________________
વચનામૃત-વિવેચન
૧૦૧ કરવા તેઓ એટલે બધે પુરુષાર્થ કરે છે કે એ પુરુષાર્થ ક્ષાયક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા કરે તે પ્રાપ્ત થાય. કેઈન કલેશમાં ઉતરવા જેવું નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ કરવા યેાગ્ય નથી. નકામી વાતોમાં ખોટી ન થવું. મિથ્યાત્વ છે તે સાચાને જૂઠું અને જૂઠાને સાચું મનાવે છે. શાસ્ત્રો જ્ઞાની પાસે સમજવાનાં છે. સ્વાદુવાદ માગ છે. જીવ ચેતતા નથી. જે પિતાની શક્તિ વિચાર્યા વિના નિર્ણય કરી રાખે છે, તે જીવ કર્મ-આવરણની વૃદ્ધિ કરે છે.
વિ. ૩૯૮]
૧૧૫ શ્રીરાઆ. અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૯ કાળજી રાખીને સાંભળવાયોગ્ય પત્ર છે. બીજે ચિત્ત ન રાખશે.
મહાપુરુષે પરના પરમાણુ જેટલા ગુણને પર્વત જેવા જાણે છે અને પિતાનો વિકાસ કરે છે. પરમાર્થને જેને એ અખંડ નિશ્ચય છે કે જે નિશ્ચય તૂટે નહીં, ગમે તેટલું દુઃખ આધિવ્યાધિઉપાધિ આવે તો પણ એ નિશ્ચય તૂટે એ નથી, એવા સોભાગભાઈ છે. અસંગ આત્મસ્વરૂપ થયા છે તેની જ ભક્તિ કરવાગ્યા છે. એવા નિષ્કામ પુરુષ પોતે કૃપાળુદેવ છે. એવા પુરુષને ઓળખવા કેઈ ભક્ત જોઈએ, તે ઓળખાય. રામને ઓળખવા હનુમાન જોઈએ. સરળ ભાવવાળા ભાગભાઈ છે.
સોભાગભાઈને ભક્તિ જાગી છે, તે જોઈ કૃપાળુદેવ રાજી થયા છે. સોભાગભાઈએ તે ભક્તિભરેલા પત્ર ઉપર પત્રો ઘણું લખ્યા છે. પણ કૃપાળુદેવ લખે છે કે ઉપાધિના કારણથી તથા આત્મામાં સ્થિરતા થવાથી એક પણ પત્ર લખવાનું બનતું નથી.
કૃપાળુદેવને તે એટલી ઉપાધિ છતાં સમાધિ વર્તે છે. મુખ્ય આધાર તે પ્રારબ્ધ ઉપર જ રાખે છે. જે કમ આવ્યાં છે તે પિતાનાં બાંધેલાં છે અને તે પિતાને જ પતાવવાનાં છે. કર્મ ભેગવતાં એમને સમતા રહે છે, ગભરાટ થતું નથી. ઉપાધિ કરે છે છતાં મુક્તપણે વર્તે છે. જેને કર્તાપણું નીકળી ગયું છે તેને ગમે તેમ થાય તે પણ સમાધિ જ છે.
देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि ।
વત્ર યજ્ઞ મનો વાસ તત્ર તત્ર માધય: n (૨૨૩) હું વાણિ છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, એ આદિ દેહાભિમાન જેને નથી અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે, તેનું ચિત્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ છે. રાગદ્વેષ થતા નથી. અમુક કરવું, અમુક ન કરવું, એમ એ કરતા નથી. જે ઉદયમાં આવે તે કરે છે. સમાધિભાવ એમને છૂટતો નથી. એ ક્ષાયિક સમકિતનું બળ છે.
કોઈ એમ કહે કે તમારે આટલી ઉપાધિ છે તે ભાર કાઢી નાખે ને! કૃપાળુદેવ કહે છે કે એવું કરવું હોય તે થાય, પણ એમ કરીએ તે કર્મ ભેગવાય નહીં. ભગવ્યા વિના છૂટકો નથી, આ ભવમાં કે પરભવમાં.
આ કાળ કે છે! તે કહે છે. દિવસે દિવસે જીવોની વૃત્તિ પરમાર્થ પ્રત્યેથી ઓછી થતી જાય છે. અવસર્પિણી કાળ એટલે ઉતરતે કાળ આ છે. પરમાર્થની ભાવના ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org