માને છે. પછી સત્પરુષ પણ એની માન્યતા પ્રમાણે કહે તે માને, નહીં તે ન માને. જ્ઞાન અને ક્રિયા બને જોઈએ એમ તેઓ સમજતા નથી. વળી કઈ તે સર્વ ધર્મકાર્યોને ઉત્થાપનારા છે, પરમાર્થ સાધક વ્યવહારને ઉથાપે છે. (૧) શુષ્કક્રિયાવાદી, (૨) શુષ્કઅધ્યાત્મ અને (૩) શુભ વ્યવહારને ઉત્થાપનારા-એમ ત્રણ પ્રકારના જી છે. જ્યાં ધર્મ શોધવા જાઓ ત્યાં એવા ગુરુ હાથમાં આવે છે.
જે શુષ્કક્રિયા કરે છે, તેને પિષનારા પણ મળે છે. તમે બહુ તપ-ઉપવાસ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org