SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૦૫ [વ. ૪૦૨] ૧૧૯ શ્રી રા. આઅગાસ, આસો વદ ૧૧, ૨૦૦૯ કૃપાળુદેવ કહે છે કે અત્યારે જે પ્રારબ્ધને ઉદય છે તેથી કંઈ જ્ઞાન જતું રહે એવું નથી. કલ્યાણ કરવું હોય તે થઈ શકે છે. અમારા આ ઉદયથી ગભરાવા જેવું નથી. એમનું ચિત્ત નિર્મળ થયું છે. એ આત્માને જ જુએ છે. એ ભાવ એટલે દઢ થયે છે કે ફરી છૂટે જ નહીં. એ શાથી થયો? તે કે એમને ક્ષાયિક સમકિત થયું છે. એને નિર્ણય કરાવનાર ચિત્ત છે. તે ચિત્તને નમસ્કાર કરે છે. સોભાગભાઈએ કોઈ વ્યાવહારિક વાત લખી હશે. પણ કૃપાળુદેવનું ચિત્ત તેમાં ગયું નહી. બધા સંક૯૫વિકલ્પ છેડી આત્મામાં ચિત્ત સ્થિર થઈ ગયું, એ આત્માકારતા છે. લખતી વખતે પણ એમને સહજ સ્વરૂપ લક્ષમાં છે. આત્મામાં મારું તારું, સંકલ્પવિક૯૫ કંઈ નથી, એવું જેને થયું છે તે આત્મામાં લીન થાય છે. મોક્ષમાર્ગ માં મિયે વૈરાગ્ય છે. એની જરૂર છે. ઊંચી દશાના પુરુષે એ વચને કહ્યાં છે. તે સજીવન બીજ છે. જીવને ઊભું કરે એવાં વચને છે. મનુષ્યભવ મળ્યો છે તે આડાઅવળી વાપર નહીં. જ્ઞાનીનાં વચનમાં તહલીનતા કરવી. “માહાતમ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનામાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા.” (૧૩૫). એ પરમાર્થથી આસ્થા છે. [વ. ૪૦૬]. ૧૨૦ સોભાગભાઈને એમ રહે છે કે કૃપાળદેવ ત્યાગ લે તો સારું. આપણું મરણ પહેલાં એ ત્યાગ લે તે આપણે પ્રભાવના જોઈએ. ભક્તજન હોય તે સ્વાર્થ રાખી ભક્તિ ન કરે. નિષ્કામ ભક્તિની જરૂર છે. એ થવી બહુ દુર્લભ છે. ઉપરથી ત્યાગવૈરાગ્ય દેખાતે હોય પણ અંદર થી સંયમભાવના દુલભ છે. હવે છૂટવાનો માર્ગ હાથ આવ્યો છે, પણ વાસના છેતરે છે. મનમાંથી વાસના દૂર કર્યા વિના મેક્ષ થશે નહીં, કમાણી કરનાર તે મન છે. મન, વચન અને કાયા એ ત્રણ દુકાનો છે. મન છે તે વચનકાયામાં પણ કામ કરે છે. મન એ અંદરની ઈન્દ્રિય છે. ભાવ બગડયા તે વચનકાયાથી કંઈ સુધારી શકાય નહીં. મન ફરે તે બધું ફરે. મન જ કર્મ બાંધે છે. એ જ કમ બાંધવામાં શૂરું થાય છે. અને છેડવામાં પણ એ જ શૂરું થાય છે. રાગથી કર્મ બંધાય છે અને જે વૈરાગ્ય આવે તો મોક્ષ થાય. કૃપાળદેવ કહે છે કે વર્તમાનમાં જે થાય તે કરીએ છીએ. ભૂતભવિષ્યના વિચાર કરતા નથી. પહેલાં નાનપણમાં એવી ભાવના હતી કે સદ્ધમ ઉદ્ધાર કર, બીજા દેશમાં જઈને પણ ઉદ્ધાર કરે. પછી જ્યારે વિશેષ સમજણ થઈ ત્યારે ઈચ્છા શમાઈ ગઈ. “સમજ્યા તે સમાયા.” જો કે તદ્દન એવી ભાવના મટી ગઈ છે એમ નથી. મુમુક્ષુઓએ મહાપુરુષનું કેટલું મહામ્ય રાખવું જોઈએ તે આ ઉપરથી સમજાય છે. [વ. ૪૧૦] ૧૨ શ્રી રા. આ અગાસ, આસો વદ ૧૧, ૨૦૦૯ ભજવાયેગ્ય શું છે? તે કહે છે. શુદ્ધાત્મા ભજવાયેગ્ય છે. “સર્વ જીવ છે સિદ્ધસમ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy