SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ બેધામૃત થતી જાય, એ આ કાળ આવ્યો છે. આ દુષમ કળિકાળમાં બીજી બીજી વસ્તુઓ ગમે તેટલી સુલભ થઈ હોય પણ પરમાર્થ પામે બહુ દુર્લભ છે. પુરુષને યેગ તે બહુ દુર્લભ છે. ચોથા કાળમાં ઘણા પુરુષે વિચરતા હતા, તે વખતે પણ પુરુષને યોગ તે બહુ દુર્લભ હતો, તેથી પણ આ કાળમાં તે વધારે દુર્લભ છે. સહજાનંદસ્વામી થયા તે વખતના છેવોને વિષે આજ્ઞાની વૃત્તિ હતી. પ્રાણ જાય તે પણ આજ્ઞાને ગૌણ ન કરે એવા જ હતા. પરમાર્થની ઈચ્છા જીવને ઓછી થતી જાય છે. પહેલાંના સમયમાં ચક્રવર્તી જેવા રાજ્ય છોડવાનું કહેતા તે છેડી દેતા. તેથી ઉપદેશ પણ એ કરતા. જ્ઞાની પુરુષ જીવની વૃત્તિ જોઈને ઉપદેશ કરે છે. પહેલાં તે બધા ધમ સાંભળવા આવતા ત્યારે આચાર્ય પ્રથમ તે સાધુપણાની વાત કરતા કે છૂટવું હેય તે આ મુનિ ૫ણું છે. એમ સર્વસંગપરિત્યાગની વાત કરે. પહેલાં જે શ્રાવકપણાની વાત કરે તે ગૃહસ્થ ધર્મનાં વ્રત લઈ જીવ સંતોષ માને. તેથી આચાર્યને શિક્ષા થતી (પ્રાયશ્ચિત્ત લેવું પડતું). જે સામા જીવને મુનિ ૫ણું પાળવાની શક્તિ ન હોય તો શ્રાવકપણનું વર્ણન કરે. પહેલાં તે બધાંનાં આયુષ્ય લાંબાં હતાં અને જેને ગરજ પણ હતી. કેટલાંય શા મઢે કરતા. બધાંય શાસ્ત્રો મેઢે રાખતા. પણ જેમ જેમ કાળ પડતો આવ્યો તેમ તેમ ભુલાતું ગયું. તેથી પછી શાસ્ત્રો લખાયાં. [વ. ૩૯૯] ૧૧૬ શ્રી રામં આહાર, ફાઇ વદ ૨, ૨૦૦૮ સત્સંગમાં ઉ૯લાસભાવ રહે છે અને થોડા વખતમાં ઘણું કામ થઈ જાય છે. સત્સંગથી લાભ થાય છે. એ યોગ ન હોય તે પણ સમભાવમાં રહેવું. એ કર્યા વિના છૂટકો નથી. રાગદ્વેષ ઓછા કરવા છે એ ન ભૂલવું. જ્ઞાની પુરુષના ગમાં તે એ જ સાંભળવાનું મળે છે, પણ એ ચેન ન હોય ત્યારે એ સમભાવ રહેવું મુશ્કેલ છે, પણ કર્યા વિના છૂટકે નથી. અમે એ જ કરીએ છીએ અને તમારે પણ એ જ કરવાનું છે એમ કૃપાળુદેવ કહે છે. જીવ પિતાનો દેષ જોતો નથી. કોઈ પ્રત્યે દ્વેષ ન કરે. જે સંગ છે તેમાં બીજા પ્રત્યે દ્વેષ ન થાય એ સાચવવાનું છે. નિમિત્તને દેષ ન કાઢ એ સાચો રસ્તો છે. રાગદ્વેષથી પોતાને જ કર્મ બંધાય છે માટે સાચવવાનું છે. સમભાવ આવે તે જ કર્મ ન બંધાય, નહીં તો બંધાય છે. જ્ઞાની પુરુષ સમભાવને સાચવે છે. તેથી તેઓને કર્મ બંધાતાં નથી. પુરુષ પ્રત્યે દ્વેષ કરે તો ઘણાં કર્મ બંધાય. (અમે કોઈને દુઃખ દેવા ઈચ્છતા નથી પણ પૂર્વકર્મને લઈને બીજા જીવને મનમાં થઈ આવે છે. ત્યાં આપણે ઉપાય નથી.) જેમ બને તેમ જ્ઞાનીની નિંદામાં કેઈ ન ઉતરે તેની સાવચેતી રાખવી. આપણાં પરિણામ ન બગાડવાં, દ્વેષ ન થવા દે. મુકેલી આવે છે તે પૂર્વનાં કર્મ છે, પણ તેમાં જેટલી સહનશીલતા અડગતા રહે તેટલો આત્મા દઢ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy