SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત વિવેચન ૧૦૭ ફારવાની ઈચ્છા થતી નથી. છતાં સામા જીવના પુણ્યથી થાય છે, એમાં ના નથી. એમાં તીર્થંકરપણાને બાધા નથી, બીજાને દેખાડવા માટે કરતા હોય તેા એ તીથકર નથી. આ કાળમાં કેવળજ્ઞાન, ક્ષાયિક સમકિત ન હેાય એવું એકાંતે હ્યુ નથી. દશમાલવિચ્છેદમાં ક્ષાયિક સમકિત પણ આવે છે. ક્ષાયિક સમકિત એટલે જે સકિત જાય નહીં. સાતે પ્રકૃતિનો ક્ષય કરી નાખે તેને એ સમકિત થાય છે. આ ભવે મેક્ષે જાય તે ચરમ-શરીરી કહેવાય છે. આ કાળમાં અશરીરીભાવ થઈ શકે છે તે તે સિદ્ધપણા જેવું જ છે. શાસ્ત્ર એ સદ્ગુરુ દ્વારા સમજવાયેાગ્ય છે. આ કાળમાં મેાક્ષ ન થાય એવું એકાંતે કહેવાયેગ્ય નથી. ભગવાનનાં વચન સ્યાદ્વાદ છે, એકાંતે નથી. અશરીરીભાવે રહેવાતું હાય તે તે ભાવથી સિદ્ધપણું જ છે. કૃપાળુદેવ કહે છે કે અશરીરીભાવે આ કાળમાં ન રહેવાય એમ કહેા, તે આ કાળમાં અમે નથી એવું કહેવા ખરાખર છે. અને અશરીરીભાવે રહીએ છીએ. “અમે દેહધારો છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫). દશ+ ખેલના વિચ્છેદ સંબધી આગમમાં કહ્યું હોય તે પણ એ કઈ જ્ઞાની પાસે સમજવાયેાગ્ય છે. એના આશય જે સમજે છે, તેની પાસે એ સમજવાનું છે. કઈ અપેક્ષાએ એ કહ્યું છે? તે સમજવા જેવું છે. આગમા આશય સમજાવનારા જ્ઞાની દ્વારા સમજવાયેાગ્ય છે, નહીં તે એકાંત વિચારે તે સમજાય નહીં, એ વાંચીને, સમજીને કરવાની તા સ્થિરતા છે. એ સત્પુરુષ વિના થાય એમ નથી. [વ. ૪૨૨] ૧૨૩ શ્રી શ॰ મ‘૦. આહાર, ફાગણ સુદ ૮, ૨૦૦૮ દુકાળના અવસર હેાય ત્યારે લાકા ગમે તેવું લૂખુંસૂકું લેાજન મળે તેથી ચલાવે છે, ભેાજન મળવું મુશ્કેલ પડે છે. એવા આ કાળમાં પરમાર્થરૂપી દુકાળ પડયો છે. તેથી પરમાથ પ્રાપ્ત થવા દુર્લભ છે. બીજી વસ્તુએ પહેરવા–એઢવાનું તે સારું થયું છે, પણુ આ કાળમાં પરમા પામવો દુર્લભ છે. આકાશમાં ઉડતાં વિમાને આદિ ઘણુંય થયું છે પણ પરમાથ આ કાળમાં દુઃખે કરી પમાય છે. પહેલાંના શ્રાવકો એવા હતા કે સાધુ ભૂલા પડવો હાય તે તેને પણ સુધારતા. અત્યારના કાળમાં ધમ સંખ“ધી કંઈ વિશેષ રહ્યું નથી. આ કાળમાં દુઃખે કીને ધમ પમાય છે. આ કાળ હુંડાવસિ`ણી છે. જીવને એમ તેા લાગવું જોઈએ કે મારાથી આત્મકલ્યાણ થતું નથી, એમ વ્યાકુળતા થવી જોઇએ. પ્રમાદી થઈને બેસી રહેવાનું નથી. સત્સ ંગ માટી વસ્તુ છે. તેમાં આત્મહિત કરવું છે + (૧) કેવળજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) જ્ઞાન (૫) ચથાખ્યાતચારિત્ર (૬) સુક્ષ્મસાંપરાયચારિત્ર (૭) પરિહારવિશુદ્ધિચારિત્ર (૮) ક્ષાયિક સમકિત (૯) પુલાક લબ્ધિ (૧૦) જિનકલ્પ. (જીએ પત્રાંક ૪૯૧) અથવા પ્રવચનસારાષ્કાર”માં કહ્યું છે કે. જ'બુસ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ. (૧) કેવળજ્ઞાન (૨) મનઃપ`વજ્ઞાન (૭) પરમાધિજ્ઞાન (૪) આહારક શરીર (૫) ત્રણ સયમ—પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મમાંપરાય અને ચથાખ્યાત. (૬) ક્ષપકશ્રેણી (છ) ઉપશમશ્રેણી (૮) પુલાક લબ્ધિ (૯) જિનકલ્પ (૧૦) મેાક્ષગમન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy