SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધામૃત જગતથી જે અસંગ થયા છે–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી–તેને નમસ્કાર છે. એવા પુરુષથી જ મેક્ષ સમજાય છે. મોક્ષની મૂર્તિ સપુરુષ છે. કે પ્રત્યે રાગ અને દ્વેષ ન કરવા. બધું કાળે કરીને જવાનું છે. કૃપાળુદેવ પિતાની દશા જણાવે છે કે અમે ઉપાધિમાં છીએ છતાં સમાધિ જેવું લાગે છે. જેમ જેમ ઉપાધિ આવે તેમ તેમ વધારે બળ કરવું પડે છે, ત્યારે આત્મામાં રહેવાય છે. કૃપાળુદેવને આત્મા ભુલાત નથી, મુક્તપણાની ભાવના છૂટતી નથી. આત્માને નિર્ણય થયો છે પછી ગમે તેવી ઉપાધિ હોય પણ આત્મા જુદે છે. જેમ સ્ફટિકરત્ન સંયોગને લીધે અન્યરૂપ દેખાય છે પણ તે તેવું થઈ જતું નથી, તેમ આત્મા મુક્તસ્વરૂપ જ છે એ ભાવ ફરતો નથી. છતાં જ્ઞાની પુરુષ પણ ઉપાધિને ત્યાગ ઈચ્છે છે. [વ. ૪૦૧] ૧૧૮ શ્રી રાક આહેર, ફાગણ વદ ૨, ૨૦૦૮ - વૈરાગ્ય થવું એ એક માટે ગુણ છે. એને સંસાર ઉપર પ્રીતિ નથી. વૈરાગ્ય થયા પછી શમસ વેગાદિક ગુણે આવવા જોઈએ. એકલી દીક્ષા લેવાથી કલ્યાણ ન થાય. પહેલાં એટલી ગ્યતા જોઈએ. તે ઉત્પન્ન થવાનું કારણ સત્સંગ છે. જીવને શમસંવેગાદિક ગુણે પ્રાપ્ત થયા હોય અને પછી જે દીક્ષા લે તો સફળ છે. પણ એ થયું નથી. જીવે દીક્ષા ઘણી વાર લીધી છે. યમનિયમાદિ ઘણું કર્યા છે પણ આત્માનું કલ્યાણ થાય એવું કર્યું નથી. “ સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય?” એ સત્સાધન રહી ગયું છે. “જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યોગ વિના સમજાતું નથી”(૫૦૫). આત્મા ફરે એવું કરવું છે. જ્ઞાનીની આજ્ઞાથી યમનિયમાદિક સફળ છે. સત્સાધન કર્યું હોત તો મોક્ષ થાત. પણ એવું નથી કર્યું. અનંતકાળથી પરિભ્રમણ કરે છે છતાં મોક્ષ થયે નથી એનું કારણ શું? ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ–વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” વૈરાગ્ય પણ સંસારરૂપ થયો છે. - હવે સાચું શોધવું છે. કંઈ ભૂલ ન રહે એવું કરવાનું છે. તીર્થકર ગૃહસ્થાવસ્થામાં હોય અને ઘોડા ખેલાવે તે અજ્ઞાની જાણે કે તીર્થકર ઘોડા ખેલાવતા હશે? બાહ્ય પ્રવૃત્તિ થી ખબર ન પડે. જીવ બહારનું જુએ છે. બાહ્ય વેશ આદિ દેખી કલ્પના કરે છે. જીવ સત્પરુષનો નિર્ણય કરવામાં ભૂલો પડયો છે. દિક્ષા લઈને શું કરવું છે? સસાધન શું રહ્યું છે? તેને વિચાર કરે. જે કંઈ કરીએ તે સફળ થવું જોઈએ. ઘણી વાર દીક્ષા લીધી પણ આત્માનું કલ્યાણ થયું નથી. જ્યાં સાચી હોય ત્યાંથી સાચ આવે. વેશને આધારે જીવ પુરુષ અને અસપુરુષ એમ કલ્પત આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy