SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ બેધામૃત એમ કહ્યું, પણ કહ્યાથી થાય નહીં. “જે સમજે તે થાય.” જેને આત્મસ્વરૂપ પ્રગટ છે, તે નિરંતર ભજવાયેગ્ય છે. તેલની ધારાની પેઠે અવિચ્છિન્ન ધારા બે પ્રગટ આત્મસ્વરૂપ ભજવાયેગ્ય છે. જે જે મોક્ષે ગયા, તેણે તેણે એવું કર્યું છે. જેને આત્માનું કામ કરવું છે તેને તેને લક્ષ રાખ્યા વિના કામ થાય નહીં. કૃપાળુદેવે આત્મસ્વરૂપે પ્રગટ કર્યું છે, તે ભજવાયેગ્ય છે. જેને ઈચ્છા હોય કે મારે નિરંતર આત્માને ભજે છે, તેને પણ વચ્ચે પાછાં કર્મો અવે, ત્યારે એ કર્મોને કરૂપે જુએ તે ન બંધાય. જ્ઞાનીએ સ્મરણ વગેરે શિખામણ આપી હોય તેમાં ચિત્ત રાખે તે કર્મ આવી ચાલ્યાં જાય. ન કરેલું ભોગવવું પડતું નથી. કઈ એમ કહે કે શાપ આપવાથી એવું થાય તે કહે છે કે એમ નથી, એવું થવાનું હોય ત્યારે જ થાય છે. કોઈના વચનથી કાર્યસિદ્ધિ થાય છે, પણ એ પુણ્ય હોય તે જ થાય છે. લોકોમાં એમ મનાય છે કે એમણે કહ્યું તેથી થયું, જેમકે ગૌતમસ્વામીને એવી લબ્ધિ હતી કે જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થાય જ, પણ કેવળજ્ઞાન થવાનું હોય તે જ એમના હાથમાં આવે. એકેન્દ્રિય પણ મનુષ્ય થઈને મેક્ષે જાય છે. તે પણ કંઈ જીવની અપેક્ષાએ સમજવાનું છે. બાકી તે મનુષ્યપણું જ મળવું બહુ મુશ્કેલ છે, બહુ દુર્લભ છે. મેક્ષની સામગ્રી પણ મળવી બહુ દુર્લભ છે. અત્યારે આપણને સામગ્રી મળી છે તેની કિંમત નથી. મનુષ્ય ભવ, ઉત્તમ કુળ, સપુરુષને યોગ, એમની આજ્ઞા, અને આજ્ઞા આરાધી શકાય એવી શક્તિ મળી છે. તે ફરી મળવી દુર્લભ છે. એક એક ક્ષણ કંજૂસની પેઠે વાપરવી. કર્મને સિદ્ધાંત એ છે કે ફરે નહીં. બે ને બે ચાર જેવું છે. [વ. ૪૧] ૧૨૨ શ્રીરાત્રે આ અગાસ, આસો વદ ૧૦, ૨૦૦૯ પૂર્વભવનું જે વર્ણન કર્યું છે તે સાચું છે, શંકા કરવા જેવું નથી. ધ્યાન વગેરે ગાભ્યાસથી પણ જ્ઞાનાવરણીય ક્ષયે પશમ થાય છે, તેથી પૂર્વ મે જાણી શકાય છે. શાસ્ત્રમાં ભવાંતરનું વર્ણન કર્યું છે તે આત્મા છે, નિત્ય છે, એમ દઢ કરવા માટે કર્યું છે. બધાને પૂર્વભવનું જ્ઞાન હોય છે એમ નથી. સમતિ હોય અને જ્ઞાનને વિશેષ ક્ષ પશમ ન થયું હોય તે પૂર્વભવનું જ્ઞાન ન પણ હોય. સમકિત ન હોય તેને પણ એ પશમ થાય તો પૂર્વભવ જાણી શકે છે. પશુને પણ સમકિત થાય છે, પૂર્વભવનું જ્ઞાન પણ થાય છે. પૂર્વભવ જાણી શકાય છે, એમાં કંઈ વિરોધ નથી. ભગવાન દીક્ષા લીધા પછી જ્યાં જાય ત્યાં પંચ આશ્ચર્ય થાય, એ બહુમાનપણા માટે કહ્યું છે. તેમ થાય છે, પણ બધે એવું થાય જ એમ નથી. થાય તે એમાં આશ્ચર્ય જેવું નથી. જ્યાં સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ હેય ત્યાં ચમત્કાર, રિદ્ધિસિદ્ધિઓ વગેરે બધું હોય છે. જડ હોય તે ઈચ્છા થાય. પણ મેડ જેને ક્ષય થયું છે, તેને રિદ્ધિસિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy