________________
વચનામૃત-વિવેચન છૂટવાને માર્ગ એક જ છે. ઉપાધિમાં રહેવું અને આત્મભાવમાં પરિણમવું બહુ મુશ્કેલ છે. ઉપાધિ ન હોય અને નિવૃત્તિનું ક્ષેત્ર હોય, ત્યારે સારા ભાવ રહે છે. સત્સંગને સંભાર. ઉપાધિમાં પણ નિરુપાધિ સુખ ભૂલવું નહીં. ઉપાધિ આવી પડે તે પણ સમભાવ રાખવે. જેમ જેમ સત્સંગ થાય તેમ તેમ ગરજ જાગે.
જેને આત્મજ્ઞાન થયું છે તેને પણ સત્સંગની ઈચ્છા રહે છે. પૂર્વકાળમાં સત્સંગ કરેલે તે આ કાળમાં કૃપાળુદેવને સાંભરી આવ્યો. જે કંઈ સંગે મળે તેમાં રાગદ્વેષ ન કરવા. સત્સંગ કરે. એ ચેગ ન હોય તે પણ પિતાનાં પરિણામ ન બગાડવાં. કૃપાળુદેવને પૂર્વ પ્રારબ્ધને લઈને ઉપાધિમાં રહેવું પડે છે. ભાવના તે નિરુપાધિની જ છે. એવું બધાને કરવાનું છે. જ્ઞાની પુરુષને આશ્રયે જે વર્તે છે, તે જેમ પુરુષ કહે તેમ કરે છે. જે તે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પ-વિકલ૫ રાગદ્વેષને મૂક.” તે મોક્ષ અવશ્ય થશે.
સત્સંગમાં આટલી વસ્તુ જરૂરની છે: (૧) હું કંઈ ન જાણું. (૨) સામાન્યપણું ન કરવું. (૩) વિનયાદિ ગુણયુકત થવું. (૪) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કે લેભમાં ન પ્રવર્તવું. એ વાત શાસ્ત્ર વાંચતાં અને આત્મવિચાર કરતી વખતે પણ કલ્યાણકારી છે. જ્ઞાનીએ કહ્યું તે સમજવું છે, એમ કરી આત્મવિચાર કરતા રહેવું. લૌકિક વાત છોડી અલૌકિકમાં વૃત્તિ રહેવા દેવી.
પ્રમાદથી એક સમયમાં જે કર્મ બંધાય છે તેથી આત્મા ક્યાંય ઘસડાઈ જાય છે.
[વ. ૪૦૦]
૧૧૭ શ્રી. રા. આ. અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૯ પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાગ્ય, નમસ્કાર કરવા ગ્ય કોણ છે? તે કહે છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાગ્યા છે. વાત કરવી તેય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે. ભક્તિ એટલે સદ્ગુરુ પાસે જવું, એ ભક્તિમાં બધું સમાય છે. નમસ્કાર એ ભક્તિ છે, કીર્તન એય ભક્તિ છે, ગુણગ્રામ એય ભક્તિ છે. એ બધા ભક્તિના જ ભેદ છે. પુરુષની આ ભક્તિ કરવાથી તેમાં ઉલવાસ આવે તે ખસે નહીં ત્યારે ધ્યાન કહેવાય. જેને કોઈ દ્રવ્યમાં પ્રતિબંધ પણું નથી વર્તતું, તે પુરુષની આ બધી ભક્તિ કરવાની છે. બધેથી એ પુરુષ ઉખડી ગયા છે, ક્યાંય આસક્ત નથી. કેઈ પણ પદાર્થમાં ચોટ એમને નથી. ઉદાસભાવ છે. કેઈ પ્રત્યે રાગભાવ નથી એવા વીતરાગ છે. તે નમન કરવાગ્યા છે. વારં. વાર એમાં જ ચિત્ત જાય. જેમ જેમ સંભારે તેમ તેમ વધારે સાંભરે એવા ઉલ્લાસથી એ પુરુષનું ધ્યાન કરવાગ્યા છે. એવા અપૂર્વ પુરૂષની શ્રદ્ધા થાય છે, એ જેવી તેવી વસ્તુ નથી. તેમાં જ ચિત્ત રાખવું. અનંત ભવ ભમતાં એ પુરુષ કોઈક વખત મળે. એવા આપણને કૃપાળુદેવ મળી આવ્યા, તે એમનામાં ચિત્ત રાખવું. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા, નહીં તે સમજાતેય નહીં. “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org